Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ પુરજોશમાં, સુરક્ષા બંદોબસ્ત જાળવવા ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે

ગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદ જગન્નાથજીની ઐતિહાસિક અને ભવ્ય 145મી રથયાત્રા હાઇટેક થવા જઇ રહી છે.3D મેપિંગ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિઆલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે.22 કિલોમીટરની રથયાત્રાનાં રૂટનો અભ્યાસ કરી 3D મેપિંગ તૈયાર કરાયુ છે

Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ પુરજોશમાં, સુરક્ષા બંદોબસ્ત જાળવવા  ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે
Ahmedabad Rathyatra Police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 1:17 PM

Ahmedabad : અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના(Rathyatra)એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ(Ahmedabad Police) એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જેમાં આ વખતે પ્રથમ વાર સુરક્ષા  બંદોબસ્ત જાળવવા   માટે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે. જેના લીધે દરેક અધિકારીને સોંપેલાં કામગીરીનો રિપોર્ટ રહેશે અને રથયાત્રાના રૂટ પર આવતા અધિકારી અને પોલીસ કર્મચારીઓની માહિતી મળી રહેશે. આ ઉપરાંત રૂટમાં કોઈ ઇમરજન્સીમાં દરેક સર્વિસના સંપર્કની માહિતી મેળવશે. આ સુવિધા બંદોબસ્તમાં આવતા પોલીસ માટે મદદરૂપ રહેશે.

વર્ચ્યુઅલ રિઆલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે

આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદ જગન્નાથજીની ઐતિહાસિક અને ભવ્ય 145મી રથયાત્રા હાઇટેક થવા જઇ રહી છે.3D મેપિંગ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિઆલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે.22 કિલોમીટરની રથયાત્રાનાં રૂટનો અભ્યાસ કરી 3D મેપિંગ તૈયાર કરાયુ છે.સાયબર ક્રાઇમ બ્રાંચ અને અનંત યુનિવર્સિટીનાં સંયુક્ત પ્રયાસથી રૂટનું 3D મેપિંગ કરાયુ છે. જેમાં આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોનમેપિંગથી નજર રખાશે.

ક્રાઉડ કાઉન્ટર અને લેઝર ટેક્નોલોજી સાથે રૂટ પર સુરક્ષાની તૈયારી

રથયાત્રાનાં રૂટ પર ફેસ ડિટેક્શન અને અન્ય તૈયારીઓ સાથે પોલીસ સજ્જ રહેશે.ક્રાઉડ કાઉન્ટર અને લેઝર ટેક્નોલોજી સાથે રૂટ પર સુરક્ષાની તૈયારી કરાઈ છે. રથયાત્રાનાં રૂટ પર લાઇવ વોચ સાથે સુરક્ષા વધુ મજબૂત બનાવાશે. જ્યારે જગતના નાથની રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા શાહપુર, દરિયાપુરમાં વધુ પોલીસ જવાનો અને અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે. જેમાં સંવેદનશીલ સ્થળોએ ધાબા પોઈન્ટ રખાશે. તો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થ્રીડી મેપની રથયાત્રા રૂટ પર વરિષ્ઠ અધિકારીઓ સતત દેખરેખ રાખશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભગવાન જગન્નાથજી આ વખતે રથયાત્રામાં નવા રથમાં બિરાજશે

ઉલ્લેખનીય છે કે, જગન્નાથજીના રથયાત્રાના દિવસો નજીક આવી રહ્યા છે અને ભક્તોનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે.. આ વર્ષે નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે, ત્યારે જોવા મળશે નવા જ રંગો આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ બદલાઈ રહ્યા છે.. ભગવાન જગન્નાથજી આ વખતે રથયાત્રામાં નવા રથમાં બિરાજશે.

ભક્તો જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની જ ઝાંખીનો અનુભવ થાય તેવો પ્રયાસ

જે માટે જમાલપુર મંદિર ખાતે રથ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.. હાલમાં રથનું સુથારી કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને હવે રથને રંગ કામ કરવામાં આવી રહ્યું છે.. જગન્નાથપુરીના રથના જેવા જ રંગો જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના રથમાં આબેહૂબ રીતે કરવામાં આવે તે માટેનું આયોજન રંગ કામ કરતા કારીગરો દ્વારા કરાયું છે.. ભક્તો જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની જ ઝાંખીનો અનુભવ થાય, તેવો પ્રયાસ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">