AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Rathyatra 2022 : રથયાત્રાને પગલે પોલીસની સજ્જડ સુરક્ષા, સંવેદનશીલ રૂટ પર પોલીસે કરી ફ્લેગ માર્ચ

દરિયાપુર વિસ્તારમાં RAF, SRP સહિત સ્થાનિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રા રૂટ પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત(Ahmedabad Police)  ગોઠવાયો છે.

Jagannath Rathyatra 2022 : રથયાત્રાને પગલે પોલીસની સજ્જડ સુરક્ષા, સંવેદનશીલ રૂટ પર પોલીસે કરી ફ્લેગ માર્ચ
Police flag march on Rathyatra route
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 8:56 AM
Share

રથયાત્રાને(Rathyatra)  લઇને સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સે (Central Security Force) શહેરના સંવેદનશીલ વિસ્તારનો મોરચો સંભાળ્યો છે.સોમવારે રથયાત્રા રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ કર્યુ હતુ. ઉપરાંત દરિયાપુર વિસ્તારમાં RAF, SRP સહિત સ્થાનિક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રા રૂટ પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત(Ahmedabad Police)  ગોઠવાયો છે.બીજી તરફ ટ્રાફિક વિભાગ(traffic department)  દ્વારા નક્કી કરેલા રસ્તાઓ પર 30 જૂન અને 1 જુલાઈના બે દિવસ દરમિયાન કોઈ પણ વાહનનું પાર્કિંગ થઈ શકશે નહીં.

નો પાર્કિંગની સાથે પોલીસ કમિશનર દ્વારા  AMTS તેમજ BRTS રૂટ પણ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન(kalupur Railway station)  પાસેથી રથયાત્રા પસાર થવાની હોવાથી ત્યાં મુસાફરોને હાલાકી પડે નહી તેમાં માટે બસ અને ઈ-રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની(Jagannath Rathyatra)  145મી રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સજ્જ રહેશે. વધુમાં આશિષ ભાટિયાએ કહ્યું હતુ કે રાજ્યમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. જેથી અમદાવાદમાં પોલીસ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરશે. અમદાવાદમાં(Ahmedabad)  રથયાત્રા દરમિયાન કુલ 24 હજારથી વધુ પોલીસકર્મી ખડેપગે રહેશે. ત્યારે હાઇટેક્નોલોજી સાથે 24 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રખાશે.

બંદોબસ્તમાં પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ હશે. તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ક્રાઇમ બ્રાન્ચને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ શકમંદો પર નજર રાખશે. અન્ય રાજ્યમાંથી આવેલા અમુક લોકોની હિલચાલ પર નજર રખાશે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો લોકડાઉન અને ઇન્ટરનેટ બંધ કરવા સુધીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">