AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિંતાજનક: 21 મહિનામાં માત્ર અમદાવાદમાં 17,730 બાળકો કોરોનાની ઝપેટમાં, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

Corona In Ahmedabad: છેલ્લા 21 મહિનાથી અમદાવાદમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે AMC દ્રારા જાણવા મળેલા આંકડા ખુબ જ ચોંકાવનારા છે.

ચિંતાજનક: 21 મહિનામાં માત્ર અમદાવાદમાં 17,730 બાળકો કોરોનાની ઝપેટમાં, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
A total of 2.32 lakh cases have been registered in Ahmedabad in 21 months
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 9:19 AM
Share

Corona in child: અમદવાદમાં કોરોનાએ (Ahmedabad) બાળકોને ભરડામાં લીધાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.. અમદાવાદમાં છેલ્લા 21 મહિના દરમિયાન 18 વર્ષથી ઓછી વયના 17 હજાર 730 બાળકોને કોરોના થઈ ચૂક્યો છે. જેમાં 3 હજાર 559 બાળકો 5 વર્ષથી ઓછી વયના છે. જ્યારે 5થી 18ની વયના 14 હજાર 171 બાળકોને કોરોના થઈ ચૂક્યો છે.

ગયા વર્ષે 17 માર્ચે અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાર બાદ 21 મહિનામાં અમદાવાદમાં શૂન્યથી 18 વર્ષ સુધીના હજારો બાળકોને કોરોનાએ ભરડામાં લીધા છે. આ સમાય સુધીના કેટલા બાળકોને કોરોના થયો તેના આંકડા તપાસવા AMC ના હેલ્થ વિભાગે હાથ ધરેલી કામગીરીમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે.

જણાવી દઈએ કે ઓમિક્રોને રાજ્યમાં તોફાન મચાવવાનું શરુ કરી દીધું છે. વિદેશથી આવી રહેલા લોકોમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઈ છે. રવિવારે અમદાવાદમાં ઓમિક્રોન વાઇરસના પ્રથમ બે કેસ સામે આવ્યા હતા. જેના કારણે લોકોમાં ફરી ફફડાટ જોવા મળી રહ્યો છે.

તો નિષ્ણાતોનું માનીએ તો ઓમિક્રોનથી બાળકોને બચાવવા જરૂરી છે. બાળકોને ઓમિક્રોનનો ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખવી પડશે. કારણ કે ઓમિક્રોન કોરોનાના અન્ય સ્વરૂપ કરતા ત્રણ ગણી ઝડપે ફેલાય છે.

તમને જણાવી દઈએ કે સર્વે માં 5 વયજૂથ પ્રમાણે કોરોના દર્દીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 18થી 44 વય જૂથના 1.10 લાખ લોકોને કોરોના થયો છે. આ માત્ર અમદાવાદ શહેરના આંકડા છે. તો આ વયજૂથને સૌથી વધુ ચેપ લાગ્યો છે. બીજી તરફ 45થી 60 વર્ષ અને ત્યાર બાદ 60 વર્ષ કરતાં મોટી ઉંમરના સિનિયર સિટીઝનમાં એમ કરીને વયજૂથની ગણતરી કરવામાં આવી હતી.

21 મહિનામાં અમદાવાદમાં કુલ કોરોના કેસ 2.32 લાખ

18 વર્ષથી ઓછી વય: 17,730 કેસ 5 વર્ષથી ઓછી વય: 3559 કેસ 5થી 18ની વય: 14,171 કેસ 18 થી 44ની વય:  1.10 લાખ કેસ પુરુષ: 1.36 લાખ કેસ, મહિલા: 96 હજાર કેસ

આ પણ વાંચો: હાઈ બીપીના દર્દી ખાસ વાંચે: શિયાળાની ઠંડીમાં રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર પડી જશે ભારે

આ પણ વાંચો: corona case : ઓમિક્રોનના વધતા મામલા પર કેન્દ્રએ રાજ્યોને આપી ચેતવણી, નાઇટ કર્ફ્યુ લગાવવા અને યુદ્ધના ધોરણે કામ સહીત કહી 10 વાત

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">