Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદે આવી જ રીતે ગભરાઈને રહેવાનું છે ! વસ્ત્રાલ ગેંગવોરનો ભોગ બન્યા નિર્દોષ લોકો, 14ની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન

અમદાવાદના વસ્ત્રાલમાં હોળીની સાંજે ગેંગ ફાઇટના કારણે હિંસક ઘટના બની. પંકજ અને સંગ્રામ નામના લોકોની ટોળકીઓ વચ્ચે અથડામણ થતાં નિર્દોષ લોકોને પણ ઈજા થઈ. દુકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું. પોલીસે ૧૪ લોકોની ધરપકડ કરી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.

અમદાવાદે આવી જ રીતે ગભરાઈને રહેવાનું છે ! વસ્ત્રાલ ગેંગવોરનો ભોગ બન્યા નિર્દોષ લોકો, 14ની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 14, 2025 | 4:08 PM

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હોળિકા દહનની સાંજે અચાનક હિંસક ઘટના બની ગઈ. ગુનેગારો રસ્તા પર આવીને બેફામ થઈ ગયા અને જે સામે મળ્યો તેને મારમાર્યો. દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી, નિર્દોષ લોકોને ઈજા પહોંચાડી.

મળતી માહિતી મુજબ, જૂની અદાવતના કારણે પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ટોળકીઓ એકબીજાને શોધતી હતી. તેમ છતાં, જ્યારે તેમના શત્રુઓ મળી ન આવ્યા, ત્યારે આ ટોળકીઓએ જે સામે મળ્યો તેને જ નિશાન બનાવ્યો.

શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?
અજમા અને બ્લેક સોલ્ટ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય?
અનુષ્કા શર્માના બાળપણની 10 તસવીરો, 7 માં ફોટા પર વિરાટ કોહલી ખુદ દિલ હારી બેઠો

આ તોફાન દરમિયાન રસ્તા પર ચાલતા સામાન્ય નાગરિકો પણ હિંસાનો ભોગ બન્યા. પથ્થરમારો શરૂ થયો અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. તલવારો અને અન્ય હથિયારો સાથે આ તોફાનીઓ ખુલ્લેઆમ ગંદી ગાળો બોલતા અને સામે આવતા લોકો પર હુમલો કરતા હતાં.

વિસ્તારમાં અચાનક થયેલી આ અફરાતફરીથી સ્થાનિક લોકો ફફડી ઉઠ્યા. કેટલીક દુકાનો અને વાહનોને પણ નુકસાન થયું. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી અને 14 લોકોને ઝડપી પાડ્યા. રામોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુરેશ ચૌધરીએ જણાવ્યું કે આ ગુનેગારો પોતાની અંગત અદાવતના કારણે બહાર આવ્યા હતા, પણ નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડ્યું. તમામ આરોપીઓને ધરપકડ કર્યા બાદ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

શહેરમાં સુરક્ષા અને પેટ્રોલિંગની વ્યવસ્થાની વચ્ચે થયેલી આ હિંસક ઘટનાએ લોકોને ચિંતિત કરી દીધા છે.

મીડિયાને માહિતી આપતા પોલીસ જણાવ્યું કે, ગુનેગારો પોતાની અંગત અદાવતને કારણે બહાર આવ્યા હતા, પરંતુ તેઓએ સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેને પગલે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ આરોપીઓને ઝડપી પાડીને રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને વ્યવસ્થાની દાવાઓ કરવામાં આવી રહ્યાં હતા, ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં લોકો આતંકના ભયથી ફફડી રહ્યા હતા.

રામોલ પોલીસે આ આરોપીઓ એ કરેલો ગુ.ર.નં.11191024250315/25 ઘી બીએનએસ કલમ 109(1), 118(1), 189(2) 189(4), 190, 191(2), 191(3),126(2),324(6),296(બી) 351(3) તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ કાર્યવાહી કરી છે.

અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
g clip-path="url(#clip0_868_265)">