Anand : સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર વિધાર્થીને મરણોપરાંત Phdની ડીગ્રી એનાયત કરાશે

Anand : સરદાર પટેલ યુનિવર્સીટીના (Sardar Patel University) ઇતિહાસમાં પહેલી વાર વિધાર્થીને મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિધાર્થીનું કોરોનાના કારણે નવેમ્બર 2020નું નિધન થયું હતું.

Anand : સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર વિધાર્થીને મરણોપરાંત Phdની ડીગ્રી એનાયત કરાશે
સરદાર પટેલ યુનિવર્સિટી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 12:16 PM

Anand : કોરોના દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાને કારણે અનેક બાળકો અનાથ થયા છે તો ઘણા માતા-પિતાએ તેના વહાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો છે.

કોરોનાને કારણે ઘણા આશાસ્પદ વિધાર્થીઓએ પણ જીવ ગુમાવ્યો છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલા વિધાર્થીને સરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University) દ્વારા મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વાર મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવામાં આવી છે. કોરોનાના કારણે 23 નવેમ્બર 2020ના રોજ મુકેશ ચૌબે નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવક ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલતિ અલ્પેશ.એન.પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ સંસ્થાનો વિધાર્થી હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મુકેશ બાયોટેકનોલોજી વિભાગમાં દરિયાઈ લીલ અને શેવાળમાં મળતાં પ્રોટીન ઉપરથી મળતાં હાઈકોબીલીન પ્રોટીન ઉપર રિસર્ચ કરી રહ્યો હતો. જે માણસની નર્વસ સિસ્ટમ, ચેતાતંતુ અને અલઝામયર જેવા રોગ સામે રક્ષણ આપે છે.

આ અંગેના 7 ઈન્ટરનેશનલ રિસર્ચ પેપર પણ પબ્લીશ કરવામાં આવ્યાં હતાં. આ રિસર્ચમાં આગળ વધવા માટે મુકેશ ચૌબેનું વોશિંગ્ટન યુનિવર્સિટીમાં સીલેકશન પણ થયું હતું. મુકેશ 2014ની પીએચડી કરી રહ્યો હતો.

મુકેશના રિસર્ચ પેપર તેઓના ગાઈડ પ્રો. ડો.નીરજકુમાર સિંહે યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડી માટે રજૂ કરવામાં આવ્યા હતા. જેને યુનિવર્સિટીએ માન્ય રાખ્યો છે.

નોંધનીય છે કે, મુકેશની પીએચડી આ વર્ષ પૂર્ણ થવાનું હતું. આ માટે તેને થીસીસ સબમીટ કરાવી દીધા હતા. માત્ર વાયવા જ બાકી હતા. પરંતુ આ પહેલા જ કોરોનાના કારણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. યુનિવર્સિટીએ મુકેશ ચૌબેની મરણોપરાંત પીએચડી ડિગ્રી આપવાનુ નક્કી કર્યું છે. આ જાણીને દિવંગત મુકેશના માતા-પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા. મુકેશને ડિસેમ્બરના મધ્ય સુધીમાં મરણોપરાંત પીએચડીની ડિગ્રી આપવામાં આવશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">