AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ત્રીજી લહેરનો ભય, સાત દિવસમાં કોરોનાના કેસ 432 ટકા વધ્યા,13 લોકોના મોત

ગુજરાતમાં કોરોના ત્રીજી લહેરની દસ્તક આપતી હોય તેમ સાત દિવસમાં કોરોનાને દૈનિક કેસ 91 થી વધીને 394 સુધી પહોંચ્યા છે.

ગુજરાતમાં ત્રીજી લહેરનો ભય, સાત દિવસમાં કોરોનાના કેસ 432 ટકા વધ્યા,13 લોકોના મોત
Corona cases Increase 432 Percent in seven days in Gujarat (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 4:45 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોના (Corona) સંક્રમણની ગતિ તેજ બની છે. જેમાં રાજયના મંગળવારે નોંધાયેલા કોરોનાના 384 કેસોએ રાજયના આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું છે. તેમજ ગુજરાતમાં જોવા જઇએ છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસોના પણ ઉછાળો જોવા મળ્યો છે. તેમજ રાજયમાં કોરોના ત્રીજી લહેરની(Third Wave) દસ્તક આપતી હોય તેમ સાત દિવસમાં કોરોનાના દૈનિક કેસ 91  થી વધીને 394  સુધી પહોંચ્યા છે.

રાજયમાં આ દિવસોમાં કોરોનાના કેસોમાં ટકાવારી રીતે જોવા જઇએ તો 432 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે આ સમયગાળામાં જ 13 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં સાત દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો 22 ડિસેમ્બરના રોજ કોરોનાના 91 કેસ નોંધાયા હતા. જયારે 23 ડિસેમ્બરના રોજ, 24 ડિસેમ્બરના રોજ 111 , 25 ડિસેમ્બરના રોજ 179, 26 ડિસેમ્બરના રોજ 177 , 27 ડિસેમ્બરના રોજ 204,  28 ડિસેમ્બરના રોજ 394 કેસ નોંધાયા હતા. આ દિવસો દરમ્યાન કોરોનાથી 13 લોકોના મૃત્યુ થયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 28 ડિસેમ્બરના રોજ કોરોનાના 394 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 178 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 52, રાજકોટ શહેરમાં 35 કેસ, વડોદરા શહેરમાં 34, આણંદમાં 12 કેસ નોંધાયા છે. ખેડામાં કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઆંક વધીને 10,115 થયો છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) નવા વેરીએન્ટ ઓમિક્રોનનો(Omicron)ખતરો વધી રહ્યો છે. જેમાં રાજ્યમાં ઓમિક્રોનની સ્થિતિ અંગે વાત કરીએ તો મંગળવારે 24 કલાક દરમિયાન રાજ્યમાં ઓમિક્રોનના નવા 5 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ઓમિક્રોનના 2 નવા કેસ સામે આવ્યા છે.અમદાવાદમાં ઓમિક્રોનના જે બે નવા કેસ સામે આવ્યા છે તેમાં એક પુરુષ અને એક મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.ઓમિક્રોનના નવા બે કેસની સાથે અમદાવાદમાં કુલ કેસનો આંકડો 23થી વધીને હવે 25એ પહોંચી ગયો છે.

અમદાવાદ બાદ ઓમિક્રોનના સૌથી વધુ કેસ વડોદરામાં સામે આવ્યા છે. વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 18 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણા અને પોરબંદરમાં પણ ઓમિક્રોનનો એક એક કેસ સામે આવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત

આ પણ વાંચો : Vadodara: સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કોર્પોરેશન સંપૂર્ણપણે તૈયાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">