AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ANAND : પેટલાદમાં 3 હજાર શ્રીમદ ભગવદ ગીતા અને શિક્ષાપત્રીના વિતરણનો કાર્યક્રમ, ઋષિકુમારોએ ગીતાજીના અધ્યાય 12નું સમૂહગાન કર્યું

ANAND : શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શિક્ષાપત્રી બંને ગ્રથોનું વાચન, શ્રવણ, મનન અને આચરણથી માનવમાત્રના જીવનના વ્યવહારિક પ્રશ્નોનું નિવારણ થાય છે. અને આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળે છે.

ANAND : પેટલાદમાં 3 હજાર શ્રીમદ ભગવદ ગીતા અને શિક્ષાપત્રીના વિતરણનો કાર્યક્રમ, ઋષિકુમારોએ ગીતાજીના અધ્યાય 12નું સમૂહગાન કર્યું
પેટલાદમાં 3 હજાર શ્રીમદ ભગવદ ગીતા અને શિક્ષાપત્રીના વિતરણનો કાર્યક્રમ
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jun 13, 2021 | 5:38 PM
Share

ANAND : શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શિક્ષાપત્રી બંને ગ્રથોનું વાચન, શ્રવણ, મનન અને આચરણથી માનવમાત્રના જીવનના વ્યવહારિક પ્રશ્નોનું નિવારણ થાય છે. અને આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળે છે. તેમજ સમાજના સકારત્મક પરિવર્તન માટે આ ગ્રંથો સક્ષમ છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા 700  શ્લોકમાં  ઉદ્બોધિત ગીતા અને ભગવાનશ્રી સ્વામિનારાયણ દ્વારા લખેલી શિક્ષાપત્રી “સર્વજીવ હિતાવહ” કલ્યાણકારી ગ્રંથ છે. બન્ને ગ્રંથો વર્તમાન માનવજીવનના આધારસ્તંભ છે.

ત્યારે આજે આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના ગોકુલધામ-નાર ખાતે 3000 શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શિક્ષાપત્રીના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સમારંભનો મંગલપ્રારંભ દિપ પ્રાગટ્યથી થયો. ગીતાજી અને શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યુ. સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ લયબધ્ધ રીતે ગીતાજીના અધ્યાય 12નું સમૂહગાન કર્યું. સમારંભમાં નાર મંદિરના પ.પૂ.શુકદેવ સ્વામીએ સંતોને તેમજ મહેમાનોને આવકાર આપ્યો.

આ પ્રસંગે વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામી ,સાળંગપુર મંદિરના કોઠારી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, સત્સંગના સમાજના પ્રમુખ નૌતમ સ્વામી તેમજ અમિતભાઇ જાની અને અન્ય રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વની વાત એ છે કે સ્વામીનારાયણ મંદિર વડતાલના સત્સંગી ધનલક્ષ્મીબેન કાંતિભાઇ પટેલની સ્મૃતિમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ફાલ્ગુનીબેન શૈલેષભાઇ પટેલ(યુ.એસ.એ.)નો અને શિક્ષાપત્રી માટે કોમલબેન કલ્પેશભાઇ પટેલ-નાર (યુ.એસ.એ.)નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને ગીતાજી અને શિક્ષાપત્રીનું પુજન કરી પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યુ હતું.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">