અમદાવાદનુ કાંકરિયા તળાવ પરીસર આજથી લોકો માટે સંપૂર્ણ ખુલ્લુ
કોરોનાની મહામારીને લઈને બંધ રહેલ કાંકરીયા તળાવ પરીસર આજથી લોકો માટે સંપૂર્ણપણે ખુલ્લુ છે. કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે તબક્કાવાર કાંકરિયા પરીસરને ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું. લગભગ 20 દિવસ પૂર્વે જ કાંકરિયા પરીસરમાં આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય ખુલ્લુ મૂકાયુ હતું. પરંતુ તેને નબળો પ્રતિસાદ મળ્યો હતો. લોકો કોરોનાનું સંક્રમણ થવાના ભયે પુરતી સંખ્યામાં […]
કોરોનાની મહામારીને લઈને બંધ રહેલ કાંકરીયા તળાવ પરીસર આજથી લોકો માટે સંપૂર્ણપણે ખુલ્લુ છે. કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે તબક્કાવાર કાંકરિયા પરીસરને ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું. લગભગ 20 દિવસ પૂર્વે જ કાંકરિયા પરીસરમાં આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય ખુલ્લુ મૂકાયુ હતું. પરંતુ તેને નબળો પ્રતિસાદ મળ્યો હતો. લોકો કોરોનાનું સંક્રમણ થવાના ભયે પુરતી સંખ્યામાં કાંકરિયા પરીસર ખાતે આવતા નથી. આવા સમયે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ, કાંકરિયા પરીસરમાં આવેલ તમામ પ્રકારની રાઈડ અને ગેમ્સને લોકો માટે ખુલ્લી મૂકી છે. જો કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે તેવુ સત્તાધીશો કહી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો