AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ 33 જિલ્લાઓના પ્રવાસ કરશે, લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવા કવાયત

ગુજરાતમાં કોંગ્રેસને શક્તિ પ્રદાન કરવાનું જેમને કામ સોંપવામાં આવ્યું છે, એવા શક્તિસિંહ ગોહિલ સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. જેના ભાગરૂપે તેઓ ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાનો પ્રવાસ કરશે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ 33 જિલ્લાઓના પ્રવાસ કરશે, લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવા કવાયત
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 15, 2023 | 9:22 AM
Share

Ahmedabad : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) પૂર્વે કોંગ્રેસના (Congress) સંગઠનને મજબૂત બનાવવામાં લાગેલ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) તમામ 33 જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓનો પ્રવાસ કરશે. શક્તિસિંહ ગોહિલ જે તે જિલ્લામાં પહોંચે એ પૂર્વે જિલ્લાની બેઠકો પૂર્ણ કરી તૈયારીઓ આદરી દેવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો-Mandi : જંબુસરની APMCમાં બાજરીના મહત્તમ ભાવ રૂપિયા 2600 રહ્યા,જાણો જુદા-જુદા પાકના ભાવ

લોકસભા ચૂંટણીની તૈયારીઓ

ગુજરાતમાં કોંગ્રેસને શક્તિ પ્રદાન કરવાનું જેમને કામ સોંપવામાં આવ્યું છે, એવા શક્તિસિંહ ગોહિલ સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. જેના ભાગરૂપે તેઓ ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાનો પ્રવાસ કરશે. શક્તિસિંહ વિવિધ જિલ્લાના પ્રવાસે પહોંચે એ પૂર્વે જિલ્લા સંગઠને તેમની બેઠકો પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ છે. પ્રદેશ કાર્યાલય ખાતે મળેલા સંગઠન હોદ્દેદારોની બેઠકમાં પ્રમુખના પ્રવાસો અને નવા સંગઠનને લઈ ચર્ચાઓ કરાઈ હતી.

જિલ્લા સંગઠનોમાં મન ફાવે એમ નિમણૂક ન કરવા લેવાયો નિર્ણય

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ, ઉપપ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસના જિલ્લા સંગઠનમાં મન ફાવે એમ નિમણૂકો નહીં કરવા અને જે તે જિલ્લા પ્રભારી સાથે સંકલન કર્યા બાદ જ નિમણૂક આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંગઠનના હોદ્દેદારોને જન સંપર્ક વધારવા અપીલ

આ સિવાય સંગઠનમાં નિષ્ક્રિય સભ્યો જાતે પદ છોડે અને એમની જગ્યાએ કોને જવાબદારી સોંપી શકાય એ ભલામણ કરવા તેમજ હાલમાં જે કાર્યકરો કામ કરી રહ્યા છે એમની જવાબદારીનું મૂલ્યાંકન કરી નવી નિમણૂકો આપવા માટે પણ ચર્ચા કરાઈ હતી. શક્તિસિંહ ગોહિલ સંગઠનના હોદ્દેદારોને જન સંપર્ક વધારવા અપીલ કરી છે સાથે જ લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠનને વધારે મજબૂત બનાવવા પણ જણાવ્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">