Rathyatra 2022: અખાડાના કરતબબાજો કરી રહ્યા છે પૂરજોશમાં તૈયારી, પોલીસ વિભાગે વધાર્યો ઉત્સાહ, જુઓ કરતબોનો Video

રાજ્યભરમાં યોજાનારી રથયાત્રાને (Rathyatra) લઇ પોલીસ સક્રિય બની છે. રથયાત્રાની સુરક્ષા (Security) માટે પોલીસે ખાસ આયોજન કર્યું છે. ત્યારે રથયાત્રા પૂર્વે રાજ્ય DGP આશિષ ભાટિયાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Rathyatra 2022: અખાડાના કરતબબાજો કરી રહ્યા છે પૂરજોશમાં તૈયારી, પોલીસ વિભાગે વધાર્યો ઉત્સાહ, જુઓ કરતબોનો Video
કરતબબાજો રથયાત્રા પૂર્વે કરી રહ્યા છે પ્રેક્ટિસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 5:05 PM

ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ ભારતની સૌથી બીજી મોટી રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળે છે. અમદાવાદમાં આ વર્ષે 145મી રથયાત્રા નીકળવાની છે. 1 જુલાઇએ ભગવાન જગન્નાથ (Lord Jagannath) અમદાવાદના માર્ગો પર નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને (Rathyatra) લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદીઓમાં (Ahmedabad) અષાઢી બીજની રાહ જોવાઈ રહી છે. રથયાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અખાડાના કરતબબાજોનું હોય છે. બે વર્ષ બાદ ભક્તજનો સાથે રથયાત્રા નીકળવાની છે. ત્યારે અખાડાના કરતબ જોવા સૌ રાહ જોઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ કરતબબાજો પણ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. હાલમાં પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા કરતબબાજો નીહાળ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

અખાડાના કરતબબાજોનું આકર્ષણ રહેશે

અમદાવાદીઓમાં અષાઢી બીજની રાહ જોવાઈ રહી છે. કોરોના કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ ભક્તોની ઉપસ્થિતિમાં નગર ચર્યાએ નીકળવાના છે. ગુજરાતની સૌથી મોટી અમદાવાદની રથયાત્રામાં 10 લાખ લોકો ભાગ લેવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ રથયાત્રામાં અખાડાના કરતબબાજોનું ખૂબ જ આકર્ષણ હોય છે. હાલ રથયાત્રા પહેલા અખાડાના કરતબબાજોમાં ભારે ઉત્સાહ છે.

3 હજાર કરતબબાજો કરશે કરતબો

પોલીસ વિભાગના અધિકારીઓ કરતબબાજોનો ઉત્સાહ વધારી રહ્યા છે. અત્યાર સુધીમાં પ્રથમ વખત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અખાડાના કરતબબાજોને પ્રેક્ટિસ કરતા નીહાળવામાં આવ્યા. એટલું જ નહીં રથયાત્રા દરમિયાન તેમને પડતી મુશ્કેલીઓ અને અગવડો બાબતે પણ ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી. આ વર્ષે 145મી રથયાત્રામાં ૩૦ જેટલા અખાડાના 3 હજાર કરતબકારો અલગ અલગ પ્રકારના કરતબ કરીને લોકોને મનોરંજન પૂરું પાડશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રાજ્યભરમાં યોજાનારી રથયાત્રાને લઇ પોલીસ સક્રિય બની છે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસે ખાસ આયોજન કર્યું છે. ત્યારે રથયાત્રા પૂર્વે રાજ્ય DGP આશિષ ભાટિયાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત તમામ અધિકારી હાજર રહ્યાં હતા. બેઠકમાં રથયાત્રામાં સુરક્ષાને લઇને ચર્ચા કરી હતી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">