Anand : મહેસુલી મેળામાં મંત્રીએ 50 ટકાથી વધુ પ્રશ્નોનું નિરાકરણ કર્યું, કહ્યું સરકાર પારદર્શિતા માટે પ્રતિબદ્ધ

આણંદ કલેકટર કચેરી ખાતે રાજયનો ત્રીજો મહેસૂલી મેળો મહેસૂલ મંત્રી  રાજેન્દ્ર  ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ મહેસૂલી મેળાનો પ્રારંભ કરાવતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજાકીય પ્રશ્નોનો પ્રો-એકટીવ થઇ નિકાલ લાવવા માટેનો રાજય સરકારનો મકકમ નિર્ધાર છે.

Anand : મહેસુલી મેળામાં મંત્રીએ 50 ટકાથી વધુ પ્રશ્નોનું નિરાકરણ કર્યું, કહ્યું સરકાર પારદર્શિતા માટે પ્રતિબદ્ધ
Gujarat Revenue Minister Rajendra Trivedi At Revenue Fair Anand (File Image)
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:47 PM

ગુજરાતમાં આણંદ(Anand)  કલેકટર કચેરી ખાતે રાજયનો ત્રીજો મહેસૂલી મેળો(Revenue Fair)  મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની(Rajendra Trivedi )  અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મહેસૂલ મંત્રીએ જિલ્લામાંથી મહેસૂલ વિભાગને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત અર્થે આવેલ નાગરિકોને એક પછી એક એમ ક્રમાનુસાર સ્ટેજ પર બોલાવીને સંબંધિત અધિકારીઓને સાથે રાખી તેમના પ્રશ્નોને વાચા આપી ૫૦ ટકાથી વધુ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યા હતા. આ પ્રશ્નોની રજૂઆત દરમિયાન કેટલાંક નાગરિકો દ્વારા મહેસૂલી મેળા માટે એક કે બે દિવસ પહેલાં રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ આવી જતાં તેવા નાગરિકોને તેમના લાભો મંત્રીએ જે તે લાભાર્થીને રૂબરૂ સ્થળ ઉપર જ એનાયત કર્યા હતા. આ મહેસૂલી મેળામાં રજૂ થયેલ પ્રશ્નો પૈકી પચાસ ટકાથી પણ વધુ પ્રશ્નોનું હકારાત્મકતા સાથે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ મહેસૂલી મેળામાં પોતાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવતાં અરજદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

પારદર્શકતાથી કામ થાય તે માટે આયોજન

આણંદ કલેકટર કચેરી ખાતે રાજયનો ત્રીજો મહેસૂલી મેળો મહેસૂલ મંત્રી  રાજેન્દ્ર  ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ મહેસૂલી મેળાનો પ્રારંભ કરાવતા મંત્રી  રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજાકીય પ્રશ્નોનો પ્રો-એકટીવ થઇ નિકાલ લાવવા માટેનો રાજય સરકારનો મકકમ નિર્ધાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સરકારે ડિઝીટલ અને ઓનલાઇન માધ્યમની વ્યાપક વ્યવસ્થાઓ દ્વારા લોકોના કામ ઝડપથી અને પારદર્શકતાથી થાય તેવું આયોજનબધ્ધ કાર્ય હાથ ધર્યું છે.

યોજનાકીય લાભો સીધા મળે તે દિશામાં કામ

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સરકારી યોજનાઓના લાભો માટે ખર્ચાળ સોગંદનામાની જોગવાઇ નાબૂદ કરવામાં આવી હોવાનું જણાવી મહેસૂલી કાયદાઓને સરળ બનાવી ગરીબ, ગણોતિયા અને ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું કહ્યું હતું. પારદર્શક વહીવટ, ઝડપી નિર્ણય, ત્વરિત અમલ અને કોઇની દખલ વગર જન-જનને યોજનાકીય લાભો સીધા મળે તે દિશામાં સરકાર કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પ્રશ્નોનો હકારાત્મક અભિગમ સાથે ઉકેલ

મહેસૂલ મંત્રીએ કચ્છના ભૂકંપ દરમિયાન છત ગુમાવનાર નાગરિકોને સરકાર તેમજ વિવિધ સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓ તરફથી મકાનો બાંધી આપવામાં આવ્યા હતા તેવા એક લાખથી વધુ નાગરિકોને તેમના આવાસોના માલિકીના હકકો પણ આગામી સમયમાં આપવામાં આવનાર હોવાની જણાવી સરકાર નાગરિકોના હિતમાં અનેકવિધ પગલાં ભરી રહી હોવાનું ઉમેર્યું હતું. મહેસૂલ સહિતના તમામ કેસોમાં નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક અભિગમ સાથે ઉકેલ લાવવાની સાથે કોઇપણ નાગરિકોને તકલીફ ન પડે તેનું કાળજી રાખવા સહિત સમયમર્યાદામાં નિકાલ લાવવા સુચવ્યું હતું.

આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે જમીન ફાળવણી અંગેનો હુકમ

આણંદ જિલ્લાના મહેસૂલ વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકાગાળામાં કરવામાં આવેલ કામગીરી અને નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા બદલ મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે બોરસદ તાલુકા પંચાયત કચેરી માટે જમીન ફાળવણી અંગેનો આદેશ જિલ્લા પંચાયત પ્રમુખ  હંસાબેન પરમારને, વટાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે જમીન ફાળવણી અંગેનો હુકમ આરોગ્ય અધિકારીને અને પેટલાદ ખાતે પેટા તિજોરી કચેરીના બાંધકામ માટેની જમીન ફાળવણી અંગેનો હુકમ જિલ્લા તિજોરી અધિકારીને એનાયત કરવામાં આવ્યા હતા. જયારે કર્મચારીઓને નિયમિત હુકમો પણ એનાયત કર્યા હતા.

આ પણ વાંચો : Surat : ટ્રાફિક પોલીસને ખોટી રીતે દંડ ફટકારવો ભારે પડયો, શિક્ષકને દંડની રકમ પરત કરી

આ પણ વાંચો : Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">