AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy : વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું, ગુજરાતમાં થશે આવી અસર, જુઓ Video

Cyclone Biparjoy :  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું  છે.  જો કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 9થી 11 સુધી વરસાદી માહોલ રહેશે

Cyclone Biparjoy : વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું, ગુજરાતમાં થશે આવી અસર, જુઓ Video
Cyclone Biparjoy Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 12:03 PM
Share

Cyclone Biparjoy :  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું  છે.  જો કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં(Gujarat)  9થી 11 સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતના(Gujarat) દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી  965  કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય(Cyclone Biparjoy) વાવાઝોડાને કારણે ગુજરાતના(Gujarat) દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી  965  કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી.. વાવાઝોડાના કારણે વરસાદી માહોલ પણ નથી.જોકે સાવચેતીના ભાગરૂપે માછીમારોને અરબી સમુદ્રમાં દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે અને માછીમારી કરવા ગયેલા માછીમારોને દરિયાકાંઠે પરત બોલાવી લેવાયા છે.

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો અને ચોમાસામાં કુદરતી આપત્તિઓને લઇને ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની પ્રથમ બેઠક મળી. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું કે બિપરજોય વાવાઝોડું તેમજ ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં રાહત કામગીરી માટે NDRFની 15 અને SDRFની 11 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારે બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ બંને દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

બિપરજોય વાવાઝોડું જેમ જેમ ઉત્તર તરફ આગળ વધતું જશે તેમ તેમ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધતું જશે.11 તારીખે વાવાઝોડાની દિશા બદલાવાની શક્યતા હોવાથી ગુજરાતમાં પવનનું જોર ઘટી શકે છે. જો વાવાઝોડું ફંટાશે તો તેની અસર સામાન્ય રહેશે.. પરંતુ તો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો તેની અસર જોવા મળશે.. ખાસ કરીને રાજ્યના કાંઠા વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડશે

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
g clip-path="url(#clip0_868_265)">