AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાઉતે વાવાઝોડાની તબાહી બાદ માંડ બેઠા થયા અમરેલીના ખેડૂત, 2 વર્ષ બાદ અમરેલીના આંબા પર મોર લાગતા ખેડૂતો ખુશ ખુશાલ

Amreli News : 2 વર્ષ અગાઉ તાઉતે વાવાઝોડાએ ખેડૂતોનો આ હરખ છીનવી લીધો હતો. કેરીનો તૈયાર પાક ખરી પડ્યો હતો અને આંબા જમીનદોસ્ત થયા હતા. આંબા સાથે ખેડૂતોની વર્ષોની મહેનત પણ ધરાશાયી થઇ હતી

તાઉતે વાવાઝોડાની તબાહી બાદ માંડ બેઠા થયા અમરેલીના ખેડૂત, 2 વર્ષ બાદ અમરેલીના આંબા પર મોર લાગતા ખેડૂતો ખુશ ખુશાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 12:16 PM
Share

કેરીના શોખીનો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવી પ્રબળ શક્યતા છે. અમરેલીના ખેડૂતો આંબાનો મોર જોઇને હરખાઇ રહ્યા છે. અમરેલીમાં તાઉતે વાવાઝોડાની તબાહી બાદ પહેલી વખત આ વર્ષે કેસર કેરી આવશે ખેડૂતોના કહેવા પ્રમાણે અત્યાર સુધીનો રેકોડ બ્રેક ફળ આવી રહ્યું છે અને ઉત્પાદન પણ સારું એવું હોવાને કારણે કેસર કેરી આ વર્ષે મોંઘી નહિ મળે આવતા મહિને માર્કેટમાં આવી શકે છે

આંબા પર મોર ઝુલતા જોઇ ખેડૂતો હરખમાં

2 વર્ષ અગાઉ તાઉતે વાવાઝોડાએ ખેડૂતોનો આ હરખ છીનવી લીધો હતો. કેરીનો તૈયાર પાક ખરી પડ્યો હતો અને આંબા જમીનદોસ્ત થયા હતા. આંબા સાથે ખેડૂતોની વર્ષોની મહેનત પણ ધરાશાયી થઇ હતી અને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને આશંકા હતી કે ફરી બેઠાં થતાં વર્ષો લાગી જશે.

પરંતુ આ વર્ષે આંબા પર મોર મહાલી રહ્યો છે. આંબાના પાન ઓછા અને મોરના ફૂલ વધુ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને આશા છે કે તાઉતેએ મચાવેલી તબાહી આ વર્ષે સરભર થશે અને કેરીનું માતબર ઉત્પાદન તેઓને મોટો લાભ કરાવશે.

એક જ ગામમાં 50 થી 70 હજાર આંબા

રાજુલા તાલુકાના વડ ગામમા મોગભાગે ખેડૂતો આંબાનું વાવેતર વર્ષોથી કરી રહ્યા છે. જેના કારણે અહીં એકજ ગામમાં 50 થી 70 હજાર જેટલા આંબા છે. કેરીનો પાક સારો થતો હોવાથી આ ગામની કેસર કેરી પણ રાજકોટ ગોંડલ જૂનાગઢ સૌરાષ્ટ્રભરમાં અને રાજસ્થાન સુધી સપ્લાય કરવામાં આવે છે.

તો કેટલાક લોકો આ ગામની કેરી વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ બે વર્ષથી આ તાઉતે વાવાઝોડાના કારણે કેરીઓ મળતી નહોતી અને આ વર્ષે કેસર કેરીનો સ્વાદ બધા લોકોને ચાખવા મળશે તે નક્કી છે. જેના કારણે ગામના ખેડૂતો પણ વધુ ઉત્પાદન થવાના કારણે ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

તાઉતે વાવાઝોડામાં થયુ હતુ કરોડોનું નુકસાન

તાઉતે વાવાઝોડામાં માત્ર વડ ગામના લોકોનો જ બાગાયતી ખેતીમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું હતું, પરંતુ કહેવત છે ને કુદરત લઈ લે તેમ આપી પણ કુદરત જ દે છે. જ્યારે અહીં અમરેલી જિલ્લામાં રાજુલા, સાવરકુંડલા, ધારી, ચલાલા મોટાભાગના વિસ્તારમાં જ્યાં કેરીના વાવેતર છે, ત્યાં સારો એવો મબલક પાક ખીલ્યો છે. જેના કારણે ખેડૂતોનું આ વર્ષ પણ સારું જાય તેવી શકયતા છે.

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">