Anand: બોરસદમાં પોલીસ જવાન પર ટ્રક ચઢાવી દેતા મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, ‘ઉચ્ચ અધિકારીઓ ગંભીરતા પૂર્વક કરશે તપાસ’
આણંદના (Anand) બોરસદમાં 19 જુલાઈએ રાત્રે ફરજ દરમિયાન પોલીસ જવાને એક શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ટ્રાફિક પોલીસકર્મી રાજકિરણને ટ્રકથી કચડી નાંખવામાં આવ્યો હતો.
આણંદના (Anand) બોરસદમાં (Borsad) પોલીસ (Police) જવાનો નાઈટ ડ્યુટી દરમિયાન હાઈવે પર શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહ્યા હતા. તે સમયે ફરજ બજાવતા પોલીસ જવાન પર ટ્રક ચડાવી દેવા બાબતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, તમામ ઉચ્ચ અધિકારીઓ ખૂબ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહ્યા છે. કઈ દિશામાં અને કયા કારણોસર ઘટના બની તેનું નિરીક્ષણ ડીજીપી જાતે કરી રહ્યા છે. પોલીસ પરિવાર અને પોલીસકર્મીઓને પરિવારની સાથે રહેવાની સૂચના આપવામાં આવી છે.
પોલીસ જવાન પર ટ્રક ચડાવી દેવા બાબતે ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે, ‘તમામ ઉચ્ચ અધિકારીઓ ખૂબ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહ્યા છે. ગુનેગારો પકડાઈ ગયા છે અને આગળની કાર્યવાહી ચાલું છે. ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે.’ આણંદના બોરસદમાં 19 જુલાઈએ રાત્રે ટ્રાફિક પોલીસકર્મી રાજકિરણને ટ્રકથી કચડી નાંખવામાં આવ્યો હતો. ફરજ દરમિયાન પોલીસ જવાને એક શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રકચાલકે રોકાવાને બદલે પોલીસ જવાન પર ટ્રક ચઢાવી દીધી હતી.
શું હતી ઘટના ?
આણંદ જિલ્લાના બોરસદમાં 19 જુલાઈએ પોલીસ (Police) જવાનો નાઈટ ડ્યુટી દરમિયાન હાઈવે પર શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ ટ્રકને પોલીસ જવાને રોકવાનો ઇશારો કર્યો હતો, ત્યારે ટ્રક ડ્રાઈવરે બ્રેક મારીને ટ્રક રોકી દેવાને બદલે ટ્રકનો પૂરપાટ દોડાવી મૂકી હતી અને પોલીસ જવાનને કચડી નાખી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ નામના પોલીસ જવાને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે જવાનને કચડીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પકડવા અન્ય પોલીસ જવાનો પાછળ ગયા હતા, પણ ટ્રક ડ્રાઈવર ટ્રક માણેજ ગામ પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકનો કબજો લઈ તેના માલિકની શોધ કરવાની અને તેના આધારે આ ટ્રક કોણ ચલાવી રહ્યું હતું તે શોધવાની કવાયત શરૂ કરી હતી. બીજી બાજુ સારવાર માટે દાખલ કરાયેલા જવાનનું સારવાર દરમિયાન મોત થયુ હતુ
આણંદના એસપી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે ગઈ રાત્રે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિરણસિંહ રાજ સહિતના જવાનોએ હાઈ વે પર એક શંકાસ્પદ ટ્રકને રોકવાની કોશિશ કરી હતી, પણ ટ્રક ચાલકે ટ્રક રોક્યો નહોતો. આથી કિરણસિંહે પોતાની પ્રાઇવેટ કારમાં ટ્રકનો પીછો કર્યો હતો અને બગોદરા તરફ જતા હાઈવે પર ટ્રકને આંતરી તેની આગળ કાર ઉભી રાખી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
આ વખતે પણ ટ્રક રોકવાને બદલે ટ્રક ચાલકે તેના પર ટ્રક ચડાવી દીધી હતી, જેમાં પોલીસ જવાન કિરણસિંહ રાજને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે. બીજી બાજુ ફરાર ટ્રક ચાલકની શોધ કરતાં તે ટ્રકને માણેજ ગામ પાસે બીનવારસી મુકીને ફરાર થઈ ગયો હતો. જોકે હાલ આરોપી ટ્રકચાલક પોલીસ સ્ટેશને હાજર થયો છે. પોલીસે આરોપી સામે IPC-304 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.