Monsoon Tourism: દેશના આહ્લાદક ચોમાસું સૌંદર્યને માણવા માંગો છો ? અમદાવાદ એરપોર્ટ દ્વારા કરવામાં આવેલી ખાસ વ્યવસ્થા વિશે જાણી લેવુ જરૂરી છે

Monsoon Tourism: ચોમાસામાં લોકો પ્રાકૃતિક સુંદરતાને માણવા વિવિધ સ્થળોએ ફરવા જવાનું પસંદ કરે છે ત્યારે (SVPI )ખાતેથી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રવાસીઓ આ ફ્લાઇટ્સ દ્વારા હિમાચલ પ્રદેશથી માંડીને બાગડોગરા, ઉદયપુર સહિતના પ્રવાસન સ્થળોએ ફરવા જવાની મજા માણી શકો છો.

Monsoon Tourism: દેશના આહ્લાદક ચોમાસું સૌંદર્યને માણવા માંગો છો ? અમદાવાદ એરપોર્ટ દ્વારા કરવામાં આવેલી ખાસ વ્યવસ્થા વિશે જાણી લેવુ જરૂરી છે
Monsoon Tourism: Want to enjoy the delightful monsoon beauty of the country? Special arrangements have been made by Ahmedabad Airport, Learn the whole details
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 02, 2022 | 7:40 AM

ચોમાસામાં (Monsoon)પ્રવાસન અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવાનો ઉત્તમ અવસર આપતા અમદાવાદ એરપોર્ટ ખાતે થી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા  કરવામાં આવી છે જેના દ્વારા ચોમાસામાં ફરવા માંગતા અને દેશના વિવિધ શહેરોમાં કેવું ચોમાસું હોય છે  તે જાણવા માંગતા પ્રવાસીઓ(Tourist) આ ફ્લાઇટ દ્વારા  ગોવા, હિમાચલ, ઉદયપુર, બાગડ઼ોગરા, કાસની ફ્લાવર વેલી  જેવા સ્થળોએ  સરળતાથી જઈ શકે છે. વરસાદની સાથે પ્રવાસનનો આનંદ માણવા ઈચ્છતા લોકો અમદાવાદના SVPI (Sardar Vallabhbhai Patel International Airport)એરપોર્ટ પરથી ભારતભરના વિવિધ મોન્સૂન ડેસ્ટીનેશનની મુલાકાત લઈ શકે છે.

આ ચોમાસામાં પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક સ્થળોને જોડતી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે જેથી પ્રવાસીઓ ચોમાસામાં ભારતના વિવિધ સ્થળોએ ફરવાનો આનંદ માણી શકે છે. ચોમાસામાં પ્રવાસન માટે ભારતમાં અનેક ઉત્તમ સ્થળો આવેલા છે, સહેલાણીઓ આવા સ્થળો પર સરળતાથી જઈ શકે તેવી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરો આ મોન્સૂન સિઝનમાં પ્રાકૃતિક સૌંદર્યને મન ભરીને માણી શકે તે માટે જાગૃતિ લાવવાનો  તેમજ દેશના  પ્રવાસનને વેગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે  તે અંતર્ગત  SVPI એરપોર્ટ પર વિવિધ એરપોર્ટ્સની મુલાકાત લઈ શકાય તેવા સુંદર સ્થળોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  દાખલા તરીકે, અમદાવાદથી ગુવાહાટી વાયા પટના જતી દૈનિક વન-સ્ટોપ ફ્લાઈટ છે. ગુવાહાટીથી, અરુણાચલ પ્રદેશમાં તેજુ અને પાસીઘાટ સુધીની ફ્લાઈટ્સ છે. જો તમે શિલોંગનો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો, તો તમે આ રુટ પસંદ કરી શકો છો કારણ કે ગુવાહાટી અને શિલોંગ વચ્ચેનું અંતર 100 કિમી છે અને મુસાફરીનો સમય ત્રણ કલાક નો છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

ચોમાસામાં રંગબેરંગી ફૂલોની પ્રાકૃતિક સજાવટનો આનંદ માણવા ઈચ્છતા પ્રવાસીઓ માટે કાસ સ્થિત ફૂલોની ખીણનો પ્રવાસ પણ હાથવગો બનાવાયો છે. પ્રવાસીઓ અમદાવાદથી પુણેની સીધી ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરી શકે છે. પુણેથી કાસ માત્ર 2 કલાકના અંતરે છે.

તદુપરાંત લોનાવાલા, અલીબાગ અને માલશેજ ઘાટ જેવા મુંબઈ નજીકના તમારા મનપસંદ મોનસૂન ડેસ્ટીનેશન સુધી પહોંચવા SVPI એરપોર્ટ મુંબઈ સાથે સુપેરે જોડાયેલું છે. ગોવા અને બાગડોગરા માટે નોન-સ્ટોપ ડેઈલી ફ્લાઈટ્સ પણ ઉપલબ્ઘ છે, વળી ધર્મશાલા, દેહરાદૂન, જયપુર અને ઉદયપુર માટે પણ વન-સ્ટોપ ડેઈલી ફ્લાઈટ્સ અને બીજી ઘણી બધી ફ્લાઈટ્સ પણ ઉપલબ્ધ છે. ચોમાસું પ્રવાસન માટે  એરપોર્ટ્સ પર ટ્રાફિક ફ્લોમાં વધારો થતા વધારાની ફ્લાઇટ ફ્રીક્વન્સીઝ ઉભી કરાશે, અને વધારાના ટ્રાફિકને સુરક્ષિત કરવા વિવિધ એરલાઇન્સ સાથે ભાગીદારી પણ કરવામાં આવશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">