AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarayan 2023 : મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ, આ વર્ષે લોકો બે દિવસ કરશે જરૂરિયાતમંદોને દાન

Uttarayan 2023 : ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ ધરાવે છે. સૂર્યનું મકરથી મિથુન રાશિ સુધીના ભ્રમણ ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિનું ભ્રમણ એ દક્ષિણાયન કહેવાય છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ.

Uttarayan 2023 : મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ, આ વર્ષે લોકો બે દિવસ કરશે જરૂરિયાતમંદોને દાન
મકરસંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 10:01 AM
Share

મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાંથી એક છે. આ તહેવાર સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી માટે પતંગરસીકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી છે, પતંગ રસિયાો પેચ લડાવવામાં મશગૂલ થયા છેઅને આજે દિવસભર આકાશમાં પતંગબાજીનું યુદ્ધ જામતુ જોવા મળી રહ્યુ છે. સાથે જ ‘કાપ્યો છે..’, ‘લપેટ..લપેટ’ની બુમો સંભળાઇ રહી છે. પતંગ રસિયાઓ ગીતોની રમઝટ વચ્ચે પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે.તો બીજી તરફ લોકો દાન પણ કરી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ ધરાવે છે. સૂર્યનું મકરથી મિથુન રાશિ સુધીના ભ્રમણ ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિનું ભ્રમણ એ દક્ષિણાયન કહેવાય છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકર સંક્રાંતિ સુખ, શાંતિ, વૈભવની કારક, પુત્રદાયક, સ્વાસ્થ્યવર્ધકને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે. આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂકી થવાની શરૂઆત થાય છે.

તો આ વર્ષે 14મી તારીખે રાત્રે 8:46 કલાક બાદ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. એટલે આ વખતે 15મી જાન્યુઆરીએ દાન પુણ્ય કરવાથી તેનો વિશેષ લાભ થશે. સંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ છે. ત્યારે લોકો આજે દાન કરી રહ્યા છે. તો કાલે પણ દાન કરશે. પોતાની ક્ષમતા અનુસાર ઘી, ધાબળા, તલ, ગોળ, લાડુ, ખીચડી જરૂરિયાતમંદોને દાન કરી રહ્યા છે.

મકરસંક્રાંતિની બે તારીખોને લઈને લોકો મૂંઝવણમાં

આ વખતે મકરસંક્રાંતિની બે તારીખોને લઈને લોકો મૂંઝવણમાં છે. જો કે, જ્યારે સૂર્ય ભગવાન તેની રાશિ બદલીને મકર રાશિમાં પહોંચે છે ત્યારે સંક્રાંતિ શરૂ થાય છે. જ્યારે સૂર્ય દેવ મકર રાશિમાં ગોચર કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ રાત્રે 08.57 કલાકે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો મુહૂર્ત આવી રહ્યો છે. પરંતુ સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો સમય હોવાથી સંક્રાંતિની તારીખને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. 14 જાન્યુઆરી, શનિવારના રોજ સૂર્યની મકરસંક્રાંતિનો મુહૂર્ત રાત્રે 08:57 પર આવી રહ્યો હોવા છતાં, રાત્રિના પ્રહરમાં સ્નાન અને દાન યોગ્ય નથી. આ માટે ઉદયા તિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે ત્યારે સ્નાન અને મકરસંક્રાંતિનું દાન થશે. એટલા માટે આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">