AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સતત બીજા દિવસે અમદાવાદની હવામાં મળ્યું ઝેર, પીરાણામાં પ્રદૂષણનું સ્તર AQI 343 નોંધાયું, જાણો તમારા વિસ્તારમાં પ્રદૂષણ કેટલું છે?

Ahmedabad News : પીરાણામાં ઉદ્યોગોનો ધૂમાડો, કચરાનો ધૂમાડો અને વાહનોના ધૂમાડાને પગલે હવાનું પ્રદુષણ ગંભીર બન્યુ છે. આજની એટલે કે 20 ફેબ્રુઆરી 2023ની વાત કરીએ તો સવારે 9 વાગ્યાની સ્થિતિએ પીરાણાનો AQI 343 નોંધાયો છે.

સતત બીજા દિવસે અમદાવાદની હવામાં મળ્યું ઝેર, પીરાણામાં પ્રદૂષણનું સ્તર AQI 343 નોંધાયું, જાણો તમારા વિસ્તારમાં પ્રદૂષણ કેટલું છે?
અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 1:18 PM
Share

અમદાવાદની સાબરમતી નદી જ નહીં, પરંતુ હવે તો શહેરની હવા પણ ઝેરી બની ગઇ છે. અમદાવાદની હવામાં એટલી હદે ઝેર વધી રહ્યું છે કે શ્વાસ લેવુ પણ મુશ્કેલ બન્યુ છે. અમદાવાદનો સૌથી વધુ વાયુ પ્રદુષણ ધરાવતો વિસ્તાર પીરાણા છે. પીરાણામાં ઉદ્યોગોનો ધૂમાડો, કચરાનો ધૂમાડો અને વાહનોના ધૂમાડાને પગલે હવાનું પ્રદુષણ ગંભીર બન્યુ છે. આજની એટલે કે 20 ફેબ્રુઆરી 2023ની વાત કરીએ તો સવારે 9 વાગ્યાની સ્થિતિએ પીરાણાનો AQI 343 નોંધાયો છે. આવી હવા હ્રદય અને ફેફસાંના રોગ ધરાવતા દર્દીઓ માટે ઘાતક સાબિત થઇ શકે છે.

જાણો શહેરના કયા વિસ્તારમાં કેટલુ પ્રદૂષણ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં AQI પર નજર કરીએ તો પિરાણામાં 343 AQI, ચાંદખેડામાં 252 AQI, નવરંગપુરામાં 252 AQI, રાયખડમાં 239 AQI, રખિયાલમાં 166 AQI, બોપલમાં 162 AQI, સેટેલાઇટમાં 161 AQI નોંધાયો છે.

તો હવે નજર કરીએ AQIનાં માપદંડ પર તો 00થી 50 AQI આરોગ્યપ્રદ માનવામાં આવે છે. 51થી 100 AQI સંતોષકારક ગણાય છે. 101થી 200 AQIને મધ્યમ માનવામાં આવે છે. 201થી 300 AQIને આરોગ્ય માટે ખરાબ માનવામાં આવે છે. જ્યારે 301થી 400 AQI માનવ આરોગ્ય માટે અત્યંત ખરાબ અને 402થી 500 AQIને અતિ ગંભીર માનવામાં આવે છે.

પ્રદૂષણને ઓછુ કરવા તંત્ર એક્શન મોડ પર

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી હવાનું પ્રદૂષણ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે. જેમાં ખાસ કરીને ધૂળના સૂક્ષ્મ રજકણ હવામાં ભળવાથી હવા વધુ પ્રદૂષિત થાય છે. ત્યારે હવાનું પ્રદૂષણ અટકાવવા તંત્ર એકશન મોડ પર આવી ગયું છે. આ હવાના પ્રદૂષણમાં કન્સ્ટ્રક્શન સાઈટનો મોટો હિસ્સો હોવાથી તંત્રએ પર્યાવરણને સુરક્ષિત રાખવા એક પરિપત્ર બહાર પાડયો છે.

કન્સ્ટ્રક્શન સાઈટ પર પડદો લગાવવા આદેશ

અમદાવાદમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર કપડાનો મોટો પડદો લગાવી તેમ જ સાઈટમાંથી સૂક્ષ્મ રજકણો હવામાં ન ભળે તેની તકેદારી રાખવા આદેશ આપ્યો છે. આ સૂચનાનું પાલન નહીં કરનારી બાંધકામ સાઈટને રજાચિઠ્ઠી સ્થગિત કરવાની ચેતવણી આપી છે. તંત્રએ પરિપત્ર બહાર પાડી તમામ બાંધકામ સાઈટને રોડ માટીથી ખરાબ ન થાય તે માટે યોગ્ય પગલા લેવા સૂચના આપી છે. બિલ્ડીંગ તોડતી વખતે હવાનું પ્રદૂષણ રોકવા પણ આદેશ કરાયો છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">