Ahmedabad : જુહાપુરામાં એક જ કિલોમીટરમાં મસ મોટા ચાર ભૂવા પડ્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ
છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય કોઈપણ સિઝનમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા છે. ભૂવાને કારણે ક્યાંક લોકોને ઈજા પહોંચી છે તો કેટલાક સ્થળે વાહનો પણ ગરકાવ થયા છે. તો કેટલાકના જીવ જતા જતા પણ રહી ગયા છે.

Ahmedabad : અમદાવાદના જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં એક જ કિલોમીટરની અંદર ચાર મોટા ભૂવા (Sinkhole) પડ્યા છે. કોર્પોરેશન દ્વારા ભૂવા પડવાના સ્થળ પર લોકોને સાવચેત રહેવા સૂચન કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ભૂવા ચોમાસામાં પડતા હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય કોઈપણ સિઝનમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા છે.
આ પણ વાંચો- Ahmedabad : એક મહિનામાં વિવિધ વિસ્તારોમાં 43 ભૂવા પડવાની ઘટના, શહેરના 19 માર્ગ બંધ કરાયા, જૂઓ Video
ભૂવાને કારણે ક્યાંક લોકોને ઈજા પહોંચી છે તો કેટલાક સ્થળે વાહનો પણ ગરકાવ થયા છે. તો કેટલાકના જીવ જતા જતા પણ રહી ગયા છે. જે ઘટનાઓને લઈને અમદાવાદવાસીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.
જુહાપુરા વિસ્તાર હાલ ભૂવાપુરા બન્યો છે. જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં એક જ કિલોમીટરની અંદર ચાર મોટા ભૂવા પડ્યા છે. વારંવારના ભૂવા પડવાના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જેથી સ્થાનિકોએ કોર્પોરેશન પાસે યોગ્ય વ્યવસ્થા કરવા અને નવી લાઈન નાખવા માગ કરી છે.
ક્યાં ક્યાં પડ્યા ભૂવા ?
જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં એક ભુવો સવેરા ટી સ્ટોલ સર્કલ તરીકે ઓળખાતા સર્કલ પર બે દિવસ પહેલા ભૂવો પડ્યો કે જેમાં ટ્રક ભસાઈ હતી. તો તેના બીજા દિવસે એક કિલોમીટરની અંદર મહોમદી પાર્ક ગેટ નંબર 1 પાસે સોસાયટીની બહાર જ ભૂવો પડ્યો. તો 26 જૂનના રોજ સોનાપાર્ક ગેટ બે પાસે કે જે મો મીન્હાઝ પાર્ક સામે આવેલ છે તે સોના પાર્ક ગેટ- 2 સોસાયટીના ગેટ પાસે ભૂવો પડ્યો. તો 26 મેના રોજ મો મીન્હાઝ પાર્ક સામે ભૂવો પડ્યો કે જેમાં કાર ગરકાવ થઈ હતી. મો મીન્હાઝ પાર્ક સામે પડેલા બંને ભૂવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ભૂવા પડતા લોકોને હાલાકી
ભૂવા પડેલા સ્થળ પર કોર્પોરેશન દ્વારા કામ શરૂ કરાયું છે પરંતુ એક ભૂવાના જગ્યા ઉપર મહિનાઓ સુધી કામ ચાલતું હોય છે અને તેમાં પણ એક કિલોમીટરની અંદર ચાર ભૂવા પડ્યા છે. જ્યાં કામ ક્યારે પૂર્ણ થશે તેનો કોઈ અંદાજ નથી. જેના કારણે ભૂવાના આસપાસના સ્થળના વેપારીઓના ધંધા પણ ક્યાંક ભાંગી પડ્યા છે. તો ભૂવા પડતા નીચે પસાર થતી લાઈનમાંથી દુર્ગંધ મારવાના કારણે પણ સ્થાનિકોને તકલીફ પડી રહી છે. તો તે વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા અને ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. જુહાપુરાના ફતેવાડી વિસ્તાર સિવાય તે જ વિસ્તાર પાસે આવેલા મકરબા વિસ્તારમાં ટોરેન્ટ સ્ટેશન પાસે પણ એક મોટો ભૂવો પડ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો