AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીમાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, દલખાણીયા રેન્જમાં મૃતદેહ મળતા વનવિભાગ દોડતું થયું

અમરેલીના દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં એક સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ વન વિભાગ પર વિલંબનો આરોપ લગાવ્યો છે.

Breaking News : અમરેલીમાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, દલખાણીયા રેન્જમાં મૃતદેહ મળતા વનવિભાગ દોડતું થયું
| Updated on: Jun 26, 2026 | 5:32 PM
Share

અમરેલી જિલ્લાના દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં વધુ એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. ગીર પૂર્વ ડિવિઝનમાં ફરી એકવાર સિંહના મોતની ઘટના સામે આવતા વનવિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.

સ્થાનિક લોકો દ્વારા સિંહનો મૃતદેહ જોવા મળ્યા બાદ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોના આક્ષેપ મુજબ દલખાણીયા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ઘટનાની જાણ થયા બાદ કલાકો પછી સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ વનવિભાગની ટીમે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સિંહના મોતનું ચોક્કસ કારણ હાલમાં સ્પષ્ટ થયું નથી. વનવિભાગના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું વાસ્તવિક કારણ જાણી શકાશે. હાલ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગીર પૂર્વ ડિવિઝનના જસાધાર સહિતના વિસ્તારોમાં અગાઉ પણ અનેક સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવી હતી. જોકે, તે કેસોના પોસ્ટમોર્ટમ અને તપાસના અહેવાલો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. એક મહિના બાદ પણ સરકાર અને વનવિભાગ તરફથી સત્તાવાર રિપોર્ટ જાહેર ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.

ફરી એકવાર સિંહના શંકાસ્પદ મોતની ઘટના સામે આવતા વનવિભાગની કામગીરી અને વન્યજીવ સંરક્ષણ વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે. હવે સૌની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે, જે બાદ જ સિંહના મોતનું સાચું કારણ સામે આવશે.

અમદાવાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, લક્ઝરી બસમાંથી ₹10 કરોડનું ટ્રામાડ્રોલ ઝડપાયું

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">