AHMEDABAD : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનના વિસ્તરણ અને સ્પેશ્યલ ટ્રેન અંગે લેવાયો મહત્વનો નિર્ણય

આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે.

AHMEDABAD : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનના વિસ્તરણ અને સ્પેશ્યલ ટ્રેન અંગે લેવાયો મહત્વનો નિર્ણય
Western Railway expanded some trains departing from Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 28, 2021 | 2:42 PM

AHMEDABAD : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી મુઝફ્ફરપુર અને દરભંગા માટે ચલાવવામાં આવી રહેલી અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતા અમદાવાદ-વડોદરા અને વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેનં નં. 05270 / 05269 અમદાવાદ-મુઝફ્ફરપુર-અમદાવાદ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ : ટ્રેનં નં. 05270 અમદાવાદ-મુઝફ્ફરપુર સ્પેશ્યલ જે અમદાવાદ થી પ્રત્યેક શનિવારે ચલાવવામાં આવી રહી છે, જેને 28 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન નં. 05269 મુઝફ્ફરપુર-અમદાવાદ સ્પેશ્યલ જે મુઝફ્ફરપુરથી પ્રત્યેક ગુરૂવારે ચલાવવામાં આવી રહી છે જેને 26 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

2.ટ્રેનં નં. 05560 / 05559 અમદાવાદ-દરભંગા-અમદાવાદ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ : ટ્રેનં નં. 05560 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ જે અમદાવાદથી પ્રત્યેક શુક્રવારે ચલાવવામાં આવી રહી છે, જેને 27 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન નં. 05559 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ જે દરભંગાથી પ્રત્યેક બુધવારે ચલાવવામાં આવી રહી છે જેને 25 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ટ્રેન નંબર 05270 અને 05560 માટે બુકિંગ 30 ઓગસ્ટ 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને RICTC વેબસાઇટ પર શરૂ થશે.

3.ટ્રેનં નં. 09495 / 09496 અમદાવાદ-વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન : ટ્રેનં નં. 09496 અમદાવાદ-વડોદરા-પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021થી બીજી સૂચના સુધી અમદાવાદથી પ્રતિ દિવસ 15.00 કલાકે ઉપડીને 17.45 કલાકે વડોદરા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી વડોદરાથી પ્રતિ દિવસ 06.30 કલાકે ઉપડીને 08.55 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણીનગર, બારેજડી, મહેમદાવાદ રોડ, નડિયાદ, આણંદ તથા વાસદ સ્ટેશનોએ રોકાશે.

4.ટ્રેનં નં. 09488 / 09487 વિરગામ-મહેસાણા-વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન : ટ્રેનં નં. 09488 વિરગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021થી બીજી સૂચના સુધી વિરમગામથી પ્રતિ દિવસ 07.00 કલાકે ઉપડીને 08.30 કલાકે મહેસાણા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી મહેસાણાથી પ્રતિ દિવસ 09.20 કલાકે ઉપડીને 10.50 કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન જક્શી, ભંકોડા, દેત્રોજ, કટોસણ રોડ, જોટાણા અને લીંચ સ્ટેશનોએ રોકાશે.

5.ટ્રેનં નં. 09492 / 09491 વિરગામ-મહેસાણા-વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન : ટ્રેનં નં. 09492 વિરગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021થી બીજી સૂચના સુધી વિરમગામ થી પ્રતિ દિવસ 17.25 કલાકે ઉપડીને 18.50 કલાકે મહેસાણાપહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09491 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી મહેસાણાથી પ્રતિ દિવસ 19.30 કલાકે ઉપડીન 21.00 કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ભંકોડા, દેત્રોજ અને કટોસણ રોડ સ્ટેશનોએ રોકાશે.

યાત્રી સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્યના દરમ્યાન કોવિડ-19 થી સંબંધિત તમામ માપદંડો તથા SOPનું પાલન કરવાનું અનુરોધ કરવામા આવ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">