લો બોલો ! હવે સ્મશાનમાં પણ લાકડા કૌભાંડ, લાકડા પુરા પાડતી સંસ્થાઓને અત્યાર સુધીમાં 15 નોટિસ, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં

Ahmedabad News: અંતિમવિધી માટે કુલ 24 સ્મશાનગૃહોનું સંચાલન કરવામાં આવે છે. તે સ્મશાનગૃહોમાં મૃતકની અંતિમવિધી માટે લાકડા પણ પુરા પાડવામાં આવે છે. તે લાકડા પુરા પાડવા માટે જયશ્રી કૃષ્ણ સેવા સંધ અને સમભાવ સેવા સંઘ નામની સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે.

લો બોલો ! હવે સ્મશાનમાં પણ લાકડા કૌભાંડ, લાકડા પુરા પાડતી સંસ્થાઓને અત્યાર સુધીમાં 15 નોટિસ, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 19, 2023 | 7:22 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના કોંગ્રેસ પક્ષના નેતાએ સ્મશાનગૃહમાં વપરાતા લાકડામાં પણ કૌભાંડ ચાલતુ હોવાના આક્ષેપ લગાવ્યા છે. તેમના ગંભીર આક્ષેપ કે સ્મશાનગૃહોમાં મૃતકોની અંતિમવિધીમાં પણ હીન કક્ષાનો ભષ્ટ્રાચાર આચરાતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નગરજનોને જીવતે જીવ તો ખરું પણ મૃત્યુ બાદ પણ ભષ્ટ્રાચાર સહન કરવો પડે છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો- સુરતથી ગાંજો લઈને અમદાવાદ આવી રહેલા આરોપીને SOGએ ઝડપી લીધો, આરોપી 13 વર્ષથી ગાંજાના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું ખુલ્યુ

અંતિમવિધી માટે લાકડા પણ પુરા પાડવા બે સંસ્થાને કોન્ટ્રાક્ટ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં મૃતકોની અંતિમવિધી માટે કુલ 24 સ્મશાનગૃહોનું સંચાલન કરવામાં આવે છે. તે સ્મશાનગૃહોમાં મૃતકની અંતિમવિધી માટે લાકડા પણ પુરા પાડવામાં આવે છે. તે લાકડા પુરા પાડવા માટે જયશ્રી કૃષ્ણ સેવા સંધ અને સમભાવ સેવા સંઘ નામની સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે, તે દરેક સંસ્થાઓને 12 સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ મળેલો છે. તે કોન્ટ્રાકટરો દ્વારા પ્રતિ વ્યક્તિ રૂ.799 ચાર્જ વસુલ કરવામાં આવે છે. જ્યારે ખરેખર તો કોન્ટ્રાકટની શરત મુજબ એક મૃતકની અંતિમવિધી માટે અંદાજે 240 થી 280 કિલો લાકડા પુરા પાડવાના હોય છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

બીપીએલ ધારકો પાસેથી પણ પુરા રુપિયાની વસુલાત

સંસ્થાઓ દ્વારા અંતિમવિધી માટે મૃતકનું મૃત શરીર લોખંડની ઘોડી ઉપર મુકવાનું હોય છે તે લોખંડની ઘોડી સંસ્થાઓ દ્વારા સાંકડી બનાવીને મૃતકની અંતિમવિધી કરવામાં આવે છે. જેને કારણે અંદાજે માત્ર 100થી 125 કિલો લાકડા વપરાય છે. તેમ છતાં તે બંને સંસ્થા દ્વારા પુરા લાકડા બતાવી પ્રજાજનો પાસેથી પુરેપુરા નાણાં પડાવીને ભષ્ટ્રાચાર કરવામાં આવેલો છે, તેમજ બી.પી.એલ. કાર્ડધારક પાસેથી લાકડાના માત્ર 360 રૂપિયા જ લેવાના હોય છે, તેમ છતાં તેમના પાસેથી પણ પુરા નાણાં પડાવાય છે, જેથી તે સંસ્થાઓ દ્વારા અંત્યત ગરીબ પછાત લોકોને પણ છોડયાં નથી.

અત્યાર સુધીમાં 15 નોટિસ ફટકારાઈ

નવાઈની બાબત તો એ છે કે તંત્ર દ્વારા આ બાબતની ખૂબ જ ફરિયાદો મળતા અત્યાર સુધીમાં 15 નોટિસ આપવામાં આવી છે. જો કે તે સંસ્થાઓ દ્વારા તે નોટિસોની અવગણના કરતા તે બંને સંસ્થાઓને બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા બે વાર દરખાસ્ત હેલ્થ કમિટીમાં મુકેલ છે. પરંતુ તે સંસ્થાઓ સત્તાધારી ભાજપની માનિતી સંસ્થા હોવાના કારણે બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા મુકાયેલ દરખાસ્ત બંને વાર હેલ્થ કમિટી દ્વારા પરત કરી દેવામાં આવેલી છે.

ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે 15 વાર નોટિસો આપેલી હોય તથા બે વાર બ્લેકલીસ્ટ કરવાનું કામ કરેલુ હોય તેવી વિવાદીત અને ખરડાયેલ સંસ્થાઓને સત્તાધારી ભાજપ દ્વારા શા માટે છાવરવામાં આવે છે?

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી ભાજપના શાસકો મૃતકોની અંતિમવિધીમાં પણ ભષ્ટ્રાચાર આચરે તે હીન કક્ષાની વૃતિ કહી શકાય. ભષ્ટ્રાચાર આચરવા માટે સ્મશાનગૃહો અને મૃતકોને પણ છોડયા નથી તેવા સત્તાધારી ભાજપે માટે શરમજનક બાબત છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 24 સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડતી જયશ્રી કૃષ્ણ સેવા સંઘ અને સમભાવ સેવા સંઘ નામની સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરી તાકીદે બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસ પક્ષે માગ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
g clip-path="url(#clip0_868_265)">