AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીની અધ્યક્ષતામાં અર્પણ કરાઈ પ્રેમાંજલી

સંસ્કારભાસ્કર આચાર્ય સ્વામીશ્રી મહારાજની આજે વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ છે.

Ahmedabad: મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીની અધ્યક્ષતામાં અર્પણ કરાઈ પ્રેમાંજલી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 6:01 PM
Share

ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ. જેમણે પોતાનું સમગ્ર જીવન ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક, શૈક્ષણિક વગેરે કાર્યોમાં ન્યૌછાવર કર્યું. લાખ્ખો કિલોમીટર દેશ-વિદેશમાં ધર્મ પ્રચારાર્થે સત્સંગ વિચરણ કરી ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવ્યો હતો. સંસ્કારભાસ્કર આચાર્ય સ્વામીશ્રી મહારાજની આજે વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ છે.

આચાર્ય સ્વામીશ્રીના ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક વગેરે લોક હિતના કાર્યોની સુવાસથી પ્રભાવિત થઈ અનેક સંતો-મહંતો અને પ્રકાંડ વિદ્વાનોએ સદ્ધર્મરત્નાકર, સદ્ધર્મજ્યોતિર્ધર, સનાતનધર્મસંરક્ષક, સિદ્ધાંતવાગીશ, દાર્શનિકસાર્વભૌમ, સત્સિદ્ધાંતદિવાકર, સેવામૂર્તિપરંતપ:, વિશ્વવાત્સલ્યમહોદધિ, વેદરત્ન, વર્લ્ડ પીસ એમ્બેસેડર વગેરે પદવીઓથી નવાજ્યા છે. સ્વામીશ્રી મહારાજની આજે વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બે દિવસની પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે તેનો પ્રથમ દિવસ હતો ત્યારે સવારે પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીજી મહારાજ અમૂલ્ય ગ્રંથ તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી ભાગ–1 મહાન ગ્રંથની પારાયણની મહાપૂજા તેમજ પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય સ્વામીશ્રીએ પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીજી મહારાજ ગ્રંથની પારાયણનો પ્રારંભ કર્યો હતો. આ ગ્રંથ વેદરત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજની જીવનલીલાનો ગ્રંથ છે. સાંજની સત્રસભામાં પણ અજોડ ગ્રંથની પારાયણની કથા શ્રવણનો લાભ દેશ વિદેશના હજારો હરિભકતોએ ઓનલાઈન દર્શન શ્રવણનો લાભ લીધો હતો.

આજે બીજા દિવસે સવારે મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર મુકામે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને પાલખીમાં બિરાજમાન કરીને શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, મણિનગર સાથે સ્મૃતિ મંદિરની પ્રદક્ષિણા કરી સમાધિ સ્થાને પધરાવી વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પૂજન-અર્ચન, અષ્ટોત્તરશતનામ જનમંગલ સાથે પુષ્પાંજલિ અર્પણ, આરતી તથા હરિભક્તો દ્વારા કીર્તન મહિમાગન કરવામાં આવ્યું હતું.

સાંજે પારાયણની પુર્ણાહુતી, પૂજન –અર્ચન, આરતી તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે દિવ્ય આશીર્વાદનો લાભ આપ્યો હતો.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રવિ દહિયાએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં સ્થાન મેળવ્યું,ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">