Ahmedabad: 145 મી રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની મેદની સાથે નગરના નાથ કેવી રીતે કરશે નગરચર્યા

આ વર્ષે ભગવાન જગન્નાથ 1.50 કરોડ જેટલો વીમો પણ કાઢવામાં આવ્યો છે.મંદિરના મહંત દ્વારા પ્રેમ ભક્તિ,ભાઈચાર અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉજવવામાં આવે તેવી જનતાને અપીલ કરવામાં આવી હતી.

Ahmedabad: 145 મી રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તોની મેદની સાથે નગરના નાથ કેવી રીતે કરશે નગરચર્યા
Rathyatra
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 27, 2022 | 12:58 PM

ગુજરાત (Gujarat) ની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra)કોરોના મહામારી બાદ અષાઢીબીજ બાદ ભગવાન જગન્નાથ અમદાવાદ (Ahmedabad) શહેરની નગરચાર્યએ નીકળીએ તે પહેલાં મંદિર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ ભારતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ શહેરમાં 22 કિમી રૂટ પર રથયાત્રા નીકળે છે. ત્યારે આ વર્ષે ભારે ઉત્સાહ પૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે ભગવાન જગન્નાથ 1.50 કરોડ જેટલો વીમો પણ કાઢવામાં આવ્યો છે.મંદિરના મહંત દ્વારા પ્રેમ ભક્તિ,ભાઈચાર અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉજવવામાં આવે તેવી જનતાને અપીલ કરવામાં આવી હતી.

ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે.

રથયાત્રા અગ્રભાગમાં 18 શણગારેલા ગાજરાજો,101 ભારતીય સંસ્કૃતિના ઝાંખી કરવતા ટ્રકો, 30 અખાડા, 18 જેટલી ભજન મંડળી, ૩ બેન્ડબાજા, ભગવાનનો રથ ખેંચવા માટે 1000થી વધારે ખલાસીઓ હજાર રહેશે.

દેશભરના સાધુ સંતો હાજર રહેશે.

ભગવાન જગન્નાથની રથયાત્રામાં હરિદ્વાર,અયોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી,સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી અંદાજિત 2000થી વધુ સાધુ સંતો હાજર રહેશે.આ ઉપરાંત રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી સમાજ નૃત્ય અને રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હજારો કિલો પ્રસાદ વહેંચવામાં આવશે.

રથયાત્રાના સમગ્ર રૂટમાં ભક્તોનો 3000 કિલો મગ, 500 કિલો જાંબુ,300 કિલો કેરી,400 કિલો કાકડી,2 લાખ કિલો ઉપર્ણનો પ્રસાદ વહેંચવામાં આવશે.સાથે ભગવાન નગરચાર્ય નીકળે તે પહેલા ખીચડીનો પ્રસાદ પણ ધરવામાં આવશે.

બે દિવસ પહેલા મંદિર દ્વારા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે

રથયાત્રા પૂર્વેના ખાસ કાર્યક્રમો ભગવાન જગન્નાથ રથયાત્રા બે દિવસ પહેલા મંદિર દ્વારા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. જેમાં 29 તારીખના રોજ સવારે 8 વાગે ગર્ભ ગૃહ પ્રવેશ તેમજ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે.સવારે 11 વાગે સંતોનું સન્માન કરવામાં આવશે જેમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. 30 તારીખે ગાજરાજોનું પૂજન રથોની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે.ત્યાર બાદ શહેર શાંતિ સમિતિની મુલાકાત કરવામાં આવશે.

આ રૂટ પરથી પસાર થશે રથયાત્રા.

ભગવાન જગન્નાથ નગરચર્યાએ સવારે 7.05 કલાકે રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે.9 વાગે અમદાવાદ કોર્પોરેશન ખાતે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે.945 રાયપુર ચકલા,10.30 કલાકે ખાડિયા ચાર રસ્તા,11.15 કાલુપુર સર્કલ,12 વાગે સરસપુર,1 30 સરસપુરથી પરત નીકળશે.બપોર 2 વાગે લુપુર સર્કલ,2.30 કલાકે પ્રેમ દરવાજા,3.15 દિલ્હી ચકલા,3.45 શાહપૂર દરવાજા, 4.30 આર.સી.હાઈસ્કૂલ,5 વાગે ઘી કાંટા,5.45 પાનકોર નાકા, 6.30 માણેક ચોક, અને 8 વાગે નિજ મંદિર પરત ફરશે.

વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું.

ભગવાન જગન્નાથ રથયાત્રામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવામાં આવ્યું છે.જ્યારે દેશ ગૃહપ્રધાન અમિત શાહ રથયાત્રાના વહેલી સવારે 4 વાગે મંગળા આરતીનો લાભ લેવા હાજર રહેશે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">