Rajkot: ગામડાંના લોકોએ ખભે-ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી અરવિંદ રૈયાણીએ કરી અપીલ

મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, ગુજરાતના ગામડા (village) ઓ સુખી હોય, ગામડામાં તમામ સુવિધાઓ હોય ત્યારે ગામડાઓ ટકી શકશે. ગ્રામ વિકાસના કાર્યોમાં જોડાવું એ તમામ ગામવાસીઓની ફરજ છે.

Rajkot: ગામડાંના લોકોએ ખભે-ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી અરવિંદ રૈયાણીએ કરી અપીલ
રાજકોટ જિલ્લા કક્ષાનો 'સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨' નો શુભારંભ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 19, 2022 | 5:44 PM

રાજકોટના ગઢકા ખાતે જિલ્લા કક્ષાનો યોજાયો હતો કાર્યક્રમ.

રાજકોટ (Rajkot)  જિલ્લા કક્ષાનો ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2022’ (Sujalam Sufalam Jal Abhiyan-2022) નો શુભારંભ કાર્યક્રમ ગઢકા ગામે વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી (Arvind Raiyani) ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરની ઉપસ્થિતિમાં તળાવ ઉંડા કરવાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, ગુજરાતના ગામડા (village) ઓ સુખી હોય, ગામડામાં તમામ સુવિધાઓ હોય ત્યારે ગામડાઓ ટકી શકશે. ગ્રામ વિકાસના કાર્યોમાં જોડાવું એ તમામ ગામવાસીઓની ફરજ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ખેડૂતોની સતત ચિંતા કરે છે અને તેમની આવક બમણી કરવાના સ્ત્રોતો સતત વિકાસ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગામમાં 75 જેટલા અલગ-અલગ વૃક્ષો વાવી ને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીએ. ખભે ખભો મિલાવીને જળસંચયનું કામ કરીશું તો કશું જ અશક્ય નથી.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંગે કહ્યું હતું કે, અશક્યને શક્ય કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વરસાદના પાણીનો સંગ્રહ ખેડૂતોને સમૃદ્ધ કરતી સુજલામ સુફલામ યોજના એ જળ સમૃદ્ધિ, જન સમૃદ્ધિ અને જનસુખાકારીનો સુભગ સમન્વય છે. આપણા દેશના ખેડૂતો જળ સંચયનો ઉપયોગ કરીને સમગ્ર દુનિયાની ભૂખ ભાંગી શકવા સક્ષમ છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે કહ્યું હતું કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં સંગ્રહિત થાય. ટુંક સમયમાં જ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા “મારૂ ગામ, પાણીવાળું ગામ” યોજનાનો શુભારંભ કરવામાં આવનાર છે. ત્યારે પાણીનો સંગ્રહ કરીને તેનો સદુપયોગ કરવા શ્રી બોદરે અનુરોધ કર્યો હતો.

જિલ્લામાં જૂન સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા નથી-કલેક્ટર.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સુજલામ્ સુફલામ્-2022 અંતર્ગત થનારા કાર્યક્રમની રુપરેખા આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ માસ સુધી સિંચાઈના પાણીની પુરતી વ્યવસ્થા છે, તેમજ મે-જુન માસ સુધી પીવાના પાણીની પણ પુરતી વ્યવસ્થા છે. રાજકોટ જિલ્લાના છ તાલુકામાં મોટા તળાવો ઉંડા કરવામાં આવશે તેમજ ચેકડેમોની ઉંડાઈ વધારીને તેનુ રીપેરીંગ કામ પણ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં રૂ. 546.41 લાખના ખર્ચે કુલ 320 કામો કરવામાં આવશે

આ પ્રસંગે ‘‘સુજલામ સુફલામ યોજના’’ અંગેની ડોક્યુમેન્ટ્રી ફીલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં રૂ. 546.41 લાખના ખર્ચે કુલ 320 કામો કરવામાં આવશે. આ પ્રસંગે સરપંચ કિર્તીબેન બથવાર, અગ્રણી મનસુખભાઈ રામાણી, રીજીયોનલ કમિશનર ધીમંતકુમાર વ્યાસ, અધિક કલેક્ટર એન.એફ.ચૌધરી, સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર એચ.સી.ચૌધરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર.ધાધલ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા, કાર્યપાલક ઇજનેર પ્રેક્ષા ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ AMC દ્વારા હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદવામાં આવ્યા હોવાની ભાજપના કાઉન્સિલરે જ ફરિયાદ કરી

આ પણ વાંચોઃ Rajkot: RMCના જનરલ બોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લઇને શાસક-વિપક્ષ સામસામે, UP ચૂંટણી રિઝલ્ટની પણ ઉઠી ગુંજ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">