Anand: સરકારે કરોડોના ખર્ચે મીઠુ પાણી બનાવવાનો નાખ્યો હતો પ્લાન્ટ, પાલિકાની બેદરકારીના કારણે હાલ બંધ હાલતમાં

ખંભાતમાં (Khambhat) રહેતા નાગરિકો માટે મીઠું પાણી સ્વપ્ન જેવું છે. પાલિકા અને શાસકોની હવાઈ વાતોને કારણે આજે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ લોકોએ ક્ષારવાળું પાણી જ પીવું પડી રહ્યું છે.

Anand: સરકારે કરોડોના ખર્ચે મીઠુ પાણી બનાવવાનો નાખ્યો હતો પ્લાન્ટ, પાલિકાની બેદરકારીના કારણે હાલ બંધ હાલતમાં
Water Filtration Plant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:35 AM

ખંભાતની (Khambhat) ઓળખ એટલે ખંભાતનો અખાત. ખંભાતની ઓળખ એટલે અકીક ઉદ્યોગ. ખંભાતની ઓળખ એટલે હલવાસન અને સુતરફેણી, પણ લાગે છે કે ખંભાતની ઓળખમાં લોકોએ પીવું પડતું ક્ષારવાળું પાણી પણ ઉમેરવું પડશે. 1 લાખ 19 હજારની વસ્તી ધરાવતા ખંભાત શહેરમાં પેઢીઓથી ક્ષારવાળું ખારું પાણી નાગરિકો પી રહ્યા છે. જોકે રાજ્ય સરકારે લગભગ 10 વર્ષ પહેલાં નાગરિકોને મીઠુ પાણી પીવા માટે મળી રહે તે માટે કનેવાલ સરોવરથી 32 કી.મી. પાઇપલાઈન નાખીને ખંભાતના માધવલાલ સ્કૂલ પાછળ ફિલ્ટરેશન પ્લાન્ટ (Filtration plant) બનાવ્યો હતો. જેનો આશય કણેવાલ સરોવરમાં મહીં કેનાલમાંથી અપાતું પાણી મીઠું હોવાથી ખંભાતના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી (Pure drinking water) મળી રહે, પણ પાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે ફિલ્ટરેશન પ્લાન્ટ લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહયો છે.

ખંભાતમાં રહેતા નાગરિકો માટે મીઠું પાણી સ્વપ્ન જેવું છે. પાલિકા અને શાસકોની હવાઈ વાતોને કારણે આજે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ લોકોએ ક્ષારવાળું પાણી જ પીવું પડી રહ્યું છે. પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરી નાગરિકોને આપી શકાશે એવા હેતુ સાથે રાજ્ય સરકારે પ્લાન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ ખંભાત પાલીકાના સત્તાધીશોની બેદરકારી અને અણઆવડતને કારણે ફિલ્ટરેશન પ્લાન્ટ પોતે જ પાણી વગર બિસ્માર હાલતમાં ફેરવાઈ રહ્યો છે, જયારે આ અંગે માહિતી માટે tv 9એ પાલિકા કચેરીમાં તપાસ કરી તો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરો સુમસામ જોવા મળી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ હોવાના કારણો જાણવા tv9ની ટીમ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ પાસે પહોંચી હતી. તેમના જવાબો સાંભળતા તો લાગ્યું કે અહીંના અધિકારીઓને લોકોની સુવિધામાં કે પાણીની યોજના-બોજનામાં કોઈ રસ નથી. તેમને તો માત્ર હાજરી પૂરાવી પગાર લઈને ઘરે જવામાં જ રસ છે. આ તરફ રાજ્ય સરકારના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ એક વર્ષ પહેલાં જ જે પાલિકાના પ્રમુખ હતાં તે યોગેશભાઈએ નાગરિકોને R.O.નું પાણી વેચાતું આપવા ચાર પ્લાન્ટ ઉભા કરી દીધા.

આ તો થઈ ખર્ચો કરીને પાણી લેવાની વાત પણ અહીંના નાગરિકો પાલિકા પાસે મફત મીઠાં પાણીની માગ કરી રહ્યા છે અને ટેક્સ ભરતાં લોકોને મોટી સુવિધાઓ તો છોડો સાવ સામાન્ય જરૂરિયાતનું મીઠું પાણી પણ ન મળે એ જ કેવી આઘાતની વાત છે.

આ પણ વાંચો-Banaskantha: નડાબેટ બોર્ડર પર આજે સીમા દર્શન પ્રોજેક્ટનું લોકાર્પણ, પ્રવાસીઓ રીટ્રીટ સહિતના આકર્ષણો માણી શકશે

આ પણ વાંચો-આજે 954 કેન્દ્રો પર LRDની પરીક્ષા યોજાશે, પેપર ફૂટે નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત, રાજ્યભરમાંથી 2.9 લાખ ઉમેદવારો ભાગ લેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">