અમદાવાદ ઝોનમાં બનશે પ્રથમ ફોર લેન રેલવે ટ્રેક, કેન્દ્ર સરકારે સામખિયાળી-ગાંધીધામ ફોરલેન રેલવે ટ્રેકને આપી મંજૂરી

કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રેલવેમાં કુલ 2339 કિલોમીટરના સાત મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે 32,500 કરોડ રુપિયામાં તૈયાર થશે. હાલની લાઈન ક્ષમતા વધારવા, ટ્રેનના સંચાલનને સરળ બનાવવા, ભીડ ઘટાડવા અને મુસાફરી અને પરિવહનની સરળતા અને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ ઝોનમાં બનશે પ્રથમ ફોર લેન રેલવે ટ્રેક, કેન્દ્ર સરકારે સામખિયાળી-ગાંધીધામ ફોરલેન રેલવે ટ્રેકને આપી મંજૂરી
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 17, 2023 | 10:01 AM

Ahmedabad : કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય (Ministry of Railways) દ્વારા દેશના સાત ટ્રેક ડબલિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સામખિયાળીથી ગાંધીધામના ટ્રેકનો પણ સમાવેશ થાય છે. આગામી સમયે 1571 કરોડના ખર્ચે 55 કિલોમીટરનો ચાર માર્ગીય રેલવે ટ્રેક તૈયાર કરાશે. જે ગુજરાતમાં અમદાવાદ ઝોનનો પ્રથમ ચાર માર્ગીય રેલવે ટ્રેક હશે.

આ પણ વાંચો-Rajkot: સાયબર ફ્રોડના કેસમાં ચાર ગણો વધારો, રાજકોટમાં સાત મહિનામાં 16 કરોડ રૂપિયાની થઈ છેતરપિંડી, સાયબર ક્રાઈમના શિકાર બનતા કેવી રીતે બચશો? વાંચો

32,500 કરોડ રુપિયામાં તૈયાર થશે ટ્રેક

કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભારતીય રેલવેમાં કુલ 2339 કિલોમીટરના સાત મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે 32,500 કરોડ રુપિયામાં તૈયાર થશે. હાલની લાઈન ક્ષમતા વધારવા, ટ્રેનના સંચાલનને સરળ બનાવવા, ભીડ ઘટાડવા અને મુસાફરી અને પરિવહનની સરળતા અને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કચ્છના બંદરોને જોડતી સામખીયાળી થી ગાંધીધામ સુધીનો રેલવે ટ્રેક ચાર માર્ગીય બનાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

જરૂર પડે જમીન અધિગ્રહક કરાશે

55 કિલોમીટરમાં 112 કિમિ નવી રેલવે લાઇન નાખવામાં આવશે.જેમાં 1571 કરોડનો થનાર ખર્ચ કેન્દ્ર સરકાર ચૂકવશે અત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં ક્યાંય પણ 4 માર્ગીય રેલવે ટ્રેક નથી. સામખયાળીથી ગાંધીધામનો રૂટ તૈયાર થતા તે પ્રથમ ચાર માર્ગીય ટ્રેક બનશે. જેના માટે જરૂર પડે જમીન અધિગ્રહક પણ કરવામાં આવશે.

ચાર માર્ગીય ટ્રેકથી કચ્છના બંદરોને મોટો ફાયદો થશે

અત્યારે હાલની સ્થિતિએ ભૂજ સુધી રેલવે લાઈન છે એ સિવાયની રેલવે લાઇન સિંગલ-ડબલ પટ્ટી જોવા મળે છે. કચ્છના દરિયાઈ પટ્ટીમાં બંદરો અને મોટા ઉદ્યોગ ગ્રહો આવેલા છે, ત્યારે માલગાડીઓ મોટા પ્રમાણમાં પસાર થાય છે. જેમાં એક લાઇન વિરમગામ-અમદાવાદ તરફની અને એક લાઇન જયપુર-દિલ્લી તરફની છે.

ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વધશે

પેસેન્જર ટ્રેન સાથે માલગાડીઓ પણ મોટા પ્રમાણમાં આ રૂટ પરથી પસાર થઈ રહી હોવાથી ચાર માર્ગીય ટ્રેક માટે રેલવવા વિભાગમાં માગણી કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે નિર્ણય લેવાતા પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગના ડીઆરએમ સુધીરકુમાર શર્માએ જણાવ્યું કે, આ મહત્વપૂર્ણ દિવસ એટલા માટે છે કારણ કે ચાર મહત્વના બંદરો કંડલા, મુન્દ્રા, જખૌ અને ટ્યુના ની રેલ કનેક્ટિવિટી વધારે થવાથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વધશે. 12 ટકાનો ગ્રોથ અત્યારે રેલવે કોસ્ટલ લાઈનનો છે. એમાં પણ વધારો થશે. આ સિવાય કચ્છીવાસીઓને પણ વધારે મુસાફર ટ્રેન મળતા ઉપયોગ વધશે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">