AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોખડાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો, ગુણાતીત સ્વામીને બહાર કાઢવા સત્સંગી મહિલાઓ જીદે ચઢી, જાણો શું છે વિવાદ

હરિધામ સોખડા મંદિરમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર વિવાદમાં આવી રહ્યું છે. અનુજ નામના યુવાનને સંતો દ્વારા માર મારવાની ઘટનામાં રોજ નવા વળાંક આવી રહ્યા છે ત્યારે હવે સત્સંગી મહિલાઓએ પણ મોરચો ખોલી દીધો છે.

સોખડાનો વધુ એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો, ગુણાતીત સ્વામીને બહાર કાઢવા સત્સંગી મહિલાઓ જીદે ચઢી, જાણો શું છે વિવાદ
Another controversial video of Sokhada came to light Satsang women Allegation Gunatit Swami
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 1:19 PM
Share

વડોદરા (Vadodara) નજીક આવેલા હરિધામ સોખડા મંદિર (Haridham Sokhada Temple)માં અનુજ નામના યુવાનને માર મારવાની ઘટના બાદ હવે સત્સંગી મહિલાઓ દ્વારા ગુણાતિત સ્વામીના વિરોધ પ્રદર્શનને લઈને નવો વિવાદ ઉભો થયો છે. આ મહિલાઓ ગુણાતિત સ્વામીને મંદિરની બહાર કરવાની માગ સાથે વિરોધ કરી રહી છે.

સત્સંગી મહિલાઓએ મંદિરના ટ્રસ્ટીઓને જણાવ્યું છે કે જ્યાં સુધી ગુણાતિત સ્વામીને મંદિરની બહાર કરવામાં આવશે નહીં ત્યાં સુધી તેઓ પણ ધરણા પરથી ઉઠશે નહીં. તેઓએ મંદિરના વહિવટ માટે પ્રેમસ્વરૂપદાસ સ્વામી (Premaswarupdas Swami) અને પ્રબોધ સ્વામી (Prabodh Swami) ના જૂથને લઈને પણ માગણીઓ કરી છે.

મહિલાઓ હરિધામ સોખડા (Haridham Sokhada) મંદિરના વહિવટમાં કોઈ એક જ મુખ્ય માણસ હોવો જોઇએ તેવું જણાવી રહી છે તેઓ ટ્રેસ્ટીઓને કહી રહી છે કે આપણે એક જ બાપ હોય છે તેમ મંદિરના પણ એક જ વડા હોય છે. બે વડા નહીં ચલાવી લેવામાં આવે.

આ મહિલાઓએ ગુણાતિત સ્વામી પર તેના ચારિત્ર્યને લઈને પણ આક્ષેપો કર્યા છે. તેમણે અન્ય એક બ્રહ્મવિહારી સહિતના સ્વામીના નામ લઈને તેમના ચારિત્ર્ય પર આક્ષેપો કરવાની સાથે અશોકભાઈ નામના વ્યક્તિ દ્વારા પૈસામાં ગોટાળા કરયા હોવાના પણ આક્ષેપ કરાય છે.

મંદિરના વહિવટ માટે બે જૂથ વચ્ચેની સત્તાની ખેચતાણ?

ગુણાતિત સ્વામી જ પ્રબોધ સ્વામી હોવાનું પણ મંદિર સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. આથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના બે જુથ પડી ગયાં છે અને બંને વચ્ચે સત્તાની ખેચતાણમાં આ વિવાદ ઊભા થઈ રહ્યા છે.

સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણને ત્રીજી નોટિસ

સોખડા હરિધામમાં સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણને વડોદરા તાલુકા પોલીસે ત્રીજી નોટિસ ફટકારી છે. અનુજ ચૌહાણને ત્રણ દિવસમાં હાજર થવા પોલીસનું વધુ એક ફરમાન કર્યુ છે. અગાઉ 12 જાન્યુઆરી એ પોલીસે બીજી નોટિસ આપી નિવેદન નોંધાવવા બોલાવ્યો હતો.હવે અનુજ નિવેદન નોંધાવવા ન આવતા પોલીસે ત્રીજી નોટિસ ફટકારી છે.

આ પણ વાંચોઃ Vadodara: સોખડા હરિધામમાં સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણને ત્રીજી નોટિસ, ત્રણ દિવસમાં હાજર થવા પોલીસનું ફરમાન

આ પણ વાંચોઃ Vadodara: કેન્દ્રીય પ્રધાનના સર્કિટ હાઉસ જવાના રોડ પર દારૂની રેલમછેલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">