Banaskantha : અર્બુદાધામ રોશનીથી ઝળહળી ઉઠ્યુ, 30 હજારથી વધુ લોકોએ મા અર્બુદાની કરી મહા આરતી, જુઓ VIDEO

આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.

Banaskantha : અર્બુદાધામ રોશનીથી ઝળહળી ઉઠ્યુ, 30 હજારથી વધુ લોકોએ મા અર્બુદાની કરી મહા આરતી, જુઓ VIDEO
મા અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 10:01 AM

બનાસકાંઠાના પાલનપુરના લાલાવાડામાં ત્રિદિવસીય અર્બુદા રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. 30 હજારથી વધુ લોકોએ મા અર્બુદાની મહા આરતી કરી હતી. પાલનપુરના અર્બુદાધામને રોશનીથી શણગારાયું. તો બીજી તરફ 12 કિલોમીટરની શોભાયાત્રા નીકળતા પારંપરિક વસ્તુઓ સાથે ચૌધરી સમાજના લોકો જોડાયા. આદર્શ વિદ્યાલયમાં મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન રજત જયંતી મહોત્સવની ઉજવણી થશે.

મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ

આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આ યજ્ઞમાં 600 બ્રાહ્મણ ઉપસ્થિત રહેશે અને 1500 યજમાન મહાયજ્ઞ શાળામાં આહુતિ આપશે. જ્યારે એકસાથે 10 લાખ ચૌધરી સમાજના લોકો ભેગા થશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વાહન પાર્ક કરવા દાતાઓએ 450 એકરથી વધુ જમીન પણ આપી

માતાજીનો પ્રસંગ દીપી ઊઠે એ માટે ચૌધરી સમાજના લોકોએ સતત મહેનત કરી 100 એકર જમીનમાં 7 માળની યજ્ઞ શાળા બનાવી છે. આ યજ્ઞશાળામાં દેશી ગાયનાં છાણ અને ગંગાજળ તેમજ માટીથી લીંપણ કરાયું છે. આ લીંપણ કરવા જિલ્લામાંથી 5 હજારથી વધુ બહેનોનો ફાળો છે. તેમજ સાંજના સમયે જિલ્લાનાં તમામ ગામોમાં ચૌધરી સમાજની બહેનો દ્વારા ગામેગામ મહાઆરતી કરવામાં આવશે. ચૌધરી-આંજણા સમાજની બહેનોએ પણ દરેક ગામોમાં એકત્રિત થઈને સામુહિક માતાજીના નામની મેહેંદી પોતાના હાથમાં મૂકી હતી. દિલ્લી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આ યજ્ઞનાં દર્શન માટે આવશે. યજ્ઞમાં આવનારા લોકોને વાહન પાર્ક કરવા દાતાઓએ 450 એકરથી વધુ જમીન પણ આપી છે. જેમાં કોઈને વાહન લેવા કે મૂકવામાં તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરાઈ છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">