AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન રહેશે રદ્દ – જુઓ લીસ્ટ

Railway News: આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના કારણે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ કેટલીક ટ્રેન રદ રહેશે. જ્યારે કેટલીક ટ્રેન આંશિર રૂપે શરૂ રહેશે. રીમોડલિંગ વર્કને કારણે 9 ટ્રેન રદ થઈ છે જ્યારે 3 ટ્રેન આંશિક રદ રહેશે.

Railway News: આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન રહેશે રદ્દ - જુઓ લીસ્ટ
File Image
Darshal Raval
| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:13 PM
Share

Railway News: રિમોડલિંગ વર્કને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન 30 સપ્ટેમ્બર અને 01 ઓક્ટોબરના રોજ રદ્દ રહેશે.

જેની વિગત નીચે મુજબ છે:

30 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2023 સુધી રદ્દ ટ્રેનો :

  •  ટ્રેન નં. 09275/09276 આણંદ – ગાંધીનગર – આણંદ મેમૂ સ્પેશિયલ
  •  ટ્રેન નં. 09400/09399 અમદાવાદ – આણંદ – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  •  ટ્રેન નં. 09274 અમદાવાદ – આણંદ મેમૂ સ્પેશિયલ

1 ઓક્ટોબર 2023 ના રોજ રદ્દ ટ્રેનો :

  •  ટ્રેન નં. 09316/09315 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  •  ટ્રેન નં. 09328/09327 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  •  ટ્રેન નં. 09496/09495 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  •  ટ્રેન નં. 09312/09311 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  •  ટ્રેન નં. 09273 અમદાવાદ – વડોદરા મેમૂ સ્પેશિયલ
  •  ટ્રેન નં. 19036/19035 અમદાવાદ – વડોદરા – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

1 ઓક્ટોબર 2023 ના રોજ આંશિક રદ્દ ટ્રેનો :

  1.  ટ્રેન નં. 22960/22959 જામનગર – વડોદરા – જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ – વડોદરા- અમદાવાદ વચ્ચે આંશિક રૂપે રદ્દ રહેશે.
  2.  ટ્રેન નં. 19033/19034 વલસાડ – અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ–વડોદરા- અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  3.  ટ્રેન નં. 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા-વડનગર-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.

અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી ત્રણ જોડી ટ્રેનમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનમાં થી ચાલતી/પસાર થતી સાપ્તાહિક ટ્રેનોમાં ત્રણ જોડી વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે.

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

  1. 1. ટ્રેન નંબર 20954/20953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ માં અમદાવાદથી 07 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર 2023 સુધી અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી 13 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2023 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  2. 2. ટ્રેન નંબર 22915/22916 બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અને હિસારથી 03 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી એક સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  3. 3. ટ્રેન નંબર 20920/20919 અમદાવાદ- એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદ થી અને 04 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2023 સુધી એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  4. ટ્રેનો ના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગણેશ પર્વના છેલ્લા દિવસે ભક્તોએ બાપ્પાને આપી વિદાય, જુઓ Photos

પંજાબમાં ખેડૂતોના વિરોધને કારણે અમદાવાદ-જમ્મુતવી એક્સપ્રેસ ટ્રેનને અસર

  1. ઉત્તર રેલવેના અંબાલા અને ફિરોઝપુર ડિવિઝન પર ખેડૂતોના આંદોલનને કારણે અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનને અસર
  2. 29 સપ્ટેમ્બરની ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
  3. ટ્રેન નંબર 19223 અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન 28 સપ્ટેમ્બર 2023 ના રોજ અમદાવાદથી દોડતી ભટિંડા સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે. આ ટ્રેન ભટિંડા અને જમ્મુતાવી વચ્ચે રદ રહેશે.
  4. ટ્રેનની કામગીરી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">