AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli : ભારે જહેમત બાદ કિશોરનો જીવ લેનારી સિંહણ આખરે પાંજરે પૂરાઈ

સિંહણ ઉગ્ર હોવાને લીધે JCB ની મદદથી કિશોરનો મૃતદેહ છોડ઼ાવવામાં આવ્યો હતો. વન પાલો હડતાળ પર હોવાને કારણે આ સમગ્ર ઓપરેશનમાં SRPFના જવાનોની મદદ લેવામાં આવી હતી. સિંહણ પાંજેરે પૂરાતા  આસપાસના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે કિશોરના અકાળ મોતને કારણે તેના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો

Amreli : ભારે જહેમત બાદ કિશોરનો જીવ લેનારી સિંહણ આખરે પાંજરે પૂરાઈ
કિશોરનો શિકાર કરનારી સિંહણ પૂરાઈ પાંજરે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 9:01 AM
Share

અમરેલીના  (Amreli) રાજુલાના વાવડી ગામની સીમમાં સિંહણે  (Lioness) 15 વર્ષના કિશોરને ફાડી ખાવાની ઘટનામાં આ સિંહણને  પાંજેર પૂરવામાં વન વિભાગને સફળતા મળી હતી.  સૂતેલા કિશોરને  ઉપાડી જનારી સિંહણ સાથે તેના 4  સિંહબાળ પણ હોવાની  ચર્ચા હતી.  કિશોરના શિકારને પગલે  સ્થાનિકોમાં  ભય ફેલાઈ ગયો હતો.  આ ઘટનાની જાણ થતા  રાજુલા રેન્જના RFO, પોલીસ અને SRP જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે, રોષે ભરાયેલી સિંહણ કિશોરને છોડવા તૈયાર નહોતી ત્યારે JCBની મદદથી આશરે કલાકની મથામણ બાદ માંડ માંડ કિશોરના મૃતદેહને સિંહણના મોઢામાંથી છોડાવ્યો હતો. ત્યાર બાદ સિંહણને પાંજરે પુરવાના ઓપરેશનમાં વહેલી સવારે સફળતા મળી હતી અને  જેમાં સિંહણ અને ચાર સિંહબાળને પાંજરે  પૂરવામાં આવ્યા  હતા.

સૂતેલા કિશોરને ઉપાડ઼ી ગઈ હતી સિંહણ

આ ઘટના બાદ વન વિભાગ દોડતું થયું હતું અને મૃત કિશોરની તપાસ હાથ ધરી હતી.  તેમજ સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા એવી હતી કે કિશોરનો શિકાર કર્યા બાદ સિંહણે મૃત કિશોરનો મૃતદેહ પણ છોડ્યો નહોતો. ત્યાર બાદ વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણના મોઢામાંથી કિશોરના મૃતદેહને છોડાવ્યો હતો. સિંહણ ઉગ્ર હોવાને લીધે JCB ની મદદથી કિશોરનો મૃતદેહ છોડ઼ાવવામાં આવ્યો હતો.  વન પાલો હડતાળ પર હોવાને કારણે આ સમગ્ર ઓપરેશનમાં SRPFના જવાનોની મદદ લેવામાં આવી હતી.   સિંહણ પાંજેરે પૂરાતા  આસપાસના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે કિશોરના અકાળ મોતને કારણે તેના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો

Amreli lioness

સિંહણ ઉગ્ર હોવાને લીધે JCB ની મદદથી કિશોરનો મૃતદેહ છોડ઼ાવવામાં આવ્યો હતો.

અમરેલીના જ બાબરકોટમાં જૂલાઇ મહિનામાં આ પ્રકારની  ઘટના બની હતી. જેમાં  સિંહણે એક પછી એક  6 જણને બચકું  ભરતા વન વિભાગે આ સિંહણને અસ્થિર મગજની જાહેર કરી હતી અને બાદમાં આ સિંહણનુ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે થયું હતું.  અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક 2 દિવસ પહેલા સિંહણે હાહાકાર મચાવ્યો હતો હતો. એક જ દિવસમાં સવારે તથા સાંજે ગ્રામજનો પર હુમલા કર્યા હતા તેથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવતા હતા. એક સાથે 6 લોકો ઉપર હુમલા કર્યા હતા અને અફડા તફડી મચાવી હતી. 23 કલાક સુધી વનવિભાગના  અધિકારીઓના કાફલા સાથે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">