AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાઉતે વાવાઝોડાની તબાહી બાદ માંડ બેઠા થયા અમરેલીના ખેડૂત, 2 વર્ષ બાદ અમરેલીના આંબા પર મોર લાગતા ખેડૂતો ખુશ ખુશાલ

Amreli News : 2 વર્ષ અગાઉ તાઉતે વાવાઝોડાએ ખેડૂતોનો આ હરખ છીનવી લીધો હતો. કેરીનો તૈયાર પાક ખરી પડ્યો હતો અને આંબા જમીનદોસ્ત થયા હતા. આંબા સાથે ખેડૂતોની વર્ષોની મહેનત પણ ધરાશાયી થઇ હતી

તાઉતે વાવાઝોડાની તબાહી બાદ માંડ બેઠા થયા અમરેલીના ખેડૂત, 2 વર્ષ બાદ અમરેલીના આંબા પર મોર લાગતા ખેડૂતો ખુશ ખુશાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 12:16 PM
Share

કેરીના શોખીનો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવી પ્રબળ શક્યતા છે. અમરેલીના ખેડૂતો આંબાનો મોર જોઇને હરખાઇ રહ્યા છે. અમરેલીમાં તાઉતે વાવાઝોડાની તબાહી બાદ પહેલી વખત આ વર્ષે કેસર કેરી આવશે ખેડૂતોના કહેવા પ્રમાણે અત્યાર સુધીનો રેકોડ બ્રેક ફળ આવી રહ્યું છે અને ઉત્પાદન પણ સારું એવું હોવાને કારણે કેસર કેરી આ વર્ષે મોંઘી નહિ મળે આવતા મહિને માર્કેટમાં આવી શકે છે

આંબા પર મોર ઝુલતા જોઇ ખેડૂતો હરખમાં

2 વર્ષ અગાઉ તાઉતે વાવાઝોડાએ ખેડૂતોનો આ હરખ છીનવી લીધો હતો. કેરીનો તૈયાર પાક ખરી પડ્યો હતો અને આંબા જમીનદોસ્ત થયા હતા. આંબા સાથે ખેડૂતોની વર્ષોની મહેનત પણ ધરાશાયી થઇ હતી અને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને આશંકા હતી કે ફરી બેઠાં થતાં વર્ષો લાગી જશે.

પરંતુ આ વર્ષે આંબા પર મોર મહાલી રહ્યો છે. આંબાના પાન ઓછા અને મોરના ફૂલ વધુ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને આશા છે કે તાઉતેએ મચાવેલી તબાહી આ વર્ષે સરભર થશે અને કેરીનું માતબર ઉત્પાદન તેઓને મોટો લાભ કરાવશે.

એક જ ગામમાં 50 થી 70 હજાર આંબા

રાજુલા તાલુકાના વડ ગામમા મોગભાગે ખેડૂતો આંબાનું વાવેતર વર્ષોથી કરી રહ્યા છે. જેના કારણે અહીં એકજ ગામમાં 50 થી 70 હજાર જેટલા આંબા છે. કેરીનો પાક સારો થતો હોવાથી આ ગામની કેસર કેરી પણ રાજકોટ ગોંડલ જૂનાગઢ સૌરાષ્ટ્રભરમાં અને રાજસ્થાન સુધી સપ્લાય કરવામાં આવે છે.

તો કેટલાક લોકો આ ગામની કેરી વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ બે વર્ષથી આ તાઉતે વાવાઝોડાના કારણે કેરીઓ મળતી નહોતી અને આ વર્ષે કેસર કેરીનો સ્વાદ બધા લોકોને ચાખવા મળશે તે નક્કી છે. જેના કારણે ગામના ખેડૂતો પણ વધુ ઉત્પાદન થવાના કારણે ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

તાઉતે વાવાઝોડામાં થયુ હતુ કરોડોનું નુકસાન

તાઉતે વાવાઝોડામાં માત્ર વડ ગામના લોકોનો જ બાગાયતી ખેતીમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું હતું, પરંતુ કહેવત છે ને કુદરત લઈ લે તેમ આપી પણ કુદરત જ દે છે. જ્યારે અહીં અમરેલી જિલ્લામાં રાજુલા, સાવરકુંડલા, ધારી, ચલાલા મોટાભાગના વિસ્તારમાં જ્યાં કેરીના વાવેતર છે, ત્યાં સારો એવો મબલક પાક ખીલ્યો છે. જેના કારણે ખેડૂતોનું આ વર્ષ પણ સારું જાય તેવી શકયતા છે.

Follow Us
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
g clip-path="url(#clip0_868_265)">