AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: જાફરાબાદના કડીયાળી ગામે ડાયાબીટીસ મટાડવાની વિધિના નામે તાંત્રિકે 3.30 લાખ પડાવી લીધા

તાંત્રિકે ધુપ વિધી માટે રૂપિયા 5.25 લાખ માગતાં ગભરૂભાઇએ સગાસંબંધીઓ પાસેથી અને પત્નીના દાગીના વેચી સવા ત્રણ લાખની રોકડ એકઠી કરી હતી. અને ગુરૂના જણાવ્યા મુજબ તેમણે મોકલેલા શખ્સને આ રકમ આપી હતી. ત્યારબાદ આ શખ્સે ન તો કોઇ દવા મોકલી કે ન તો વિધી કરી અને તેના ફોન બંધ થઇ ગયા હતા.

Amreli: જાફરાબાદના કડીયાળી ગામે ડાયાબીટીસ મટાડવાની વિધિના નામે તાંત્રિકે 3.30 લાખ પડાવી લીધા
Symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 9:06 AM
Share

લોકોમાં એજ્યુકેશનનું સ્તર વધી રહ્યું છે છતાં અંધશ્રદ્ધા ઓછી થતી નથી. આવો જ એક કિસ્સો અમરેલી (Amreli) જિલ્લાના જાફરાબાદના એક ગામમાં બન્યો છે. જાફરાબાદ (Jafrabad)  તાલુકાના કડીયાળી ગામના યુવકના પુત્રને ડાયાબીટીસ (diabetes) ની બિમારી હોય સાધુ વેશે આવેલા શખ્સે અન્ય બે શખ્સોની સાથે મળી ડાયાબીટીસની દવા બનાવી આપવા અને વિધી કરી આપવાના બહાને રૂપિયા 3.30 લાખની છેતરપીંડી આચરતા મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો છે. છેતરપીંડીની આ ઘટના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામના ગભરૂભાઇ જગાભાઇ સોલંકી નામના ખેડૂત (Farmer) સાથે બની હતી.

ગોપાલદાસબાપુ નામના ઠગ સાધુ અને બે અજાણ્યા શખ્સો દ્વારા આ છેતરપીંડી આચરવામા આવી હતી. ગભરૂભાઇને સંતાનમા 19 વર્ષનો ભાવેશ નામનો પુત્ર છે જે ડાયાબીટીસની બિમારીથી પીડાઇ રહ્યો છે. ગત તારીખ 24-2ના રોજ પોતાના પરિવાર સાથે ઘરે હતા ત્યારે સાધુના વેશમાં ગોપાલદાસ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને દાન દક્ષિણા લીધી હતી.

ગભરૂભાઇએ પોતાના પુત્રની બિમારી વિશે વાત કરતા તેણે આબુમાં રહેતા પોતાના ગુરૂ દવા બનાવી આપશે તેવી ખાતરી આપી હતી. અને ગભરૂભાઇ સાથે મોબાઇલ નંબરની આપલે કરી હતી. ત્યારબાદ એકાદ માસ પછી તેમના મોબાઇલમા આ ગોપાલદાસના ગુરૂનો ફોન આવ્યો હતો અને બધા દુખ દુર થઇ જશે તેમ કહી વિધી કરવા માટે રૂપિયા 5100નો ખર્ચ જણાવ્યો હતો. અને ચોટીલા બોલાવી રાત્રીના સમયે અંધકારમા ધાર્મિક વિધી કરી હતી.

​​​​​​​​​​​​​​ત્યારબાદ બીજા દિવસે ફરી તેમને મોબાઇલ કોલ કરી રૂપિયા 5.25 લાખ ધુપ વિધી માટે મંગાવ્યા હતા. ગભરૂભાઇએ સગાસંબંધીઓ પાસેથી અને પત્નીના દાગીના વેચી સવા ત્રણ લાખની રોકડ એકઠી કરી હતી. અને ગુરૂના જણાવ્યા મુજબ તેમણે મોકલેલા શખ્સને આ રકમ આપી હતી. ત્યારબાદ આ શખ્સે ન તો કોઇ દવા મોકલી કે ન તો વિધી કરી અને તેના ફોન બંધ થઇ ગયા હતા. જેથી પોતાની સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થતા આખરે તેમણે જાફરાબાદ શહેર પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ 18 એપ્રિલે લેવાશે ગુજકેટની પરીક્ષા, ભાવનગરમાંથી 4948 વિદ્યાર્થી નોંધાયા

આ પણ વાંચોઃ Surendranagar: વઢવાણમાં સગીરા સાથે બ્રેકઅપ બાદ યુવકે તેના ચુંબન કરતા ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દીધા, ઠપકો આપવા જતાં ધીંગાણુ, 6ની ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">