AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાઉતે વાવાઝોડાની તબાહી બાદ માંડ બેઠા થયા અમરેલીના ખેડૂત, 2 વર્ષ બાદ અમરેલીના આંબા પર મોર લાગતા ખેડૂતો ખુશ ખુશાલ

Amreli News : 2 વર્ષ અગાઉ તાઉતે વાવાઝોડાએ ખેડૂતોનો આ હરખ છીનવી લીધો હતો. કેરીનો તૈયાર પાક ખરી પડ્યો હતો અને આંબા જમીનદોસ્ત થયા હતા. આંબા સાથે ખેડૂતોની વર્ષોની મહેનત પણ ધરાશાયી થઇ હતી

તાઉતે વાવાઝોડાની તબાહી બાદ માંડ બેઠા થયા અમરેલીના ખેડૂત, 2 વર્ષ બાદ અમરેલીના આંબા પર મોર લાગતા ખેડૂતો ખુશ ખુશાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 12:16 PM
Share

કેરીના શોખીનો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવી પ્રબળ શક્યતા છે. અમરેલીના ખેડૂતો આંબાનો મોર જોઇને હરખાઇ રહ્યા છે. અમરેલીમાં તાઉતે વાવાઝોડાની તબાહી બાદ પહેલી વખત આ વર્ષે કેસર કેરી આવશે ખેડૂતોના કહેવા પ્રમાણે અત્યાર સુધીનો રેકોડ બ્રેક ફળ આવી રહ્યું છે અને ઉત્પાદન પણ સારું એવું હોવાને કારણે કેસર કેરી આ વર્ષે મોંઘી નહિ મળે આવતા મહિને માર્કેટમાં આવી શકે છે

આંબા પર મોર ઝુલતા જોઇ ખેડૂતો હરખમાં

2 વર્ષ અગાઉ તાઉતે વાવાઝોડાએ ખેડૂતોનો આ હરખ છીનવી લીધો હતો. કેરીનો તૈયાર પાક ખરી પડ્યો હતો અને આંબા જમીનદોસ્ત થયા હતા. આંબા સાથે ખેડૂતોની વર્ષોની મહેનત પણ ધરાશાયી થઇ હતી અને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને આશંકા હતી કે ફરી બેઠાં થતાં વર્ષો લાગી જશે.

પરંતુ આ વર્ષે આંબા પર મોર મહાલી રહ્યો છે. આંબાના પાન ઓછા અને મોરના ફૂલ વધુ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને આશા છે કે તાઉતેએ મચાવેલી તબાહી આ વર્ષે સરભર થશે અને કેરીનું માતબર ઉત્પાદન તેઓને મોટો લાભ કરાવશે.

એક જ ગામમાં 50 થી 70 હજાર આંબા

રાજુલા તાલુકાના વડ ગામમા મોગભાગે ખેડૂતો આંબાનું વાવેતર વર્ષોથી કરી રહ્યા છે. જેના કારણે અહીં એકજ ગામમાં 50 થી 70 હજાર જેટલા આંબા છે. કેરીનો પાક સારો થતો હોવાથી આ ગામની કેસર કેરી પણ રાજકોટ ગોંડલ જૂનાગઢ સૌરાષ્ટ્રભરમાં અને રાજસ્થાન સુધી સપ્લાય કરવામાં આવે છે.

તો કેટલાક લોકો આ ગામની કેરી વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ બે વર્ષથી આ તાઉતે વાવાઝોડાના કારણે કેરીઓ મળતી નહોતી અને આ વર્ષે કેસર કેરીનો સ્વાદ બધા લોકોને ચાખવા મળશે તે નક્કી છે. જેના કારણે ગામના ખેડૂતો પણ વધુ ઉત્પાદન થવાના કારણે ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

તાઉતે વાવાઝોડામાં થયુ હતુ કરોડોનું નુકસાન

તાઉતે વાવાઝોડામાં માત્ર વડ ગામના લોકોનો જ બાગાયતી ખેતીમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું હતું, પરંતુ કહેવત છે ને કુદરત લઈ લે તેમ આપી પણ કુદરત જ દે છે. જ્યારે અહીં અમરેલી જિલ્લામાં રાજુલા, સાવરકુંડલા, ધારી, ચલાલા મોટાભાગના વિસ્તારમાં જ્યાં કેરીના વાવેતર છે, ત્યાં સારો એવો મબલક પાક ખીલ્યો છે. જેના કારણે ખેડૂતોનું આ વર્ષ પણ સારું જાય તેવી શકયતા છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">