AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ 3 દુર્ઘટનામાં ડુબવાથી 7 લોકોના મોત

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે. થરાદની ઇઢાટા કેનાલમાં બે બાળકો નાહવા પડ્યા હતા. સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢયા છે.

બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ 3 દુર્ઘટનામાં ડુબવાથી 7 લોકોના મોત
7 people died due to drowning in 3 different accidents in Banaskantha district
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 10:37 PM
Share

બનાસકાંઠા (Banaskantha)માટે આજનો દિવસ ખૂબ કપરો રહ્યો. કેનાલમાં (Canal) છલાંગ લગાવવાની અને નાહવા પડવાથી મોત(Death) થયાની જુદી-જુદી 3 ઘટનાઓ ઘટી. થરાદની મુખ્ય કેનાલમાં એક પરિવારે મોતની છલાંગ લગાવ્યાની આશંકા છે. પતિ-પત્ની અને બે બાળકોએ કેનાલમાં ઝંપલાવ્યું. જેમાંથી બેનાં મૃતદેહ બહાર કઢાયા છે. બાદમાં અન્ય બે મૃતદેહો પણ મળી આવ્યા છે. તો બીજી તરફ થરાદની ઈઢાડા કેનાલમાં નાહવા પડેલા 3 બાળકોમાંથી બેનાં મોત થયા છે. જ્યારે એકને સ્થાનિકોએ બચાવી લીધો. આતરફ દાંતાના વણઝારા તળાવમાં નાહવા પડેલા યુવકનું મૃત્યું થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં એક પરિવારે એકસાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. થરાદની મુખ્ય કેનાલમાં પીલૂડાં ગામના પરિવારે છલાંગ લગાવ્યાની આશંકા છે. જેમાં પતિ, પત્ની અને બે બાળકોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યુ છે. બાઈક પર કેનાલ સુધી આવીને બાઈક મૂકીને પરિવારે મોતની છલાંગ લગાવી છે. સ્થાનિક તરવૈયાઓએ બેના મૃતદેહને બહાર કઢાયા છે. થરાદ ફાયર ફાઇટર અને સ્થાનિકોની મદદથી અન્ય બે મૃતદેહોને પણ શોધી લેવામાં આવ્યા છે. બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી લેવાયા છે.

તો બીજી દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે. થરાદની ઇઢાટા કેનાલમાં બે બાળકો નાહવા પડ્યા હતા. સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢયા છે. એક જ પરિવારના બે બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. આ ઉપરાંત દાંતાના વણઝારા તળાવમાં ડુબવાથી એક યુવકનું મોત થયું છે. આમ આજે બનાસકાંઠા જિલ્લામાં ડુબી જવાની ઘટનામાં કુલ સાત લોકો મોતને ભેંટયા છે. જેને કારણે સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો :Punjab: ફ્રી વીજળી માટે ‘આપ’ એ રાખી જનરલ કેટેગરી માટે શરત, ભાજપે કહ્યુ- સામાન્ય વર્ગ સાથે થઈ છેતરપિંડી

આ પણ વાંચો :ફૂટવેર બનાવતી આ કંપની આગામી મહીને લાવી રહી છે IPO, પોતાનુ નેટવર્ક વધારવાની કંપનીની યોજના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">