Amreli: દરિયાકાંઠે લગાડવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ, મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી

જાફરાબાદના (Jafrabad) દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ (Boat) જાફરકબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી,

Amreli: દરિયાકાંઠે લગાડવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ, મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી
Amreli: Signal number 3 posted on coast
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 10:46 PM

હાલમાં રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે, ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠે ભારે પવન અને સૌરાષ્ટ્રના  દરિયામાં ભારે  કરંટ જોવા મળ્યો હતો અને અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું. હાલમાં જાફરાબાદના (Jafrabad) દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ  (Boat) જાફરકબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી

દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટો જાફરાબાદના કિનારે પહોંચી હતી તો જાફરાબાદની માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં દરિયાકાંઠે પહોંંચશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા થયા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વેરાવળના દરિયામાં કરંટ અને પવનને પગલે તૂટી ગઈ બોટ

નોંધનીય છે કે બે દિવસથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજથી સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં (Arabian Sea) સર્જાયેલા લો પ્રેશરને કારણે ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું હતું. તેમજ 10થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાઈ લો પ્રેશર આગામી 48 કલાકમાં વધુ સક્રિય બની શકે છે.

ગીર સોમનાથમાં કોડીનારના મૂળ દ્વારકાના દરિયાકિનારે  (Arabian Sea) બની હતી. બોટ માલિકની બોટમાં માછીમારો દરિયામાં માછીમારી (Fishermen) કરવા માટે ગયા હતા, પરંતુ ભારે પવન અને વરસાદી વાતાવરણને કારણે તેઓ દરિયામાંથી પરત આવી ગયા હતા. જોકે બોટ કાંઠે આવી ગયા બાદ માછીમારો તેને સરખી લાંગરી શકયા નહોતા અને ભારે પવનને કારણે બોટ સતત હાલક ડોલક થતી હતી અને દરિયાના મોજાની થપાટો અને પવનને કારણે છેવટે બોટ તૂટી ગઈ હતી. કાંઠે ઉભેલા લોકો નજીક હોવા છતાં બોટને સુરક્ષિત લાંગરવામાં મદદ કરી શકયા નહોતા તેમજ અંદરથી માલ પણ કાઢી શકાયો નહતો અને થોડીક જ વારમાં હાલકડોલક થતી બોટ વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જોકે બોટની અંદર બેઠેલા માછીમારો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા અને સદભાગ્યે જાનહાનિ ટળી ગઈ હતી.

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે લોઢવા ગામે જાણે વાવાઝોડું આવી ગયું હોય તેમ તોફાની પવન સાથે પડેલા વરસાદે થોડી વારમાં ભારે તારાજી કરી હતી અને પવનને કારણે વીજપોલ, વૃક્ષો અને છાપરાં ઉડી ગયા હતા તેમજ રહેણાંક વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">