અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, વિરાટનગરના લીલાનગરની બે શાળા હવે શહીદોના નામથી ઓળખાશે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિરાટનગર વોર્ડની બે શાળનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ બે શાળામાંથી લીલાનગર શાળા નંબર 2નું નામ શહીદ (martyr) વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા રાખવામાં આવ્યું છે. તથા લીલાનગર પબ્લિક સ્કૂલનું નામ શહીદ વીર શશીપ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપૂતના નામ રાખવામાં આવ્યું છે.
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિરાટનગર વોર્ડની બે શાળનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ બે શાળામાંથી લીલાનગર શાળા નંબર 2નું નામ શહીદ (martyr) વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા રાખવામાં આવ્યું છે. તથા લીલાનગર પબ્લિક સ્કૂલનું નામ શહીદ વીર શશીપ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપૂતનું નામ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ કહ્યુ કે,આ શહીદોની વીરતા અને તેમના સાહસને આવનારી પેઢી યાદ રાખે તે માટે કોર્પોરેશન સાથે મળીને આ સ્કૂલના નામ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો-અમદાવાદમાં આંગણવાડીમાં બાળકોને સડેલા અને કાચા ચણાનો નાસ્તો આપવામાં આવ્યો
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમા કુલ નવ શાળાનું નામ શહીદ વીરોના નામ પર રાખવામા આવ્યુ છે. જે શાળા નીચે મુજબ છે.
- વીર શહીદ મેજર ઋષિકેશ રામાણી શાળા બાપુનગર.
- વીર શહીદ વિનોદભાઈ સોલંકી શાળા જૂના વાડજ ગામ
- શહીદવીર કેપ્ટન નિલેશ સોની પ્રાથમિક શાળા નારાયણ નગર પાલડી.
- વીર શહીદ ચેતન છોટાલાલ સોલંકી રવિનગર પ્રાથમિક શાળા જીવરાજ પાર્ક.
- વીર શહીદ મોહમ્મદ આવેશ મહંમદ યાકુબ શેખ ઉર્દુ પ્રાથમિક શાળા.
- વીર શહીદ ગોપાલસિંહ મુનિસિંહ ભદોરીયા શાળા સંકુલ આસારવા.
- વીર શહીદ મુકેશ રાઠોડ શાળા સંકુલ મેઘાણીનગર.
- શહીદ વીર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા લીલાનગર.
- શહીદ વીર શશીપ્રભાકર વિરેન્દ્રસિંહ્ન લીલાનગર પબ્લિક સ્કૂલ.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલે હાજરી આપી હતી. અમદાવાદ પૂર્વના સાંસદ પટેલ ડો. હસમુખ પટેલ અમદાવાદના પ્રથમ નાગરિક કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ, એએમટીએસ ચેરમેન વલ્લભભાઈ પટેલ સહિત મહાનુભવો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સંબોધન કરતા કહ્યું કે, આ શહીદોની વીરતા અને તેમના સાહસને આવનારી પેઢી યાદ રાખે તે માટે કોર્પોરેશન સાથે મળીને આ સ્કૂલના નામ રાખવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી અંતિમ સંસ્કારમાં આવ્યા ત્યારે સૂચન કર્યું હતું કે, આ શહીદને આવનારી પેઢી યાદ રાખે તે માટે વિશેષ કાર્યક્રમ રાખવો.
(With Input-Rutvik Patel, Ahmedabad)
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો