PSM100: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દર્શન માટેનું માઇક્રો પ્લાનિંગ: નગરમાં પ્રવેશથી માંડીને ઉતારા વ્યવસ્થા, મેડિકલ ઇમરજન્સી અંગેની તમામ બાબતો અંગે BAPSની આ માર્ગદર્શિકા કરશે મદદ

અમદાવાદના આંગણે એક મહિના સુધી (PSM 100) પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ રૂપે આધ્યાત્મિક અને સામાજિક ઉત્થાનનો મહોત્સવ ઉજવાશે. તેના માટે  બીએપીએસ સંસ્થા દ્વારા તમામ તૈયારીઓ માઇક્રો પ્લાનિંગ સાથે પૂર્ણ કરવામાં આવી છે. અને નગરમાં આવનારા મુલાકાતીઓ માટે વિશેષ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.

PSM100: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દર્શન માટેનું માઇક્રો પ્લાનિંગ: નગરમાં પ્રવેશથી માંડીને ઉતારા વ્યવસ્થા, મેડિકલ ઇમરજન્સી અંગેની તમામ બાબતો અંગે BAPSની આ માર્ગદર્શિકા કરશે મદદ
PSM 100
Follow Us:
| Updated on: Dec 07, 2022 | 2:41 PM

ગુજરાત અને  દેશ બહાર સ્વામિનારાણ સંપ્રદાયના  તેમજ સનાતન ધર્મના સિદ્ધાંતોની  વિજય પતાકા લહેરાવવામાં BAPSના પાંચમા આધ્યાત્મિક વારસદાર બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજનું મહામૂલુ પ્રદાન છે. હાલમાં ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોના આધારે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ, BAPS સ્વામિનારાયણ સંસ્થા વ્યક્તિઓ, પરિવારો અને વિવિધ સમુદાયો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપે છે. વ્યક્તિગત સ્તરે વિકાસથી બનેલી સમન્વય વધુ સામાજિક વિકાસ તરફ દોરી જાય છે તે સમજીને, BAPS સ્વામિનારાયણ સંસ્થા જીવનના તમામ ક્ષેત્રોના લોકોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી પાડે છે. 1000 થી વધુ સાધુ તથા  55,000 સ્વયંસેવકો સાથે, સંસ્થા તેની વિવિધ માનવતાવાદી સેવાઓ અને પાયાની પહેલ દ્વારા વિશ્વભરના 3,850 સમુદાયોને મદદ કરે છે. ત્યારે અમદાવાદના આંગણે એક મહિના સુધી આધ્યાત્મ અને સામાજિક ઉત્થાનનો મહોત્સવ ઉજવાશે. તેના માટે  બીએપીએસ સંસ્થા દ્વારા તમામ તૈયારીઓ માઇક્રો પ્લાનિંગ સાથે પૂર્ણ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે  પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ધાટન સમારંભમાં સામેલ થવાના છે. ત્યારે તે  દિવસની સભા અંગે પણ  હરિભક્તોને સભા સ્થળના પ્રવેશ માટે થઈને  તમામ નિયમો જણાવી દેવામાં આવ્યા છે.

દર્શનાર્થીઓ માટે ઉતારાથી માંડીને પાણી,ભોજન સહિતની વ્યવસ્થા

સંસ્થા દ્વારા  દરેક જિલ્લા તેમજ જિલ્લાના વિવિધ મંડળો માટે દર્શન કરવાનું સૂચારું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ દેશ વિદેશના હરિભક્તો તેમજ અન્ય ભાવિકોને પણ  નગર દર્શન દરમિયાન સહેજ પણ અગવડ ન પડે તે અંગેનું તમામ ધ્યાન રાખવામાં આવ્યું છે.  અમદાવાદની આસપાસ મહોત્સવ સ્થળથી  5થી 25 કિલોમીટર સુધી  જુદા જુદા સ્થળે  5000 જેટલા ઉતારા નક્કી કરવામાં આવ્યા છે અને  આ ઉતારા માટે બિલ્ડરોએ પોતાની નવી નવી રહેણાંક સ્કીમ સેવામાં સમર્પિત કરી દીધી છે. ખાલી ખમ ફલેટમાં ઉતારા માટે બીએપીસ સંસ્થા દ્વારા સ્વયંસેવકો અને સ્વયં સેવિકાની  મદદ દ્વારા ઉતારા નિવાસમાં  ન્હાવા માટે ડોલ,ટબ, ઓશિકા ગાદલા, પાણીના જગ,  ચાદરો સહિતની  વસ્તુઓ પણ ગોઠવી દેવામાં આવી છે. તો  સંસ્થાના અનુયાયીઓ માટે એક 16 પાનાની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં  ગિઝરનો ઉપયોગ કેમ કરવો તેનાથી માંડીને મહોત્સવ સ્થળે કેવી રીતે પહોંચવું તેમજ ભોજન અને  નગરમાં શૌચાલયની  સુવિધાથી માંડીને  તમામ બાબતોનો આમાં  ઉલ્લેખ  કરવામાં આવ્યો છે.   આ માર્ગદર્શિકામાં નગરમાં  કયાં પ્રદર્શન ક્યારે જોવા, ઉતારાથી નગરમાં  કેવી રીતે જવું તેવી તમામ બાબતની જાણકારી છે. સાથે જ  કોણે કયા ગેટથી પ્રવેશ કરવો તે અંગે પણ માહિતી આપવામાં આવી  છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

