AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે પોણા બે કલાકમાં જ પહોંચી જવાશે યાત્રાધામ શિરડી, 15 માર્ચથી અમદાવાદ-નાસિકની ફ્લાઇટ શરુ

Ahmedabad News : ઇન્ડિગો દ્વારા 15 માર્ચથી અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરવામાં આવશે. જે માટે એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ શરૂ થઈ ગયું છે.

હવે પોણા બે કલાકમાં જ પહોંચી જવાશે યાત્રાધામ શિરડી, 15 માર્ચથી અમદાવાદ-નાસિકની ફ્લાઇટ શરુ
અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફ્લાઇટ થશે શરુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 11:54 AM
Share

મહારાષ્ટ્રના નાસિકના શિરડીમાં આવેલુ સાંઈ બાબાનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નાસિકના શિરડીમાં દર્શન કરવા માટે જતા હોય છે. અત્યાર સુધી ગુજરાતના ખાસ કરીને અમદાવાદના ભક્તોને શિરડીમાં દર્શન કરવા જવા માટે કાર અથવા તો ટ્રેન દ્વારા લાંબી મુસાફરી કરીને જવુ પડતુ હતુ. જો કે હવે ભક્તોને ઘણા કલાકોની લાંબી મુસાફરીમાંથી મુક્તિ મળશે.

અમદાવાદથી નાસિકની ડાઇરેક્ટ ફ્લાઇટ થશે શરુ

ભક્તો અમદાવાદથી માત્ર પોણા બે જ કલાકમાં જ શિરડી પહોંચી જશે. કારણકે 15 માર્ચથી અમદાવાદથી શિરડી સાંઇબાબા દર્શનાર્થે જનાર શ્રદ્ધાળુઓ માટે ઇન્ડિગો અમદાવાદથી નાસિકની ફલાઇટ શરૂ કરશે.

ફ્લાઇટનું વન-વે ફેર રુ. 3000ની આસપાસ

ઇન્ડિગો દ્વારા 15 માર્ચથી અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફલાઇટ શરૂ કરવામાં આવશે. જે માટે એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફ્લાઇટનું વન-વે ફેર રુ. 3000ની આસપાસ રહેશે. નાસિકથી આ ફલાઇટ બપોરે 3.45 કલાકે ટેકઓફ થઇ 5.25 કલાકે અમદાવાદ આવશે, ત્યાર બાદ અમદાવાદથી ફ્લાઇટ સાંજે 5.50 કલાકે રવાના થઇ 7.15 કલાકે નાસિકમાં પહોંચાડશે. એરલાઇન કંપની આ સેક્ટર પર 73 સીટર એટીઆર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.

મહારાષ્ટ્રમાં આવેલુ છે શિરડી સાંઇ બાબા મંદિર

મહત્વનું છે કે શિરડી અહમદનગર-મનમાડ હાઇવે (સ્ટેટ હાઇવે નંબર 10) પર આવેલું છે. તે મનમાડ શહેરથી 65 KM અને જિલ્લા મુખ્યાલય અહેમદનગરથી 80 KM ના અંતરે આવેલું છે. આ શહેર સાંઈ બાબાના સમાધિ મંદિર માટે વિશ્વભરમાં પ્રખ્યાત અને પ્રખ્યાત છે. તેથી જ આ શહેરનું બીજું નામ સાંઈનગર શિરડી (શિરડી) છે. અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે. મોટી સંખ્યામાં ગુજરાતના ભક્તો પણ અહીં દર્શન કરવા જતા હોય છે.

સાઈ બાબા સમાધિ સ્થળ મંદિર

જો એમ કહેવામાં આવે કે શિરડી શહેરની ઓળખ સાંઈ બાબાના મંદિરના કારણે છે તો ખોટું નહીં હોય. આજે લાખો ભક્તો સાંઈ બાબાના સમાધિ સ્થળ મંદિરના દર્શન કરવા આવે છે. વિશ્વ કક્ષાએ સાઈ સંસ્થાન વતી હજારો હોટલો, ધર્મશાળાઓ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફ્લાઇટ શરુ થતા ભક્તોને મોટી રાહત મળશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">