AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: અમદાવાદમાં ફરી બાળકોના અપહરણ કરતી ગેંગ થઈ સક્રિય થઈ હોવાની અફવાથી લોકોમાં ફફડાટ

Crime News: અમદાવાદમાં ફરી બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવા ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને નાના બાળકોના માતાપિતા ચિંતિત બન્યા છે.

Crime News: અમદાવાદમાં ફરી બાળકોના અપહરણ કરતી ગેંગ થઈ સક્રિય થઈ હોવાની અફવાથી લોકોમાં ફફડાટ
Symbolic Image
Mihir Soni
| Edited By: | Updated on: Sep 27, 2022 | 8:32 PM
Share

અમદાવાદ (Ahmedabad)ના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના અપહરણ (Kidnapping) કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા (Social Media)માં ફેલાવવામાં આવતા સમાચારને કારણે આ અફવાએ જોર પકડ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ દરરોજ બાળકોને ઉઠાવી જવાની ટોળકીના ખોટા મેસેજ પોલીસને મળે છે. જેથી પોલીસે અપીલ કરી છે કે આવી અફવાઓથી દૂર રહેવું. જોકે હાલ તહેવારો સમયે આવી અફવા સામે આવતા નાના બાળકોના માતાપિતા ચિંતિત બન્યા છે.

બાળકોનું અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાએ ફરી જોર પકડ્યુ

અમદાવાદના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી બાળકોનું અપહરણ કરતી ગેંગ ખૂબ મોટાપાયે સક્રિય છે અને તે સાંજના સમયે એકલદોકલ બાળકોને કારમાં ઉઠાવી જતી હોવાની અફવા ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. જેના કારણે ઘણા વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે સાંજે કે રાતના સમયે બાળકોને ઘરની બહાર મોકલતા ડરી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયો અને ઓડિયો મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે જેના કારણે આ અફવા વધુ ફેલાઈ રહી છે. આવી જ રીતે અમદાવાદમાં દરરોજ પોલીસ કંટ્રોલરૂમ ફોન આવે છે અને તે બાળક ઉઠાવની ટોળકી આવી હોવાના મેસેજ આપી રહ્યા છે અને સ્થાનિક લોકો બાળક ઉઠાવવા આવ્યો હોવાનું લાગતા સ્થાનિકો માર મારે છે.

બાળક ચોરીની અફવામાં નિર્દોષ લોકો ટોળાના રોષનો ભોગ બન્યા હતા

શહેરના દરરોજ બાળક ચોરીની અફવા વધી રહી છે. અગાઉ ગોતા, નરોડા, માધુપુરા , જમાલપુર અને દાણીલીમડામાં બાળક ઉઠાંતરી કરવા આવતી ગેંગની અફવાની દહેશત વધી હતી. જેમાં દાણીલીમડામાં એક સાધુને બાળક ઉઠાવા આવ્યો હોવાનું કહી મારમારી પોલીસને જાણ કરી જે માનસિક અસ્થિર હતો અને જગન્નાથ મંદીરમાં સેવા આપતો હતો, આવી જ રીતે જમાલપુરમાં એક મહિલાને લોકો જોયા વગર માર માર્યો હતો. જેથી લોકો શંકાના આધારે નિર્દોષ લોકોને મારમારી રહ્યા છે, જેથી હાલમાં પોલીસે આ અફવાથી દૂર રહેવા અને શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આ તરફ ભરૂચમાં પણ 26 સપ્ટેમ્બરે બાળકોનું અપહરણ કરતી ગેંગ સ્થાનિકોએ પકડી હોવાનો મેસેજ મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે પોલીસ પહોંચે તે પૂર્વે ટોળાએ બે મહિલાઓને માર મારી અધમૂઈ કરી નાખી હતી. પોલીસે ટોળા પાસેથી બંને મહિલાઓને છોડાવી સારવાર અર્થે ખસેડી હતી.

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">