અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, બીજો ડોઝ નહિ લીધેલા લોકોને આ સ્થળે નહિ મળે પ્રવેશ

AMC દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં આજે પણ 9 લાખ 80 હજાર લોકોએ સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતા રસીનો બીજો ડોઝ નથી લીધો. તેથી જ AMCએ હવે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો છે..

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 6:26 PM

કોરોનાની(Corona)રસીનો(Vaccine)બીજો ડોઝ નહીં લીધો હોય તો અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનની કચેરીઓમાં પ્રવેશ નહીં મળે. રસીકરણને વેગ મળે અને નાગરિકો ત્વરિત અસરથી રસીનો બીજો ડોઝ (Second Dose) લે તે હેતુસર AMCએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

AMC દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં આજે પણ 9 લાખ 80 હજાર લોકોએ સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતા રસીનો બીજો ડોઝ નથી લીધો. તેથી જ AMCએ હવે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો છે..

અમદાવાદમાં રસીના બીજા ડોઝમાં બાકી રહેલા નાગરિકોના આંકડા પર નજર કરીએ તો,મધ્ય ઝોનમાં 1.18 લાખ અને પૂર્વ ઝોનમાં 1.50 લાખ લોકોએ હજુ સુધી બીજો ડોઝ નથી લીધો.જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1.24 લાખ અને ઉત્તર ઝોનમાં 1.60 લાખ લોકોનો બીજો ડોઝ બાકીછે.તો દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 79 હજાર લોકોને બીજો ડોઝ બાકી છે.

જ્યારે દક્ષિણ ઝોનમાં 1.44 લાખ અને પશ્ચિમ ઝોનમાં 1.52 લાખ લોકોએ બીજો ડોઝ નથી લીધો.મહત્વપૂર્ણ છે કે સમયમર્યાદા પૂર્ણ થઇ ગયાના દોઢ મહિના બાદ 2.58 લાખ લોકોનો બીજો ડોઝ બાકી છે.તો સમયમર્યાદા પૂર્ણ થઇ ગયાના એક મહિના બાદ 65 હજાર લોકોનો બીજો ડોઝ બાકી છે..

ગુજરાતમાં(Gujarat)તહેવારોમાં લોકોની વધેલી અવર જવર અને કોરોના(Corona)ગાઇડ લાઇનના ભંગના પગલે અમદાવાદ(Ahmedabad)શહેરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે એએમસીનું(AMC)આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ડોમ બનાવીને કોરોના ટેસ્ટિંગની(Corona Testing) કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  જુનાગઢ : ગિરનાર લીલી પરિક્રમાને લઇને કલેક્ટરનું જાહેરનામું, 400 સાધુસંતોની મર્યાદામાં પરિક્રમા યોજાશે

આ પણ વાંચો : ફરી છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ, એક ઇસમની ધરપકડ

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">