AMCના ઈતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ થયું હોવાનો વિપક્ષનો આરોપ

ખારીકટ કેનાલને ડેવલપ કરવાની જેની જવાબદારી છે. તે કૌભાંડો કરવામાં વ્યસ્ત હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. વિપક્ષનો દાવો છે કે, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં AMCના ઈતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે.

AMCના ઈતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ થયું હોવાનો વિપક્ષનો આરોપ
AMC
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 24, 2024 | 9:43 PM

ખારીકટ કેનાલ અમદાવાદનો એવો પ્રોજેક્ટ જેમાં શરૂઆતથી જ વિવાદોના વાદળો છવાયેલા રહ્યા છે. શહેરીજનો આ કેનાલમાં ગંદકીથી, અસામાજિક તત્વોના ઉપદ્રવથી હેરાન-પરેશાન છે. તો ખારીકટ કેનાલને ડેવલપ કરવાની જેની જવાબદારી છે. તે કૌભાંડો કરવામાં વ્યસ્ત હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. વિપક્ષનો દાવો છે કે, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં AMCના ઈતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે.

કેનાલ માટે પ્રિ-કાસ્ટ RCC બોક્સ બનાવવાના હતા. જેની જગ્યાએ કાસ્ટ ઈન સી-ટુ સ્ટ્રોમ વોટર બોક્સ બનાવી દેવાયા છે. RKC ઈન્ફ્રા બિલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને આ માટે કામ સોંપાયું હતું. પરંતુ RKCએ ડિઝાઈનથી તદ્દન અલગ કામગીરી કરી છે. એટલું જ નહીં, ટેન્કર પ્રમાણે કામ નહીં થયા છતાં AMCએ કંપનીને સુપરવિઝન વગર જ 99 કરોડનું પેમેન્ટ ચુકવી દીધું છે.

વિપક્ષનો આરોપ છે કે, અધિકારીઓ ખારીકટ કેનાલ મામલે મુખ્યપ્રધાનને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખારીકટ કેનાલનું કામ કરતી એજન્સીઓની અધિકારીઓ સાથે મિલીભગત છે અને કેનાલના વિકાસના પ્રોજેક્ટની ડિઝાઈનમાં ખોટી રીતે ફેરફાર કરાયો છે. ટેન્ડરમાં જે ડિઝાઈન છે, સ્થળ પર કામ જેની પર થઈ રહ્યું છે. તે ડિઝાઈન તદ્દન અલગ છે. એટલું જ નહીં, AMCએ પેમેન્ટ પણ ચૂકવી દીધું છે અને અધિકારીઓએ કોઈ પણ સુપરવિઝન પણ કર્યું નથી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

રેલ વિકાસ નિગમે શરૂઆતમાં દેખાડા પુરતી પ્રિ-કાસ્ટની કામગીરી દેખાડી હતી. જો કે, ત્યાર બાદ તમામ કોન્ટ્રાક્ટરોએ ડિઝાઈનમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ ફેરફાર કરી દીધા છે. તમામ એજન્સીઓએ RCC બોક્સ વિના જ કેનાલનું કામ કર્યું છે.

કલથિયા એન્જિનિયર એન્ડ કન્સલ્ટન્ટ લિમિટેડે કેનાલની વચ્ચેનું કામ ચાલું જ કર્યું નથી. આ કંપનીએ માત્ર દીવાલ બનાવી છે. ઈન્સ્પેક્શન અને સુપરવિઝન માટે પ્રોજેક્ટના 12.30 કરોડ રૂપિયા પણ આપવાના છે. મલ્ટીમીડિયા કંપની અને PMC કંપનીને સુપરવિઝન માટે કરોડો રૂપિયાની ફી ચૂકવીને જવાબદારી સોંપાઈ હતી. એટલું જ નહીં AMCએ પણ દેખરેખ માટે ખારીકટ કેનાલ સેલ બનાવી હતી. છતાં કોઈએ પણ સુપરવિઝન કર્યું નથી.

કોઈપણ પ્રોજેક્ટમાં ફેરફાર માટે રિવાઈઝ પ્લાન મુકવાનો નિયમ છે. પરંતુ અહીં તો નિયમો કોઈએ પાળ્યા જ નથી. પ્રિ-કાસ્ટ બોક્ટ નખાયા નથી. તેનાથી 240 કરોડનો ફાયદો કોન્ટ્રાક્ટરને થશે. ત્યારે સવાલ એ છે કે, શું આ બેદરાકારી છે કે પછી કોન્ટ્રાક્ટર સામેની મિલિભગત? કોઈ પણ દુર્ઘટના થશે, કોઈ પણ ખામી સર્જાશે તો ભવિષ્યમાં જવાબદારી કોની રહેશે? શું ખારીકટનો પ્રોજેક્ટ પણ હાટકેશ્વર બ્રિજ જેવી જ હાલત થશે?

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">