સ્વામિનારાયણ નગરમાં ઇમરજન્સી દવાખાનાથી માંડીને ચંપલ સાધવા સુધીની સુવિધાઓ

સ્વામિનારાયણ નગરમાં મોટી જનસંખ્યામાં લોકો ઉમટી પડશે, ત્યારે  મેડિકલ ઇમરજન્સી માટે પણ  નગરમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.   મેડિકલ ઇમરજન્સી માટે મેડિકલ હેલ્પલાઇન નંબર 7069061900/1901/1902 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

કુદરતી હોનારતોમાં સમાજસેવામાં અગ્રેસર રહી છે બીએપીએસ સંસ્થા

BAPS સંસ્થા દ્વારા કરવામાં આવતા સમૈયા અને ઉત્સવો  મેનેજમેન્ટના ઉત્તમ  ઉદાહરણ રૂપ હોય છે, તે પછી  80ના  દાયકામાં  અમદાવાદમાં ઉજવાયેલો ગુણાતીતાનંદ સ્વામી મહોત્સવ, કચ્છનો ભૂકંપ, તે અગાઉ મોરબીની મચ્છુ હોનારત અથવા તો દુકાળની પરિસ્થિતિ હોય કે પછી યૂક્રેનમાંથી વિદ્યાર્થીઓને પાછા લાવવાની કવાયત હોય  અથવા તો કોરોના કાળમાં જરૂરિયાતમંદોને રાશન કીટ આપવાની હોય આ તમામ ઘટનાઓ સમયે બીએપીએસના સ્વયંસેવકોએ  જે – તે સમયે પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ તેમજ નિષ્ણાંત સંતોના માર્ગદર્શન હેઠળ સમાજ સેવાનો ઉત્તમ દાખલો બેસા઼ડ્યો છે.

જાણો શું  છે BAPS   સંસ્થા ?

ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોના આધારે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ, BAPS સ્વામિનારાયણ સંસ્થા વ્યક્તિઓ, પરિવારો અને વિવિધ સમુદાયો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપે છે. વ્યક્તિગત સ્તરે વિકાસથી બનેલી સમન્વય વધુ સામાજિક વિકાસ તરફ દોરી જાય છે તે સમજીને, BAPS સ્વામિનારાયણ સંસ્થા જીવનના તમામ ક્ષેત્રોના લોકોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી પાડે છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા એ ભારતમાં નોંધાયેલ અને પ્રતિષ્ઠિત ચેરિટેબલ ટ્રસ્ટ છે, અને સંયુક્ત રાષ્ટ્રના EcoSoC સાથે સલાહકાર સ્થિતિમાં એનજીઓ છે. તેણે તેની પ્રવૃત્તિઓ માટે ઘણા પુરસ્કારો અને માનનીય ઉલ્લેખો જીત્યા છે, જેમાં પર્યાવરણીય પ્રવૃત્તિઓ માટેના આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને બાળ-ઉન્નતિ અને પ્રાણીઓની સંભાળ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો પણ પ્રાપ્ત થયેલા છે.

BAPS:  55 હજાર સ્વયંસેવકો તથા 100 ઉપરાંત સાધુઓની સેવાઓનું પ્રદાન

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) એ એક સામાજિક-આધ્યાત્મિક હિન્દુ સંસ્થા છે જેનાં મૂળ વેદોમાં છે. તે 18મી સદીના અંતમાં ભગવાન સ્વામિનારાયણ (1781-1830) દ્વારા પ્રગટ થયું હતું અને 1907માં શાસ્ત્રીજી મહારાજ (1865-1951) દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. વ્યવહારિક આધ્યાત્મિકતાના સ્તંભો પર સ્થાપિત, BAPS આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક પડકારો અને સમસ્યાઓનો સામનો કરવા માટે આપણા વિશ્વમાં દૂર દૂર સુધી પહોંચે છે. તેની શક્તિ તેના સ્વભાવ અને હેતુની શુદ્ધતામાં રહેલી છે.

