AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સતત બીજા દિવસે અમદાવાદની હવામાં મળ્યું ઝેર, પીરાણામાં પ્રદૂષણનું સ્તર AQI 343 નોંધાયું, જાણો તમારા વિસ્તારમાં પ્રદૂષણ કેટલું છે?

Ahmedabad News : પીરાણામાં ઉદ્યોગોનો ધૂમાડો, કચરાનો ધૂમાડો અને વાહનોના ધૂમાડાને પગલે હવાનું પ્રદુષણ ગંભીર બન્યુ છે. આજની એટલે કે 20 ફેબ્રુઆરી 2023ની વાત કરીએ તો સવારે 9 વાગ્યાની સ્થિતિએ પીરાણાનો AQI 343 નોંધાયો છે.

સતત બીજા દિવસે અમદાવાદની હવામાં મળ્યું ઝેર, પીરાણામાં પ્રદૂષણનું સ્તર AQI 343 નોંધાયું, જાણો તમારા વિસ્તારમાં પ્રદૂષણ કેટલું છે?
અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 1:18 PM
Share

અમદાવાદની સાબરમતી નદી જ નહીં, પરંતુ હવે તો શહેરની હવા પણ ઝેરી બની ગઇ છે. અમદાવાદની હવામાં એટલી હદે ઝેર વધી રહ્યું છે કે શ્વાસ લેવુ પણ મુશ્કેલ બન્યુ છે. અમદાવાદનો સૌથી વધુ વાયુ પ્રદુષણ ધરાવતો વિસ્તાર પીરાણા છે. પીરાણામાં ઉદ્યોગોનો ધૂમાડો, કચરાનો ધૂમાડો અને વાહનોના ધૂમાડાને પગલે હવાનું પ્રદુષણ ગંભીર બન્યુ છે. આજની એટલે કે 20 ફેબ્રુઆરી 2023ની વાત કરીએ તો સવારે 9 વાગ્યાની સ્થિતિએ પીરાણાનો AQI 343 નોંધાયો છે. આવી હવા હ્રદય અને ફેફસાંના રોગ ધરાવતા દર્દીઓ માટે ઘાતક સાબિત થઇ શકે છે.

જાણો શહેરના કયા વિસ્તારમાં કેટલુ પ્રદૂષણ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં AQI પર નજર કરીએ તો પિરાણામાં 343 AQI, ચાંદખેડામાં 252 AQI, નવરંગપુરામાં 252 AQI, રાયખડમાં 239 AQI, રખિયાલમાં 166 AQI, બોપલમાં 162 AQI, સેટેલાઇટમાં 161 AQI નોંધાયો છે.

તો હવે નજર કરીએ AQIનાં માપદંડ પર તો 00થી 50 AQI આરોગ્યપ્રદ માનવામાં આવે છે. 51થી 100 AQI સંતોષકારક ગણાય છે. 101થી 200 AQIને મધ્યમ માનવામાં આવે છે. 201થી 300 AQIને આરોગ્ય માટે ખરાબ માનવામાં આવે છે. જ્યારે 301થી 400 AQI માનવ આરોગ્ય માટે અત્યંત ખરાબ અને 402થી 500 AQIને અતિ ગંભીર માનવામાં આવે છે.

પ્રદૂષણને ઓછુ કરવા તંત્ર એક્શન મોડ પર

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી હવાનું પ્રદૂષણ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે. જેમાં ખાસ કરીને ધૂળના સૂક્ષ્મ રજકણ હવામાં ભળવાથી હવા વધુ પ્રદૂષિત થાય છે. ત્યારે હવાનું પ્રદૂષણ અટકાવવા તંત્ર એકશન મોડ પર આવી ગયું છે. આ હવાના પ્રદૂષણમાં કન્સ્ટ્રક્શન સાઈટનો મોટો હિસ્સો હોવાથી તંત્રએ પર્યાવરણને સુરક્ષિત રાખવા એક પરિપત્ર બહાર પાડયો છે.

કન્સ્ટ્રક્શન સાઈટ પર પડદો લગાવવા આદેશ

અમદાવાદમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર કપડાનો મોટો પડદો લગાવી તેમ જ સાઈટમાંથી સૂક્ષ્મ રજકણો હવામાં ન ભળે તેની તકેદારી રાખવા આદેશ આપ્યો છે. આ સૂચનાનું પાલન નહીં કરનારી બાંધકામ સાઈટને રજાચિઠ્ઠી સ્થગિત કરવાની ચેતવણી આપી છે. તંત્રએ પરિપત્ર બહાર પાડી તમામ બાંધકામ સાઈટને રોડ માટીથી ખરાબ ન થાય તે માટે યોગ્ય પગલા લેવા સૂચના આપી છે. બિલ્ડીંગ તોડતી વખતે હવાનું પ્રદૂષણ રોકવા પણ આદેશ કરાયો છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">