AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા દિલ્હીથી રવાના, પ્લેન દુર્ઘટનામાં અનેકના મોતની આશંકા

અમદાવાદમાં મેઘાણી નગર વિસ્તારમાં લંડન માટે ઉડાન ભરનારુ પ્લેન ક્રેશ થયુ છે. આ ભયાનક દુર્ઘટના બાદ અન્ય તમામ ફ્લાઈટ્સ હાલ તકેદારીન ભાગરૂપે રદ કરી દેવામાં આવી છે. પ્લેન ક્રેશ થતા જ આગમાં લપેટાઈ ગયુ હતુ અને 100 થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા છે.

Breaking News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા દિલ્હીથી રવાના, પ્લેન દુર્ઘટનામાં અનેકના મોતની આશંકા
| Updated on: Jun 12, 2025 | 5:01 PM
Share

અમદાવાદમાં લંડન માટે ઉડાન ભરનારુ પ્લેન ક્રેશ થયુ છે. આ દુર્ઘટના એટલી ભયાનક છે કે ક્રેશ થતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો અને તુરંત આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયુ હતુ. આગમાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. 100 થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા છે. દુર્ઘટના સ્થળે સતત પાણીનો મારો ચલાવી આગ બુજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી છે. આ પ્લેનમાં બ્રિટનના 52 નાગરિકો સવાર હતા અને 6 પોર્ટુગલના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક હોવાની વિગતો સામે આવી છે.

DGCA દ્વારા કહેવામાં આવ્યુ છે કે ઉડાનની 5 જ મિનિટમાં પ્લેન ક્રેશ થયુ છે. આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા. ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે વિજય રૂપાણી સાથે તેમની વાતચીત થઈ હતી અને તેઓ લંડન જવાના હતા તે અંગે પણ વાતચીત થઈ હતી. આથી પ્લેનક્રેશની જાણકારી મળતા જ તેમને ધ્રાસ્કો પડ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે આશા રાખીએ કે આ દુર્ઘટનામાં સવાર સહુ નાગરિકોનો ચમત્કારિક રીતે બચાવ થાય.

જો કે પ્લેનક્રેશ થતાની સાથે જ ભડભડ કરતુ સળગવા લાગ્યુ હતુ. અને થોડી જ મિનિટોમાં સંપૂર્ણ પ્લેન બળીને ખાખ થઈ ગયુ હતુ. હાલ અમારી પાસે જે દૃશ્યો સામે આવી રહ્યા છે તે બતાવી ન શકાય એટલી હદે વિચલિત કરનારા છે. ઘાયલોના વિચલીત કરી દેનારા દૃશ્યો સામે આવ્યા છે અને અત્યંત ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર કરાયા જાહેર

Air India દ્વાપા હેલ્પલાઈન  1800-5691-444 આ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. સ્વજનો આ હેલ્પલાઈન નંબર પરથી જાણકારી મેળવી શકશે .  હાલ અમદાવાદ ઍરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારને ગ્રીન કોરિડોરથી કોર્ડન કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના તમામ ઉચ્ચ અધિકારીઓ પીડિતોના હાલચાલ જાણવા માટે હોસ્પિટસ પહોંચી રહ્યા ે.

50 થી વધુના મોતની આશંકા

ભયાનક પ્લેનક્રેશની દુર્ઘટનામાં 50 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે.  પ્લેનક્રેશ થયુ એ વિસ્તારમાં અતુલ્યમ 1 અને અતુલ્યમ 2 નામથી ડૉક્ટર હાઉસ આવેલુ હતુ. જ્યાં અનેક મેડિકલના વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને 20 થી વધુ મેડિકલના વિદ્યાર્થીઓના મોતની આશંકા સેવાઈ રહી છે.

20 થી વધુ મેડિકલના વિદ્યાર્થીઓના મોતની આશંકા

જે સ્થળે પ્લેન ક્રેશ થયુ ત્યાં અમદાવાદની બી.જે મેડિકલ કોલેજની બોયસ હોસ્ટેલ હતી અને એ હોસ્ટેલના 20 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત અનેક સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત થયા છે.

169 ભારતીયો દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં હતા સવાર

Air India દ્વારા પેસેન્જર્સની યાદી જાહેર કરવામાં આવી છે. જેમા દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં 169 ભારતીયો 53 જેટલા બ્રિટનના નાગરિકો, 7 પોર્ટુલગલના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક સવાર હતા.  રાજ્ય સરકારે સ્ટેટ ઈમરજન્સીમાં કંટ્રોલ રૂમ જાહેર કરી દીધો છે. જેમા ઘાયલોના સ્વજનોની જાણકારી મેળવવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. હાલ ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

Breaking News: અમદાવાદથી લંડન જતુ પ્લેન મેઘાણીનગર નજીક થયુ ક્રેશ, પ્લેનમાં સવાર હતા 242 મુસાફરો– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">