Amreli: કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ફરી વિવાદમાં, PGVCLના અધિકારીને ફોનમાં આપી ધમકી, સાંભળો ધમકીથી ભરપૂર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત (Congress MLA Pratap Dudhat) ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વિવાદમાં સપડાયા છે. પ્રતાપ દૂધાતની કથિત ઓડિયોક્લિપ વાયરલ થઈ છે.

Amreli: કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ફરી વિવાદમાં, PGVCLના અધિકારીને ફોનમાં આપી ધમકી, સાંભળો ધમકીથી ભરપૂર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ
Audio clip of Congress leader Pratap Dudhat with PGVCL employee goes viral over power supply
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 20, 2022 | 12:50 PM

અમરેલીમાં (Amreli) સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત (Congress MLA Pratap Dudhat) ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વિવાદમાં સપડાયા છે. પ્રતાપ દૂધાતની કથિત ઓડિયોક્લિપ વાયરલ થઈ છે.અધિકારીઓ ખેડૂતોને (Farmers) હેરાન કરશે તો માર મારતાં પણ અચકાઈશ નહીં એવા ધારાસભ્ય પ્રતાપ દૂધાતના ધમકીભર્યા શબ્દો બોલતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જેમાં તેઓ એક ખેડૂતના વીજળીના પ્રશ્નને લઈ PGVCLના અધિકારીને ફોન કરે છે અને ધમકીની ભાષામાં વાતચીત કરે છે.

ઓડિયો ક્લિપ વાયરલ થવા અંગે જ્યારે પ્રતાપ દૂધાતને પૂછવામાં આવ્યું તો તેઓ લાજવાને બદલે ગાજતા જોવા મળ્યા હતા. તેમણે ખુલ્લેઆમ અધિકારીઓને માર મારવાની ધમકી આપી. પ્રતાપ દૂધાતે કહ્યું કે, ‘મારા ખેડૂતનું અપમાન એ મારું અપમાન છે.’ તેમણે અધિકારીને અપશબ્દો બોલ્યાનો સ્વીકાર કર્યો. સાથે જ આક્ષેપ કર્યો કે, રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી અધિકારી રાજ ચાલે છે. અધિકારીઓ ઓફિસમાં દારૂ પીને બેસે છે. તેમણે ખુલ્લેઆમ ધમકી આપી કે જો અધિકારીઓ ખેડૂતોને હેરાન કરશે તો તેઓ માર મારતાં પણ અચકાશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 ગુજરાતીએ ધારાસભ્ય પ્રતાપ દૂધાત આટલા ગુસ્સે કેમ ભરાયેલા છે તે અંગેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં સામે આવ્યુ કે ધારાસભ્યના ઓળખીતા એક ખેડૂતે વીજળીના પ્રશ્ન બાબતે PGVCLના જેસર તાલુકાના અધિકારીને ફોન કર્યો હતો. તે સમયે અધિકારીએ એમ જણાવ્યું હતું કે રવિવારે રજા હોવાથી ફોન ન કરવો. ખેડૂતે આ વાતની જાણ ધારાસભ્યને કરી હતી. જે બાદ પ્રતાપ દૂધાતે તે અધિકારીને ફોન લગાવ્યો. જેની ઓડિયોક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં પ્રતાપ દૂધાત અપશબ્દો બોલતા સાંભળવા મળે છે. સાથે જ એવું કહેતા પણ સાંભળવા મળે છે કે PGVCLના કોલ સેન્ટર પર કોલ જ નથી લાગતો. જેથી ખેડૂતો રજૂઆત કોને કરે?

ભલે ધારાસભ્યએ એક ખેડૂતના પ્રશ્નને લઇને અવાજ ઉઠાવ્યો હોય, પણ અહીં સવાલ એ થાય છે કે પ્રજાના ચૂંટાયેલા નેતાઓ અધિકારીઓને શાંતિથી સમજાવાનો કે રજૂઆત કરવાનો પ્રયાસ ન કરી શા માટે પોતાની ધાક જમાવવાના પ્રયત્નો કરે છે,નેતાઓ એવું કેમ માની લે છે કે તેમને કોઈને પણ ધમકાવવાનો પરવાનો મળી ગયો છે.

આ પણ વાંચો-PM Modi in Gujarat Day 3 Live: મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ, ગાંધીનગર અને દાહોદમાં વિવિધ ઉદઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમો, આદિવાસી મહાસંમેલનને સંબોધશે

આ પણ વાંચો-PM Modi Visit Gujarat : ત્રણ દિવસના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ પડાવ, ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમ બાદ દિલ્હી પરત જશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">