Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah) અમદાવાદ પ્રવાસમાં ફેરફાર થયો છે. આ પહેલા તેઓ રથયાત્રાના (Rath Yatra) દિવસે મંગળા આરતીમાં ભાગ લેવા માટે 11મી જુલાઈની સાંજે અમદાવાદ (Ahmedabad) પહોચવાના હતા. પરંતુ હવે તેના નવા કાર્યક્રમ મૂજબ અમિત શાહ આજ સાંજે અમદાવાદ પહોંચશે.
Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah)3 દિવસના માટે ગુજરાત પ્રવાસે છે. આજ સાંજે અમિતશાહ અમદાવાદ આવશે. ત્યારબાદ 11 જુલાઈએ અમદાવાદ (Ahmedabad)ના બોપલ, વેજલપુરમાં વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. ઉપરાંત સાણંદ APMCમાં 40 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ કરવામાં આવશે.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah) અમદાવાદ પ્રવાસમાં ફેરફાર થયો છે. આ પહેલા તેઓ રથયાત્રાના (Rath Yatra) દિવસે મંગળા આરતીમાં ભાગ લેવા માટે 11મી જુલાઈની સાંજે અમદાવાદ (Ahmedabad) પહોચવાના હતા. પરંતુ હવે તેના નવા કાર્યક્રમ મૂજબ અમિત શાહ 10 જુલાઈએ એટલે કે આજ સાંજે અમદાવાદ આવશે.
શાહ 11 તારીખે બપોરે સાણંદ (Sanand) APMC ખાતે ખાત મુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે તથા સાણંદ-બાવળામાં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આગામી 12 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ((Rath Yatra))ના દિવસે સવારે મંગળા આરતીમાં ભાગ લેશે. રથયાત્રા(Rath Yatra)ના દિવસે અમિત શાહ સહપરિવાર ભગવાન જગન્નાથજીના દર્શન કરશે.
કેન્દ્રીય પ્રધાન અમતિશાહનો કાર્યક્રમ
11 જુલાઈના સવારે 10 કલાકે સિવિલ સેન્ટર સોબો (Civil Center Sobo), ગાર્ડન પાસે, સોબો ક્રોસ રોડ બોપલ (Bopal)માં ઔડા દ્વારા નિર્મિત પાણી વિતરણની યોજના, પશ્ચિમ રેલ્વે ઔડા અને અ.મ્યુ.કો.ની વિવિધ યોજનાઓના લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરશે
10 : 45 કલાકે ઔડા રીડિંગ સેન્ટર, સ્ટલીંગ સીટી BRTS બસ સ્ટોપ પાસે બોપલ રોડ બોપલ ઔડા (Bopal Auda)દ્વારા નવનિર્મિત લાયબ્રેરીની મુલાકાત લેશે.
સવારે 11 કલાકે, ડી-માર્ટ પાસે વેજલપુર વોર્ડમાં અ.મ્યુ.કો. દ્વારા નવનિર્મિત પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનીટી હોલ (Community hall)ની મુલાકાત કરશે.
બપોરે 4 કલાકે APMC સાણંદ અને બાવળા તાલુકામાં સરકારના વિવધ યોજના (project) હેઠળ નિર્મિત વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કરશે.
આ પણ વાંચો : Ahmedabad Rathyatra 2021: નાથનાં નેત્રોત્સવની વિધિ પૂર્ણ, વિધાનસભાનાં અધ્યક્ષ સહિત મહાનુભાવો અને ભક્તો જોડાયા
આ પણ વાંચો : Ahmedabad Rathyatra 2021: ભગવાનના જગન્નાથના રથના 71 વર્ષની કથા, જાણો અત્યાર સુધી રથમાં કેવા પ્રકારનાં ફેરફાર આવ્યા