Amreli : કિશોરને ફાડી ખાનાર સિંહણને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત

આ ગંભીર ઘટનાની જાણ  થતા જ અમરેલી વનવિભાગની ટીમ સહિત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હોકાર પડકારા કરવા છતાં સિંહણે કિશોરનો મૃતદેહ તેના મોંમાંથી છોડ્યો નહોતો.

Amreli : કિશોરને ફાડી ખાનાર સિંહણને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત
સિંહણ કર્યો કિશોરનો શિકાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 9:34 AM

અમરેલીના  (Amreli) રાજુલાના વાવડી ગામની સીમમાં સિંહણે  (Lioness) 15 વર્ષના કિશોરને ફાડી ખાવાની ઘટનાથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ વન વિભાગ દોડતું થયું હતું અને મૃત કિશોરની તપાસ હાથ ધરી હતી. તેમજ સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા એવી હતી કે કિશોરનો શિકાર કર્યા બાદ સિંહણે મૃત કિશોરનો મૃતદેહ પણ છોડ્યો નહોતો. ત્યાર બાદ વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણના મોઢામાંથી કિશોરના મૃતદેહને છોડાવ્યો હતો. હાલ તો વનવિભાગની (Forest Department) ટીમે પોલીસની મદદથી  પાંજરા ગોઠવી સિંહણને પકડવા કવાયત શરૂ કરી હતી. નોંધનીય છે કે હાલમાં વનવિભાગના કર્મચારીઓ હડતાળ ઉપર હોવાથી SRP જવાનોને બોલાવવામાં આવ્યા હતા.

પ્રાથમિક વિગતો એવી પ્રાપ્ત થઈ છે કે આ ગંભીર ઘટનાની જાણ  થતા જ અમરેલી વનવિભાગની ટીમ સહિત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને  હોકાર પડકારા કરવા છતાં સિંહણે  કિશોરનો મૃતદેહ તેના મોંમાંથી  છોડ્યો નહોતો અને તે સિંહણ અન્ય લોકોને પણ નુકસાન કરે  તેવી શક્યતા હતા આથી તંત્રએ દ્વારા  જેસીબી  મશીન મંગાવવામાં આવ્યું હતું અને ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ સિંહણના મોઢામાંથી  છોડાવ્યો હતો.  આ ઘટનામાં હવે  વન વિભાગ દ્વારા સિંહણની તપાસ કરીને  તે માનવભક્ષી બની છેકે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.

જૂલાઇ મહિનામાં બની હતી આવી ઘટના

અમરેલીના જ બાબરકોટમાં જૂલાઇ મહિનામાં આ પ્રકારની  ઘટના બની હતી જેમાં  સિંહણે એક પછી એક  6 જણને બચકું  ભરતા વન વિભાગે આ સિંહણને અસ્થિર મગજની જાહેર કરી હતી અને બાદમાં આ સિંહણનુ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે થયું હતું.  અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક 2 દિવસ પહેલા સિંહણે હાહાકાર મચાવ્યો હતો હતો. એક જ દિવસમાં સવારે તથા સાંજે ગ્રામજનો પર હુમલા કર્યા હતા તેથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવતા હતા. એક સાથે 6 લોકો ઉપર હુમલા કર્યા હતા અને અફડા તફડી મચાવી હતી. 23 કલાક સુધી વનવિભાગના  અધિકારીઓના કાફલા સાથે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">