ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન કેમ થયા ભાવુક, એવી કઈ વાતે ગેનીબેનને ચોધાર આંસુએ રડાવ્યા- જાણો

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પાલનપુરમાં ગેનીબેને જાહેર સભા સંબોધી હતી અને બનાસકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ કે બનાસકાંઠાની જનતાનું ઋણ હું ક્યારેય નહીં ભૂલી શકુ. અને મારી હવે પછીની તમામ જવાબદારી બનાસકાંઠાની જનતાને અર્પણ કરવા માગુ છુ.

Follow Us:
| Updated on: Apr 15, 2024 | 4:33 PM

બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે તેમનું નામાંકન દાખલ કરવા માટે પહોંચ્યા હતા. આ પહેલા તેમણે પાલનપુરમાં જાહેરસભા સંબોધી હતી. ગેનીબેન ઠાકોર આ સભા દરમિયાન ઘણા ભાવુક થઈ ગયા હતા અને ચોધાર આંસુઓ સાથે રડવા લાગ્યા હતા. ગેનીબેને સભા સંબોધતી વખતે અનેક જૂના સ્મરણો વાગોળ્યા હતા તેમણે કહ્યુ કે બનાસકાંઠાની જનતાએ મને ઘણુ આપ્યુ છે, એ પ્રજાનું ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકુ.

તેમણે કહ્યુ અત્યાર સુધીની મારી 28 વર્ષની રાજકીય કારકિર્દી રહી છે અને હવે પછીની મારી તમામ જવાબદારી મારા પરિવાર સમા એવા બનાસકાંઠાની જનતા માટે અર્પણ કરવા માગુ છુ. કોંગ્રેસ પક્ષનો આભાર માનતા ગેનીબેન ભાવુક થયા અને જણાવ્યુ કે લોકોના પગની પાનીઓ ઘસાઈ જાય છે પરંતુ ટિકિટ નથી મળતી પરંતુ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે પાર્ટીએ મારા પર વિશ્વાસ મુકી મને ટિકિટ આપી છે ત્યારે હે ઈશ્વર મારી નાવને તુ તારજે.. આટલુ બોલતા ગેનીબેન અત્યંત ભાવુક થયા હતા અને તેમની આંખોમાંથી આસુ વહેવા લાગ્યા હતા.

“બનાસકાંઠાના અઢારે આલમ મારા માટે પહેરો ભરે છે, મારે કોઈ સિક્યોરિટીની જરૂર નથી”

વધુમાં તેમણે જણાવ્યુ કે બનાસકાંઠાના રા’નવઘણ જેવા મારા ભાઈઓએ મને કહ્યુ કે ગેનીબેન તમે રાતદિવસ એકલા પ્રવાસ કરો છો તો પોલીસ પાસે તમે સિક્યોરિટી માગી લો, ત્યારે મે એમને કહ્યુ બનાસકાંઠાની અઢારે આલમ 36એ કોમ એક પોલીસ તરીકે પહેરો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ન હોય.અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય. બનાસકાંઠા જિલ્લો મને જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતો હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેમનો ભરોસો છે એ ભરોસો હું તોડવા માગતી નથી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

“મારી હવે પછી જિંદગી બનાસકાંઠાને અપર્ણ કરવા માગું છું”

વધુમાં તેમણે ઉમેર્યુ કે  કદાચ આ બનાસકાંઠાની જનતા માટે, અઢારે આલમ માટે એક કાળુ કફન બાંધવુ પડેને તો આ કફન બાંધીને તમારા બધા માટે થઈને નીકળી છુ. કાળુ કફન બાંધીને નીકળી છુ ત્યારે 28 વર્ષના રાજકીય કાર્યકાળ દરમિયાન અનેક ચડાવ ઉતાર જોયા છે. ત્યારે હું આજે બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માગુ છુ કે પરિવારમાં એક દીકરો છે અને એના લગ્ન થઈ ગયા છે એટલે પરિવારમાં હવે બહુ મારી જવાબદારી નથી રહી ત્યારે હવે પછીની મારી આ જવાબદારી બનાસકાંઠાને અર્પણ કરવા માગુ છુ. તડકો છાંયો જોયા વગર સબ ભૂમિ ગોપાલકી અને કોઈકને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય, ક્યાંક જનસેવા માટે સમર્પિત થવાનુ હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડે. આ તકે ગેનીબેને મીડિયા મિત્રોનો પણ ખાસ આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે આ ચોથી જાગીરનો મારે આભાર માનવો જોઈએ એમણે મારો મામેરાનો ફોટો અલગ રાખ્યો છે.

Input Credit- Atul Trivedi- Palanpur

આ પણ વાંચો: ક્ષત્રિય મહાસંમેલનના અંતે કરણસિંહ ચાવડાએ કરી જાહેરાત, 19 તારીખ સુધીમાં ફોર્મ પરત નહીં લે તો…. -જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">