BAPS સમાજ, પરિવારો અને વ્યક્તિઓની સંભાળ રાખીને વિશ્વની સંભાળ રાખવાનો પ્રયત્ન કરે છે. 3,850 થી વધુ કેન્દ્રોના વિશ્વવ્યાપી નેટવર્ક દ્વારા તેના સાર્વત્રિક કાર્યને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાણ પણ પ્રાપ્ત થયું છે. હાલમાં 1000 થી વધુ સાધુઓ અને 55,000 સ્વયંસેવકો સાથે, સંસ્થા તેની વિવિધ માનવતાવાદી સેવાઓ અને પાયાની પહેલ દ્વારા વિશ્વભરના 3,850 સમુદાયોને મદદ કરે છે.

આજે એક મિલિયનથી પણ વધારે સ્વામિનારાયણ સત્સંગીઓ તેમના દિવસની શરૂઆત પૂજા અને ધ્યાનથી કરે છે,  તેમજ  દારૂ , વ્યસન , વ્યભિચાર , માંસાહારનો ત્યાગ તેમજ, શરીર અને મનની અશુદ્ધિ નહીં એ તેમના જીવનભરના પાંચ વ્રત છે. આવી શુદ્ધ નૈતિકતા અને આધ્યાત્મિકતા BAPS દ્વારા કરવામાં આવતી માનવતાવાદી સેવાઓનો પાયો ઘડાયો છે.  BAPS સ્વામિનારાયણ સંસ્થા મૂલ્યો સ્થાપિત કરીને, આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપીને, કૌશલ્યો કેળવીને અને વૃદ્ધિને પોષીને વ્યક્તિગત વિકાસ દ્વારા બહેતર સમાજ માટે પ્રયત્ન કરે છે. અમારું લક્ષ્ય વિશ્વભરના વિવિધ સમુદાયોમાં ભારતીય સંસ્કૃતિ અને શ્રદ્ધા, એકતા અને નિઃસ્વાર્થ સેવાના હિંદુ આદર્શોને જાળવવાનું છે. આપણે એવા સમાજની કલ્પના કરીએ છીએ જેનો આનંદ બીજાના આનંદમાં રહેલો છે.

ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોના આધારે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ, BAPS સ્વામિનારાયણ સંસ્થા વ્યક્તિઓ, પરિવારો અને વિવિધ સમુદાયો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપે છે. વ્યક્તિગત સ્તરે વિકાસથી બનેલી સમન્વય વધુ સામાજિક વિકાસ તરફ દોરી જાય છે તે સમજીને, BAPS સ્વામિનારાયણ સંસ્થા જીવનના તમામ ક્ષેત્રોના લોકોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી પાડે છે.

હાલમાં 1000 થી વધુ સાધુઓ અને 55,000 સ્વયંસેવકો સાથે, સંસ્થા તેની વિવિધ માનવતાવાદી સેવાઓ અને પાયાની પહેલ દ્વારા વિશ્વભરના 3,850 સમુદાયોને મદદ કરે છે. આ પ્રયાસો દ્વારા, BAPS સ્વામિનારાયણ સંસ્થા હિંદુ સંસ્કૃતિના સાર્વત્રિક મૂલ્યને ટકાવી રાખે છે- જીવનના તમામ પાસાઓમાં આવી શ્રદ્ધાને આત્મસાત કરીને ભગવાન પ્રત્યેની ભક્તિને પ્રોત્સાહિત કરે છે.

વિવિધ  કટોકટીમાં સેવામાં અગ્રેસર રહ્યા  છે બીએપીએસના સંતો અને  સ્વયંસેવકો

કુદરતી અને માનવસર્જિત આફતોમાં, BAPS આપત્તિ રાહત પૂરી પાડવા માટે સક્રિય છે. તે 1970 ના દાયકાના દુષ્કાળ, મહારાષ્ટ્રના લાતુરમાં 1993માં આવેલા ભૂકંપ પછી અને 2001માં કચ્છ, ગુજરાતમાં આવેલા ભૂકંપ પછી અથવા 2004માં સુનામી અને 2005માં કેટરિના વાવાઝોડા બાદથી, ભારત અને વિદેશમાં રાહત પગલાંમાં મોખરે છે.  BAPS ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય છે, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક અસમાનતાઓને દૂર કરવા માટે કામ કરે છે. તબીબી અને શૈક્ષણિક સેવાઓ BAPS ની ગ્રામીણ પ્રવૃત્તિઓનો આધાર બનાવે છે. તે વ્યસનો અને અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ અભિયાનો અને સામાન્ય સભાઓમાં પણ સક્રિયપણે જોડાય છે

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">