આસારામ બાપુને છાતીમાં દુખાવો ઉપડ્યો, ઈમરજન્સી વોર્ડમાં દાખલ
બળાત્કારના કેસમાં જેલની સજા ભોગવી રહેલા આસારામ બાપુને શ્વાસની તકલીફને કારણે મંગળવારે મોડી રાત્રે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બળાત્કારના કેસમાં જેલની સજા ભોગવી રહેલા આસારામ બાપુને શ્વાસની તકલીફને કારણે મંગળવારે મોડી રાત્રે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આસારામ બાપુને છાતી, ઘૂંટણ તેમજ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો હતી. તેમને બેચેની અનુભવાઈ હતી, જેલના દવાખાનામાં એક કલાક માટે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તે પછી તેમને જોધપુર સેન્ટ્રલ જેલથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ અહીં ઈસીજી અને બ્લડ ટેસ્ટ કર્યા પછી બપોરે 12:45 વાગ્યે મથુરાદાસ માથુર હોસ્પિટલ ખસેડાયા.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસારામ બાપુને હોસ્પિટલના સીસીયુમાં દાખલ કરાયા હતા. જોકે, તેમનો ઈસીજી રિપોર્ટ પણ નેગેટિવ હતો, પરંતુ બ્લડ રિપોર્ટ્સ અને છાતીમાં દુખાવો થવાને કારણે તેમને CCUમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાની માહિતી સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. જણાવી દઈએ કે આસારામ બાપુ પર સગીર પર બળાત્કારના મામલે જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.