મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ : આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર આજે હાઇકોર્ટ સંભળાવશે ચુકાદો

આરોપી જયસુખ પટેલે તેમને નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી છે, તો બીજી તરફ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનોએ જયસુખ પટેલને જામીન આપવા સામે વિરોધ કર્યો છે, ત્યારે હાઇકોર્ટ આજે શું ચુકાદો આપે છે તેના પર સૌ કોઇની નજર છે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ : આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર આજે હાઇકોર્ટ સંભળાવશે ચુકાદો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2023 | 10:30 AM

અમદાવાદ:  મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને જામીન મળશે કે પછી તેમનો જેલવાસ વધુ લંબાશે તેનો ફેંસલો આજે થશે. ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ગત સુનાવણીમાં હાઇકોર્ટે તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો.

જયસુખ પટેલને જામીન આપવા સામે વિરોધ

આરોપી જયસુખ પટેલે તેમને નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી છે, તો બીજી તરફ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનોએ જયસુખ પટેલને જામીન આપવા સામે વિરોધ કર્યો છે, ત્યારે હાઇકોર્ટ આજે શું ચુકાદો આપે છે તેના પર સૌ કોઇની નજર છે.

ગત સુનાવણીમાં કરી હતી આ રજૂઆત

જયસુખ પટેલે હાઇકોર્ટ સમક્ષ જામીન આપવા માટે વિનંતી કરતા કહ્યું હતું કે, યોગ્ય શરત પર તેમને નિયમીત જામીન આપવામાં આવે. જયસુખ પટેલે ગત સુનાવણી દરમિયાન રજૂઆત કરતા કહ્યું હતું કે, મેં કોઈને જાણી જોઇને નથી માર્યા. મેં લોકોની સેવા કરવા માટે જ આ પ્રોજેક્ટ હાથ પર લીધો હતો. રાજ્ય સરકારના કહેવાથી જ આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મૃતકોના સ્વજનોની જામીન ન આપવા રજૂઆત

આ તરફ મૃતકોના પરિવારજનોએ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. મૃતકોના સ્વજનોએ આક્ષેપ કર્યો કે માત્ર પૈસા કમાવવાની લાલચમાં જ લોકોનો જીવ લેવાયો છે. આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શકયતા છે. આમ આરોપીને કોઈપણ રીતે જામીન નહીં આપવા માટે મૃતકોના સ્વજનો તરફથી રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો-ST બસમાં 140 મુસાફર ભરવાની પરેશાની દૂર, Tv9ના અહેવાલ બાદ નવો રુટ કરાયો શરુ

જેલમાં રહેવાથી જયસુખ પટેલના ઉદ્યોગો પર અસર

મહત્વનું છે કે સરકાર પણ જયસુખ પટેલને જામીન મળે તેના સમર્થનમાં છે. ગત સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલો કરી હતી કે જયસુખ પટેલ નાસી છૂટે એવા આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તે સામે સરકારને કોઈ વાંધો નથી. ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે તથા કેસમાં સાક્ષીઓ પણ વધારે હોવાથી સમય લાગે એમ છે. આવા સંજોગોમાં જેલમાં રહેવાથી જયસુખ પટેલના ઉદ્યોગો પર અસર પડી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">