AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : ધાનેરામાં પોલીસની ટીમ પર થયો હુમલો, 4 લોકો સામે નોંધી ફરિયાદ, 2ની અટકાયત

થાવર ગામે પોલીસની ટીમ અરજી સંબંધિત તપાસ માટે ગઇ હતી. આ દરમિયાન કોઇ અજાણ્યા કારણોસર અપશબ્દ બોલી, સગળતું લાકડું મારી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે.

Banaskantha : ધાનેરામાં પોલીસની ટીમ પર થયો હુમલો, 4 લોકો સામે નોંધી ફરિયાદ, 2ની અટકાયત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 11:03 AM
Share

બનાસકાંઠાના ધાનેરામાં પોલીસ જ અસુરક્ષિત છે. ધાનેરામાં તપાસ કરવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાની વાત કરીએ તો થાવર ગામે પોલીસની ટીમ અરજી સંબંધિત તપાસ માટે ગઇ હતી. આ દરમિયાન કોઇ અજાણ્યા કારણોસર અપશબ્દ બોલી, સગળતું લાકડું મારી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે.

હુમલા દરમિયાન અન્ય પોલીસકર્મી છોડાવવા જતા ઉશ્કેરાયેલા લોકોએ બચકુ ભર્યું હોવાના પણ સમાચાર છે. સમગ્ર મામલે ધાનેરા પોલીસે 4 લોકો સામે ફરિયાદ નોંધી 2 લોકોની અટકાયત કરી લીધી છે. અને ફરાર અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Banaskantha : અંબાજીમાં પ્રસાદ પર આરપાર ! વેપારીઓ આજે બંધ પાળશે તો વિશ્વ હિંદુ પરિષદ વિરોધ પ્રદર્શન સાથે કરશે ધરણા

પોશીનામાં પોલીસ પર થયો હુમલો

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોશીના તાલુકાના ગૌરી ફળો ગામે હથિયાર હોવાની બાતમીનો દરોડો પાડવા ગયેલી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. 1 જૂને આ ઘટના ઘટી હતી. જે દરમિયાન એક પોલીસ કર્મચારીને ગોળી વાગતા ઈજા પહોંચી હતી. સાત જેટલા કર્મચારીઓેને ઈજા પહોંચતા સ્થાનિક અને હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે બે પોલીસ કર્મીને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોશીના પોલીસે (Poshina Police) 100 લોકોના ટોળા સામે હત્યા કરવાને ઈરાદે જીવલેણે હુમલો કરવાને લઈ ફરીયાદ નોંધવામાં આવી હતી.

આરોપીઓ સામે આર્મ્સ એક્ટ સહિત ગંભીર કલમો લગાવાઈ

અન્ય ટોળાએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો અને અન્ય લાકડી અને ધોકા સહિતના બોથડ પદાર્થ જેવા હથીયારો વડે પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય પોલીસ કર્મીઓ પણ આવતા તેમની પર પણ હુમલો કરતા કુલ 7 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. જેને લઈ પોશીના પોલીસે 7 જેટલા આરોપીઓની નામજોગ અને અને તેમની સાથે 100 લોકોના ટોળા સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આર્મ્સ એક્ટ સહિત હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો લગાવીને તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઈને એસપી વિશાલકુમાર વાઘેલા અને ડીવાયએસપી કેએચ સૂર્યવંશીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">