AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ 3 દુર્ઘટનામાં ડુબવાથી 7 લોકોના મોત

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે. થરાદની ઇઢાટા કેનાલમાં બે બાળકો નાહવા પડ્યા હતા. સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢયા છે.

બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ 3 દુર્ઘટનામાં ડુબવાથી 7 લોકોના મોત
7 people died due to drowning in 3 different accidents in Banaskantha district
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 10:37 PM
Share

બનાસકાંઠા (Banaskantha)માટે આજનો દિવસ ખૂબ કપરો રહ્યો. કેનાલમાં (Canal) છલાંગ લગાવવાની અને નાહવા પડવાથી મોત(Death) થયાની જુદી-જુદી 3 ઘટનાઓ ઘટી. થરાદની મુખ્ય કેનાલમાં એક પરિવારે મોતની છલાંગ લગાવ્યાની આશંકા છે. પતિ-પત્ની અને બે બાળકોએ કેનાલમાં ઝંપલાવ્યું. જેમાંથી બેનાં મૃતદેહ બહાર કઢાયા છે. બાદમાં અન્ય બે મૃતદેહો પણ મળી આવ્યા છે. તો બીજી તરફ થરાદની ઈઢાડા કેનાલમાં નાહવા પડેલા 3 બાળકોમાંથી બેનાં મોત થયા છે. જ્યારે એકને સ્થાનિકોએ બચાવી લીધો. આતરફ દાંતાના વણઝારા તળાવમાં નાહવા પડેલા યુવકનું મૃત્યું થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં એક પરિવારે એકસાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. થરાદની મુખ્ય કેનાલમાં પીલૂડાં ગામના પરિવારે છલાંગ લગાવ્યાની આશંકા છે. જેમાં પતિ, પત્ની અને બે બાળકોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યુ છે. બાઈક પર કેનાલ સુધી આવીને બાઈક મૂકીને પરિવારે મોતની છલાંગ લગાવી છે. સ્થાનિક તરવૈયાઓએ બેના મૃતદેહને બહાર કઢાયા છે. થરાદ ફાયર ફાઇટર અને સ્થાનિકોની મદદથી અન્ય બે મૃતદેહોને પણ શોધી લેવામાં આવ્યા છે. બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી લેવાયા છે.

તો બીજી દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે. થરાદની ઇઢાટા કેનાલમાં બે બાળકો નાહવા પડ્યા હતા. સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢયા છે. એક જ પરિવારના બે બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. આ ઉપરાંત દાંતાના વણઝારા તળાવમાં ડુબવાથી એક યુવકનું મોત થયું છે. આમ આજે બનાસકાંઠા જિલ્લામાં ડુબી જવાની ઘટનામાં કુલ સાત લોકો મોતને ભેંટયા છે. જેને કારણે સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો :Punjab: ફ્રી વીજળી માટે ‘આપ’ એ રાખી જનરલ કેટેગરી માટે શરત, ભાજપે કહ્યુ- સામાન્ય વર્ગ સાથે થઈ છેતરપિંડી

આ પણ વાંચો :ફૂટવેર બનાવતી આ કંપની આગામી મહીને લાવી રહી છે IPO, પોતાનુ નેટવર્ક વધારવાની કંપનીની યોજના

Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">