AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં જમીનને લઈ ખેડૂતો આક્રમક મૂડમાં

અમીરગઢ તાલુકાના જેથી ગ્રામ પંચાયતની હદમાં આવતી ઉમરકોટ ગામની 900થી વધુ એકર જમીન ડી.કે.પટેલની હતી. જે સમયાંતરે શ્રી સરકાર થઈ મૂળ વ્યક્તિના નામે અત્યારે 217 એકર જમીન છે. ત્યારે મામલતદારના મતે પાંચ ખેડૂતો સિવાય કોઈનો પ્રશ્ન નથી.

Banaskantha : અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં જમીનને લઈ ખેડૂતો આક્રમક મૂડમાં
Banaskantha Farmers Protest
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 7:12 AM
Share

બનાસકાંઠાના(Banaskantha) અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં જમીનને લઈને જંગ જામ્યો છે. જેમાં 50થી વધુ ખેડૂત (Farmers) પરિવારો મહામુલી જમીન બચાવવા લાંબી લડત ચલાવી રહ્યાં છે. ઉમરકોટમાં નદીના પટમાં ખેતી કરીને જીવન ગુજારતા ખેડૂતોને જગ્યા ખાલી કરવા કેટલાક વ્યક્તિઓ લાંબા સમયથી પરેશાન કરે છે. ખેડૂતોએ અગાઉ જમીન બચાવવા મામલતદાર કચેરીએ ધરણા કરીને કલેક્ટરને રજૂઆત કરી હતી. જેની બાદ કોર્ટેમાંથી સ્ટે પણ મેળવ્યો છે. કોર્ટે હાલમાં યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કરેલો છે. પોલીસનું બળ વાપરીને અગાઉ જમીન ખાલી કરાવવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ જીવન નિર્વાહ ચલાવી આપતી જમીન બચાવવા ખેડૂતો આરપારના મૂડમાં છે.

વર્ષોથી પોતે ખેતી કરવા હોવા છતાં ગણતરીના સમયમાં જ જમીન ખાનગી વ્યક્તિના નામે કેવી થઈ

ઉમરકોટ ગામના ખેડૂતોના મતે 54 એકર સિવાયની અન્ય તમામ જમીન શ્રી સરકાર હતી. આ જમીન ખાનગી વ્યક્તિઓના નામે કેવી રીતે થઈ. આ જમીન ખાનગી વ્યક્તિ પોતાની હોવાનો દાવો કરે છે.વર્ષોથી પોતે ખેતી કરવા હોવા છતાં ગણતરીના સમયમાં જ જમીન ખાનગી વ્યક્તિના નામે કેવી થઈ તે મોટો સવાલ છે. ખેડૂતો મોટી ગેરરીતિ થયાની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે.

મામલતદારના મતે પાંચ ખેડૂતો સિવાય કોઈનો પ્રશ્ન નથી

અમીરગઢ તાલુકાના જેથી ગ્રામ પંચાયતની હદમાં આવતી ઉમરકોટ ગામની 900થી વધુ એકર જમીન ડી.કે.પટેલની હતી. જે સમયાંતરે શ્રી સરકાર થઈ મૂળ વ્યક્તિના નામે અત્યારે 217 એકર જમીન છે. ત્યારે મામલતદારના મતે પાંચ ખેડૂતો સિવાય કોઈનો પ્રશ્ન નથી. આ પાંચ ખેડૂતો 50 વીઘા જમીનમાં ખેતી કરે છે.. બંને તરફે થતા જમીનના દાવાને લઈ તંત્ર અવઢવમાં છે. બનાસકાંઠાના કલેક્ટરને ફરી જમીનની માપણી કરાવી છે. એક અઠવાડિયામાં રિપોર્ટ આવ્યા બાદ કોઈને પણ અન્યાય ન થાય તે રીતની કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">