ફૂલ ગુલાબી ઠંડી સાથે લીલા શાકભાજીના સિઝનની શરૂઆત, પરંતુ સામાન્ય લોકોના ખિસ્સા પર પડ્યો ભાર

લીલા શાકભાજી ખાનારાઓની સિઝન આવી ચૂકી છે. પણ હજુ પણ લોકોએ લીલા શાકભાજી ખાવા માટે રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે. કેમ કે હાલમાં જે શિયાળા શાકભાજીના ભાવ હોવા જોઇએ તેના કરતાં ભાવ વધુ છે. જે ભાવ વધારાએ લીલા શાકભાજી આરોગવાની ચાહના રાખનાર લોકોનો સ્વાદ ફિકો પડ્યો છે.

ફૂલ ગુલાબી ઠંડી સાથે લીલા શાકભાજીના સિઝનની શરૂઆત, પરંતુ સામાન્ય લોકોના ખિસ્સા પર પડ્યો ભાર
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 24, 2023 | 6:16 PM

અમદાવાદ સહિત રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની સીઝન એટલે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ શિયાળા દરમિયાન લોકોને ઠંડીનો અહેસાસ તો થાય જ છે સાથે શિયાળા શાકભાજી એવા લીલા શાકભાજી ખાવાનો પણ મોકો મળે છે કારણ કે શિયાળાની સિઝન એ લીલા શાકભાજીની સિઝન પણ કહેવાય છે જે શાકભાજી આરોગીને લોકો સ્વસ્થ રહે છે.

આ વર્ષે લોકોની સ્વાદની મજામાં ભાવ વધારો ભંગ પાડી શકે છે. કારણ કે હાલમાં સીઝનમાં શાકભાજીના ભાવ હોવા જોઈએ તેની સામે 20 ટકા જેટલા ભાવ વધુ છે. જે લોકો ના બજેટ સાથે શાકભાજીના સ્વાદ પર અસર કરી રહ્યો છે.

કઈ શાકભાજીમાં કેટલો ભાવ હોવો જોઈએ અને હાલમાં કેટલો ભાવ છે

(જમાલપુર રિટેઇલ બજારના ભાવ અનુસાર)

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
  • કોબી 20ની હોવી જોઈએ જેની કિંમત 40 છે
  • ફલાવર 40નું હોવુ જોઈએ જેની કિંમત 60 છે
  • ગાજર 40ના હોવા જોઈએ જેની કિંમત 60 છે
  • વટાણા 40ના હોવા જોઈએ જેની કિંમત 60 છે
  • ભટ્ટ રીંગણ 30ના હોવા જોઈએ જેની કિંમત 40 છે
  • લીંબુ 30ના હોવા જોઈએ જેની કિંમત 50 છે
  • ટામેટા 30ના હોવા જોઈએ જેની કિંમત 60 છે
  • આદુ 80નું હોવું જોઈએ જેની કિંમત 120 છે
  • લીલી હળદર 40નું હોવુ જોઈએ જેની કિંમત 100 છે
  • ગવાર 80 નું હોવું જોઈએ જેની કિંમત 100 થઈ
  • ભીંડો 60 નો હોવો જોઈએ જેની કિંમત 80 થઈ
  • ટીંડોડા 60 ના હોવા જોઈએ જેની કિંમત 80 થઈ

આ ભાવ વધારાના કારણે શાકભાજીનું ઓછું શાક તો કેટલાક શાકભાજી જીવન જરૂરિયાત વાનગી હોવાથી મોંઘી હોવા છતા પણ ખરીદી કરી રહ્યા છે. હાલમાં અમદાવાદમાં મોટા ભાગના શાકભાજી બહારના શહેર અને બહારના રાજ્ય માંથી આવે છે.

આ પણ વાંચો : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરીને લઈ સારા સમાચાર, પ્રોજકેટ કોરિડોરમાં 100 કિમી વાયડકટ બનીને તૈયાર

ડિમાન્ડ વધુ અને તેની સામે નાસિક અને પુણે સહિત અન્ય શહેરમાંથી શાકભાજી ઓછા આવે છે. જેના કારણે તેમજ ગુજરાત માંથી જે શાકભાજી આવવા જોઈએ તેની પણ આવક ઓછી છે. જે આવક ઓછી અને ડિમાન્ડ વધુ હોવાને કારણે સીઝનમાં હાલના સમય કરતા વધુ ભાવ ચાલી રહ્યા છે તેવું વેપારી કહી રહ્યા છે.

શિયાળાની શરૂઆત થતા શિયાળા શાકભાજીની શરૂઆત થાય છે. જોકે આ વખતે ઠંડી મોડા શરૂ થઈ. અને તેમાં ઠંડી શરૂ થતાં શાકભાજીના ભાવ વધુ. અને હજુ પણ શાકભાજી ની સારી આવક શરૂ થતાં 10 થી 15 દિવસનો સમય લાગી શકે છે. જે બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો આવી શકે છે. ત્યાં સુધી લોકોએ મોંઘી શાકભાજી ખાવી જ રહી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">