Amreli: જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, હવામાન ખાતાની આગાહીને પગલે તંત્ર એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે અમરેલીના જાફરાબાદ બંદર પર એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી દિવસો દરમિયાન વરસાદ તેમજ પવનની ગતિ વધવાની શક્યતાઓ છે.
Amreli: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહીને (Heavy rain forecast) પગલે અમરેલીના જાફરાબાદ બંદર પર એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી દિવસો દરમિયાન વરસાદ તેમજ પવનની ગતિ વધવાની શક્યતાઓ છે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજે વલસાડ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અને રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે 29 અને 30 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 29 જૂને ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગર ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને હળવો વરસાદ પડશે.